Site icon News Continuous Bureau | Mumbai

 સૌરવ ગાંગુલીને ઍટેક આવતા આ તેલ કંપનીએ ભરોસો ગુમાવ્યો.. સોશિયલ મીડિયા પર હાંસી ઉડી..  ઉદ્યોગપતિએ જાહેરાત પાછી ખેંચવી પડી.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

05 જાન્યુઆરી 2021 

સૌરવ ગાંગૂલીને શનિવારે ટ્રેડમિલ પર કસરત કરતા કરતા હાર્ટ એટેક આવ્યો હતો અને તેની એન્જિયોપ્લાસ્ટી કરવી પડી હતી. કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલ એ ત્યારબાદ  ટ્વિટ કરી જાણ કરી કે ગાંગૂલીની તબિયત સ્થિર છે. હવે કોઈ ખતરો નથી. આથી તેમણે ઘરે જઈ આરામ કરવાની સલાહ આપવામા આવી છે. 

ગાંગૂલીને હાર્ટ એટેક આવ્યાના સમાચાર વાયુવેગે ફેલાતા જ અદાણીની ફોર્ચ્યુન બ્રાંડ સોશિયલ મીડિયા યૂઝર્સના નિશાના પર આવી ગઈ હતી. લોકો ગાંગુલી અને તેલની મજાક ઉડાવી રહયાં હતાં. લોકોએ બ્રાંડ એંડોર્સમેંટ પર સવાલ ઉભા કરવાનું શરુ કરી દીધું. તેઓનું કહેવું હતું કે આ કંપની તેલને આયાત કરે છે અને ખબર નહીં સેલિબ્રિટીઝ જે વસ્તુઓની જાહેરાત કરે છે, તેઓ જાતે આ તેલનો ઉપયોગ કરે છે કે નહીં.!?  

નોંધનીય છે કે, પૂર્વ ક્રિકેટ કીર્તિ આઝાદે ટ્વિટર પર ગાંગૂલીને જલ્દી સ્વસથ થવાની શુભકામના આપતા બ્રાંડના કેમ્પેઇનની ટીકા કરી છે. અને લખ્યું છે કે, "દાદા હંમેશા તપાસ કરી પ્રોડ઼કટ્સનું પ્રમોશન કરવું જોઇએ." 

ફોર્ચ્યુયન કંપનીનો છે દબદબો અદાણી વિલમર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની છે. તે સોયાબીન, સરસો, રાઇશ બ્રાન અને મગફળીનું તેલ વેચવા સિવાય કંપની Alife બ્રાંડથી સાબુ અને સેનિટાઇઝરનું પણ વેચાણ કરે છે. કંપનીના આંકડા મુજબ 35 ટકા માર્કેટ શેરની સાથે પહેલા સ્થાન પર છે. 

કંપનીના જાહેરાત સાથે જોડાયેલ એક અધિકારીએ જણાવ્યું કે, ગાંગુલીવાળી જાહેરાત તમામ પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી છે. બ્રાન્ડની ક્રિએટિવિટી એજન્સી Ogilvy & Mather સમગ્ર મામલા પર નજર રાખી રહી છે. તેમજ તે કેમ્પેઈન પર પણ કામ કરી રહી છે.

Offline UPI Payments Flights Trains ઇન્ટરનેટ વગર થશે UPI પેમેન્ટ, NPCI વિકસાવી રહ્યું છે ‘TaptoPay’ ઓફલાઇન ટેકનોલોજી
Service charge ગ્રાહકોની સહમતિ વગર બિલમાં ‘સર્વિસ ચાર્જ’ વસૂલવો પડશે મોંઘો, સીસીપીએ એ ચાયોસ અને બાર્બેક્યુ નેશન સહિત 41 રેસ્ટોરન્ટ્સ પર ફટકાર્યો દંડ,
Luxury life net worth India અમીરોની યાદીમાં સામેલ થવા અને શાહી જીવનશૈલી જીવવા કેટલા નાણાં છે જરૂરી? જાણો શું કહે છે રિપોર્ટ
Post Office PPF Formula પોસ્ટ ઓફિસની સુપરહિટ ફોર્મ્યુલા, આ સ્કીમમાં રોકાણ કરીને બની શકો છો કરોડપતિ, જાણો વ્યાજ દર અને ટેક્સ સેવિંગ ગણિત
Exit mobile version