Site icon News Continuous Bureau | Mumbai

નોકરિયાતો માટે સારા સમાચાર.. દિવસના આટલા કલાક જ કામ કરી શકશો.. સરકારે બનાવ્યા નવા કાયદા..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
21 નવેમ્બર 2020

મોદી સરકાર દ્વારા કામના કલાકો ને લઈને મહત્વના સુધારા કર્યા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયએ સંસદમાં પસાર કરેલા એક બિલમાં કામના કલાક વધારવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. નવા પ્રસ્તાવ પ્રમાણે એક દિવસમાં વ્યક્તિ મહત્તમ 12 કલાક કામ કરી શકે તેવો પ્રસ્તાવ મૂક્યો છે. વર્તમાન સમયમાં પ્રતિદિન મહત્તમ 8 કલાક કામ કરવાની જોગવાઈ છે.

Join Our WhatsApp Channel

શ્રમ અને રોજગાર મંત્રાલયે વ્યવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય, તેમજ કાર્ય શરત એટલે કે OSH કોડ 2020 ના નિયમો હેઠળ આ પ્રસ્તાવ મૂક્યો છે. નવા કામના સમયગાળા વચ્ચે ટૂંકા ગાળાની રજા પણ શામેલ કરવામાં આવી છે. જો કે, 19 નવેમ્બર 2020ના રોજ જાહેર કરાયેલા આ ડ્રાફ્ટમાં, સાપ્તાહિક કામના કલાકો 48 કલાક યથાવત રાખવામાં આવ્યા છે. વર્તમાન જોગવાઈઓમાં અઠવાડીયે 8 કલાકના હિસાબે 6 દિવસનો હોય છે, જેમાં એક દિવસ રજા હોય છે. પરંતુ 12 કલાક કામની સ્થિતિમાં અઠવાડિયામાં 2 રજાઓ આપવાની જોગવાઈ રહેશે.

વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ જોગવાઈ ભારતની પ્રતિકૂળ આબોહવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ કેન્દ્રીય શ્રમ તેમજ રોજગાર મંત્રાલયે સામાજિક સુરક્ષા સંહિતા 2020ના ડ્રાફ્ટ એક્ટને સૂચિત કરી વાંધા અને સૂચનો માંગવામાં આવ્યા છે.

Ganga Expressway। ગંગા એક્સપ્રેસવેથી ઉત્તર પ્રદેશના 12 જિલ્લાઓની બદલાશે કિસ્મત રિયલ એસ્ટેટ માટે બનશે ‘ગોલ્ડન કોરિડોર’
Credit Card Benefits। નેટફ્લિક્સથી લઈને જિમ સુધી બધું જ સસ્તું! આ 5 ક્રેડિટ કાર્ડ્સ વાપરીને વર્ષે 10,000 બચાવો
Bank of Maharashtra। બેંક ઓફ મહારાષ્ટ્રનું સત્તાવાર સ્પષ્ટીકરણ ઓફિસ લીઝ અંગેના 1,116 કરોડના દાવાઓને નકાર્યા
Anil Ambani। અનિલ અંબાણીને મોટો ઝટકો ED ની મોટી કાર્યવાહી, ૩૦૦૦ કરોડથી વધુની મિલકતો પર સીલ
Exit mobile version