Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારથી નારાજ થાણેના હૉટેલિયરોએ લીધો આ નિર્ણય; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

મહારાષ્ટ્ર સરકારે બ્રેક ધ ચેઇન હેઠળ દુકાનોને ખુલ્લી રાખવાનો સમય વધારી આપ્યો છે, પરંતુ હૉટેલ અને રેસ્ટોરાંને સાંજના ચાર વાગ્યા સુધી જ ગ્રાહકો માટે ખુલ્લા રાખવાની અને ત્યાર બાદ પાર્સલ માટેની મંજૂરી આપવામાં આવી છે. સરકારના આ નિર્ણય સામે મુંબઈ, થાણે સહિત મહારાષ્ટ્રના તમામ હૉટેલ અને રેસ્ટોરાંના માલિકો નારાજ થઈ ગયા છે. સરકારના નિર્ણય સામે વિરોધ દર્શાવવા 10 ઑગસ્ટના હૉટેલિયરોએ મૂક મોરચો કાઢવાની જાહેરાત કરી છે, તો થાણેના હૉટેલ માલિકોએ આવતા અઠવાડિયાથી એક અઠવાડિયા માટે સ્વૈચ્છિક રીતે હૉટેલો બંધ રાખવાની જાહેરાત કરી છે.

રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી જાહેર : EMI પર હાલ કોઇ રાહતનાં સંકેત નહીં, આરબીઆઈએ સતત સાતમી વખત વ્યાજદર યથાવત રાખ્યો

થાણેના મ્યુનિસિપલ કમિશનરને સાંજે ચાર વાગ્યા સુધીની મર્યાદા દૂર કરવાની માગણી પણ કરવામાં આવી છે. હૉટેલિયરો થાણે પાલિકા કમિશનરને મળીને હૉટેલો ખોલવાનો સમય લંબાવી આપવાની વિનંતી કરવાના છે. જો પાલિકાએ તેમની માગણી મંજૂર નહીં કરી તો થાણેમાં આવતા અઠવાડિયાથી તમામ હૉટેલ અને રેસ્ટોરાં એક અઠવાડિયા સુધી સ્વૈચ્છિક રીતે બંધ પાળવાની જાહેરાત થાણેના હૉટેલિયરોએ કરી છે.

New Cheque Book Rules શું તમારી પાસે પણ છે જૂની ચેકબુક? બેન્કોના નવા નિયમથી નહીં થાય લેણદેણ, ફટાફટ કરી લો આ કામ.
Cash Craze India અમેરિકા અને યુરોપ પાછળ છૂટી ગયા! UPI યુગમાં પણ ભારતીયોમાં કેશ પ્રત્યેનો પ્રેમ અકબંધ, નોટ છાપવાનો રેકોર્ડ આગળ.
Geopolitical Risks vs India PE Deals વૈશ્વિક જોખમો વચ્ચે ભારતીય પ્રાઇવેટ ઇક્વિટી ડીલ્સ પર વૈશ્વિક રોકાણકારોની નજર
Strict SIM Card Limit Enforcement ટેલિકોમ નિયમો બદલાયા ફ્રોડ અટકાવવા માટે સરકારની કડક કાર્યવાહી, ૨૪ ઓગસ્ટથી અમલી બનશે નિયમ.
Exit mobile version