Site icon News Continuous Bureau | Mumbai

આમ આદમીને મળી ન્યુ યર ગિફ્ટ. મોદી સરકારે આ યોજનાના વ્યાજદરમાં કર્યો વધારો.. નાની બચત કરનારાઓેને થશે લાભ

2022 વર્ષ પૂરું થવા પહેલા જ કેન્દ્ર સરકારે નાના રોકાણકારોને 'ગુડ ન્યૂઝ' આપ્યા છે. જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળા માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરોની જાહેરાત કરવામાં આવી છે

All small savings scheme interest rates increased

એપ્રિલ-જૂન ક્વાર્ટરના નાના બચત યોજનાઓના વ્યાજ દરમાં વધારો થયો. વિગતો

News Continuous Bureau | Mumbai

2022 વર્ષ પૂરું થવા પહેલા જ કેન્દ્ર સરકારે નાના રોકાણકારોને ‘ગુડ ન્યૂઝ’ આપ્યા છે. જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળા માટે નાની બચત ( small savings )  યોજનાઓના વ્યાજ દરોની ( Interest rates ) જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રના આ નવા નિર્ણયથી ઘણા રોકાણકારોને ફાયદો થશે. જોકે, PPF, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ( savings schemes ) રોકાણકારો આ નિર્ણયથી નિરાશ થયા છે.

Join Our WhatsApp Channel

નવા નિર્ણય અનુસાર, 1 જાન્યુઆરીથી નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પર સાત ટકાના દરે વ્યાજ વસૂલવામાં આવશે. હાલમાં NSC પર 6.8 ટકા વ્યાજ છે. તેમજ વરિષ્ઠ નાગરિક બચત યોજના પર વર્તમાન 7.6 ટકાના બદલે આઠ ટકા વ્યાજ મળશે. એક થી પાંચ વર્ષની મુદત માટે પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ પર વ્યાજ દરમાં 1.1 ટકાનો વધારો થયો છે.

નવા નિર્ણય મુજબ, પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટ પર એક વર્ષ માટે 6.6 ટકા, બે વર્ષ માટે 6.8 ટકા, ત્રણ વર્ષ માટે 6.9 ટકા અને પાંચ વર્ષ માટે 7 ટકા વ્યાજ ચૂકવવામાં આવશે. આ સિવાય 6.7 ટકાના બદલે હવે માસિક આવક યોજના પર 7.1 ટકા વ્યાજ મળશે.

આ સમાચાર પણ વાંચો:  નવું વર્ષ નવા નિયમ.. 1લી જાન્યુઆરીથી આ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે સીધી અસર!

KVP રોકાણકારો માટે ડબલ લાભ

આ ઉપરાંત કિસાન વિકાસ પત્ર પર હવે 7.2 ટકાના વ્યાજ દરથી મળશે. તો નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર વ્યાજ દર વધારીને 7 ટકા કરી દેવાયું છે, જે પહેલા 6.8 ટકા હતું. ફાઈનાન્સ મંત્રાલયે શુક્રવારે સાંજે એક પરિપત્ર જાહેર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જાન્યુઆરી-માર્ચ 2023 ત્રિમાસિક માટે આ નાની બચત યોજનાઓ પર વ્યાજ દરોમાં 110 બેસિસ પોઈન્ટ સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

સુકન્યા અને પીપીએફ ખાતાધારકોની નિરાશા

પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણકારોને કેન્દ્ર સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. જોકે તેઓ નિરાશ થયા છે. આ બંને યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સુકન્યા સમૃદ્ધિ યોજના પરનો વ્યાજ દર 7.6 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે, જ્યારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પરનો વર્તમાન 7.1 ટકા વ્યાજ દર ‘જેમ છે તેમ’ યથાવત રહેશે. આ સિવાય બચત થાપણો પર વાર્ષિક 4 ટકાના દરે વ્યાજ મળતું રહેશે.

આ સમાચાર પણ વાંચો:  મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન: શહેરમાં અહીં બનશે અંડરગ્રાઉન્ડ સ્ટેશન, અધધ 3,681 કરોડના ટેન્ડર મળી મંજૂરી…

JP Nadda Meets Sonam Wangchuk CJP વિરોધ વચ્ચે ભાજપનો મોટો દાવ નડ્ડાએ હોસ્પિટલમાં જઈ સોનમ વાંગચુક સાથે કરી મુલાકાત, બંને વચ્ચે શું થઈ વાતચીત?
Donald Trump Tariff Announcement ભારત માટે ચિંતાના વાદળો, અમેરિકામાં જેનરિક દવાઓ પર તબક્કાવાર ૧૦૦% થી ૨૦૦% ટેરિફનો ટ્રમ્પનો પ્રસ્તાવ
Uddhav Thackeray Jantar Mantar Visit દિલ્હીની ગાદી હલાવવા ઠાકરે પરિવાર રસ્તા પર! CJP આંદોલનને સમર્થન આપવા ઉદ્ધવ ઠાકરેના દિલ્હી પ્રવાસના શું છે રાજકીય માયના?
Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Exit mobile version