Site icon

India-European Union: ભારત-યુરોપિયન યુનિયન વેપાર સમજૂતી નિર્ણાયક વળાંક પર, આજથી પાંચ દિવસ ભારતમાં રહેશે આટલા રાજદૂત

India-European Union: યુરોપિયન યુનિયન (EU) ના 27 રાજદૂતોનો એક પ્રતિનિધિમંડળ પાંચ દિવસની ભારતની મુલાકાતે આવશે, જે દરમિયાન બંને પક્ષો વચ્ચે વેપાર સમજૂતી ને અંતિમ સ્વરૂપ આપવા માટે ચર્ચા થશે.

India-EU Trade Deal at a Decisive Juncture Key Meeting Today as 27 Ambassadors Arrive in India

India-EU Trade Deal at a Decisive Juncture Key Meeting Today as 27 Ambassadors Arrive in India

News Continuous Bureau | Mumbai

India-European Union: ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેની વેપાર વાટાઘાટો હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી છે. યુરોપિયન યુનિયનની રાજકીય અને સુરક્ષા સમિતિના 27 રાજદૂતોનું એક પ્રતિનિધિમંડળ બુધવારથી ભારતની પાંચ દિવસની મુલાકાતે આવી રહ્યું છે. આ પ્રતિનિધિમંડળની આગેવાની રાજદૂત ડેલ્ફિન પ્રૉન્ક કરી રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ બંને પક્ષો વચ્ચેના સંબંધોને નવી ગતિ આપવાનો અને મુક્ત વેપાર સમજૂતી ને અંતિમ સ્વરૂપ આપવાનો છે. આ દળ ભારતના ઉચ્ચ સ્તરીય સરકારી અધિકારીઓ અને સંરક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. આ યાત્રા ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેની 13મા રાઉન્ડની વાટાઘાટોનો એક ભાગ છે, જેને બંને પક્ષો ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા ઈચ્છે છે. આ ઉપરાંત, આ મુલાકાતનો ઉદ્દેશ્ય આતંકવાદ, સાયબર સુરક્ષા, અને દરિયાઈ સુરક્ષા જેવા મુદ્દાઓ પર સહકાર વધારવાનો પણ છે.

Join Our WhatsApp Community

વેપાર સમજૂતીના મુખ્ય મુદ્દાઓ

સરકારના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 23માંથી 11 પ્રકરણો પર વાતચીત પૂરી થઈ ગઈ છે, જેમાં કસ્ટમ્સ, ડિજિટલ વેપાર, અને બૌદ્ધિક સંપદા જેવા વિષયો સામેલ છે. જોકે, કૃષિ અને ડેરી જેવા સંવેદનશીલ ક્ષેત્રો પર હજુ મતભેદો યથાવત છે. ભારત સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે ખેડૂતોની આજીવિકાની સુરક્ષા માટે આ ક્ષેત્રોમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. આ સિવાય, યુરોપિયન યુનિયન (EU) તરફથી રશિયન તેલની ખરીદી અને પ્રસ્તાવિત કાર્બન ટેક્સ પર પણ દબાણ આવી રહ્યું છે, જેને ભારતે એક છુપી વેપાર અડચણ ગણાવી છે. સરકારનું માનવું છે કે યુરોપિયન યુનિયન (EU) સાથેનો આ કરાર માત્ર આર્થિક સંબંધોને મજબૂત કરશે નહીં, પરંતુ ભૂ-રાજકીય મોરચે પણ ભારતને પશ્ચિમી દેશોની નજીક લાવશે.

આ સમાચાર પણ વાંચો : C.P. Radhakrishnan: ઉપપ્રમુખ તરીકે સીપી રાધાકૃષ્ણનની સત્તા, જાણો તેમની જવાબદારીઓ, સુવિધાઓ વિશે

વાટાઘાટો અંતિમ તબક્કામાં: પીયૂષ ગોયલ

India-European Union: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે મંગળવારે જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન (EU) સાથેની વેપાર વાટાઘાટો ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે યુરોપિયન યુનિયનના વેપાર અને કૃષિ કમિશનરો ભારતના પ્રવાસે આવશે ત્યારે બંને પક્ષો વેપાર સમજૂતીને મોટાભાગે અંતિમ સ્વરૂપ આપવાની સ્થિતિમાં હશે. ભારતમાં આવી રહેલા યુરોપિયન યુનિયનના વેપાર કમિશનર મારોસ સેફકોવિચ અને કૃષિ કમિશનર ક્રિસ્ટોફ હેન્સન સાથે મુક્તપણે ચર્ચા થઈ શકશે. બંને પક્ષોના મુખ્ય વાટાઘાટકાર અત્યારે પ્રસ્તાવિત મુક્ત વેપાર સમજૂતી (FTA) પર 13મા રાઉન્ડની વાટાઘાટો કરી રહ્યા છે.

 છ વર્ષ બાદ ફરી શરૂ થઈ વાટાઘાટો

ગોયલે પત્રકારોને જણાવ્યું કે, બંને પક્ષો જુદા જુદા ભાગો પર સક્રિય રીતે સંકલન કરી રહ્યા છે. લગભગ 60-65 ટકા કરારના પ્રકરણો હવે સંપૂર્ણપણે તૈયાર અને અંતિમ સ્વરૂપ પામી ચૂક્યા છે. તેમની આ ટિપ્પણીઓ દર્શાવે છે કે ભારત-યુરોપિયન યુનિયન (EU) મુક્ત વેપાર સમજૂતી (FTA) પરની વાટાઘાટો તેના અંતિમ તબક્કામાં છે અને તેને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપી શકાય છે. ભારત અને 27 દેશોના આ સમૂહે જૂન, 2022માં વ્યાપક મુક્ત વેપાર સમજૂતી, રોકાણ સુરક્ષા સમજૂતી, અને ભૌગોલિક સંકેત પર આઠ વર્ષના અંતરાલ બાદ ફરીથી વાટાઘાટો શરૂ કરી હતી. મુક્ત વેપાર સમજૂતી (FTA) પરની વાતચીત 2013માં બજાર ખોલવાના સ્તર પર મતભેદોને કારણે અટકી ગઈ હતી.

Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
India-US Trade Deal:અમેરિકા કરશે ભારત સાથે ટ્રેડ ડીલ પર વાત, ટેરિફ વિવાદ બાદ ટ્રમ્પે કર્યું આ કામ
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version