Site icon News Continuous Bureau | Mumbai

સારા સમાચાર: આખરે ઉપનગરના રહેવાસીઓને આ ટેક્સ ભરવાથી મળી રાહત, સરકારે બહાર પાડ્યો GR; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુંબઈ ઉપનગરોના રહેવાસીઓને આપવામાં આવેલી બિન-કૃષિ કરની (નોન એગ્રીકલ્ચરલ ટેક્સ) નોટિસને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે તેને લગતો GR બહાર પાડતા આખરે મુંબઈગરાએ રાહત અનુભવી હતી.

Join Our WhatsApp Channel

ભાજપના નેતા ધારાસભ્ય અને આશિષ શેલારે જણાવ્યું હતું કે સરકારે મુંબઈ ઉપનગરોમાં રહેતા 60,000 થી વધુ લોકોને બિન-કૃષિ કરની નોટિસ જારી કરી હતી. આ નોટિસો ગેરવાજબી હતી, તેથી તેને લગતો મુદ્દો બજેટ સત્રમાં ઉઠાવ્યો હતો.

આશિષ શેલારે કહ્યું હતું કે જ્યારે ઉપનગરોમાં ઇમારતો, ઝૂંપડીઓ અને અન્ય રહેણાંક બાંધકામો બાંધવામાં આવ્યા હતા, ત્યારે દરેક બિલ્ડરે બિન-કૃષિ કર ચૂકવ્યો હતો. છતાં પણ  દરેક વખતે તેમને ટેક્સ નોટિસ આપવામાં આવતી રહી છે.

આ સમાચાર પણ વાંચો : મોંધવારીનો માર: ઓટો-ટેક્સીમાં ફરવું મોંઘુ પડશે. યુનિયને સરકાર સમક્ષ કરી આટલા રૂપિયાના ભાડા વધારાની માંગ.. જાણો વિગતે

આ નોટિસ અગાઉના દરો કરતાં 1500 ટકા વધુ દરે બહાર પાડવામાં આવી હતી, જે અયોગ્ય છે. એક તરફ કોરોનાને કારણે લોકોને ભારે આર્થિક ફટકો પડ્યો છે, ત્યારે બીજી તરફ સરકાર દ્વારા આવો બોજ નાખવામાં આવી રહ્યો છે. વળી, દક્ષિણ મુંબઈ શહેરની સોસાયટીઓ પર આવો વેરો વસુલવામાં આવતો નથી, માત્ર ઉપનગરીય બાંધકામો પર જ વસૂલવામાં આવે છે. એક શહેરમાં બે નિયમો કેવી રીતે હોઈ શકે? આ પ્રશ્ન ધારાસભ્ય શેલારે તેમની હાજરીમાં ઉઠાવ્યો હતો અને તેમણે માંગ કરી હતી કે સરકારે આ નોટિસોને તાત્કાલિક સસ્પેન્ડ કરવી જોઈએ. 

છેવટે વિધાનસભામાં મહેસૂલ મંત્રી બાલાસાહેબ થોરાટે જાહેરાત કરી હતી કે નોટિસો મુલતવી રાખવામાં આવી રહી છે. તે મુજબ સરકારે ગવર્મેન્ટ રિઝોલ્યુશન બહાર પાડીને આ ટેક્સને મુલતવી રાખ્યો છે. આ દરમિયાન, ધારાસભ્ય અને આશિષ શેલારે કહ્યું છે કે મુંબઈવાસીઓ સામેની લડતને મોટી સફળતા મળી હતી .

New Cheque Book Rules શું તમારી પાસે પણ છે જૂની ચેકબુક? બેન્કોના નવા નિયમથી નહીં થાય લેણદેણ, ફટાફટ કરી લો આ કામ.
Cash Craze India અમેરિકા અને યુરોપ પાછળ છૂટી ગયા! UPI યુગમાં પણ ભારતીયોમાં કેશ પ્રત્યેનો પ્રેમ અકબંધ, નોટ છાપવાનો રેકોર્ડ આગળ.
Geopolitical Risks vs India PE Deals વૈશ્વિક જોખમો વચ્ચે ભારતીય પ્રાઇવેટ ઇક્વિટી ડીલ્સ પર વૈશ્વિક રોકાણકારોની નજર
Strict SIM Card Limit Enforcement ટેલિકોમ નિયમો બદલાયા ફ્રોડ અટકાવવા માટે સરકારની કડક કાર્યવાહી, ૨૪ ઓગસ્ટથી અમલી બનશે નિયમ.
Exit mobile version