Site icon News Continuous Bureau | Mumbai

શું તમે માસિક ૫૦ લાખથી વધુનું ટર્નઓવર ધરાવો છો?? તો તમારે આ પ્રક્રિયા કરવી ફરજીયાત છે. જાણીલો એ પ્રક્રિયા… 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

24 ડિસેમ્બર 2020

માસિક રૂા. ૫૦ લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓએ ભરવાપાત્ર બનતા જીએસટીની (GST)રકમમાંથી એક ટકા રકમ ફરજિયાત રોકડેથી ભરવી પડશે. બોગસ ઇન્વોઈસના માધ્યમથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની (GST)કરવામાં આવી રહેલી ચોરીને ડામવા માટે કેન્દ્રના નાણાં મંત્રાલયે આ નિર્ણય લીધો છે. 

વેરાના નિષ્ણાતોનું કહેવું છે કે સરકારે કલમ ૮૬ બી દાખલ કરીને અત્યાર સુધી કોઈપણ જાતના અવરોધ વિના ઉપયોગ કરી શકાતી ઇનપુટ ટેક્સ ક્રેડિટના ઉપયોગ પર અંકુશ લગાવ્યો છે… આમ આ પગલું લઈને સરકાર જે વેપારીઓએ તેમની જીએસટીની જવાબદારી અદા જ ન કરી હોય તેવા વેપારીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ કરવા પર લગામ તાણવામાં આવી છે.

જોકે આ નિયમ હેઠળનું નિયંત્રણ જે કંપનીના મેનેજિંગ ડિરેક્ટરે કે કોઈપણ પાર્ટનરે રૂા. ૧ લાખથી વધુ રકમનો ઇન્કમટ ટેક્સ જમા કરાવ્યો હોય અથવા તો રજિસ્ટ્રેશન ધરાવતી વ્યક્તિએ કે પછી વેપારીઓ રૂા. ૧ લાખથી વધુ રકમની રિફંડ આગળના નાણાંકીય વર્ષમાં મેળવ્યું હશે તેમને પણ આ જોગવાઈ લાગુ કરવામાં આવશે નહિ.

New Cheque Book Rules શું તમારી પાસે પણ છે જૂની ચેકબુક? બેન્કોના નવા નિયમથી નહીં થાય લેણદેણ, ફટાફટ કરી લો આ કામ.
Cash Craze India અમેરિકા અને યુરોપ પાછળ છૂટી ગયા! UPI યુગમાં પણ ભારતીયોમાં કેશ પ્રત્યેનો પ્રેમ અકબંધ, નોટ છાપવાનો રેકોર્ડ આગળ.
Geopolitical Risks vs India PE Deals વૈશ્વિક જોખમો વચ્ચે ભારતીય પ્રાઇવેટ ઇક્વિટી ડીલ્સ પર વૈશ્વિક રોકાણકારોની નજર
Strict SIM Card Limit Enforcement ટેલિકોમ નિયમો બદલાયા ફ્રોડ અટકાવવા માટે સરકારની કડક કાર્યવાહી, ૨૪ ઓગસ્ટથી અમલી બનશે નિયમ.
Exit mobile version