Site icon News Continuous Bureau | Mumbai

ઘર ખરીદનાર માટે સારા સમાચાર: મહારેરાએ 755 માંથી 749 ની નોંધણી રદ્દ કરવાના ઓર્ડર પાસ કર્યા.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

19 ડિસેમ્બર 2020

મહારાષ્ટ્ર રીઅલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (મહારેરા) એ બિન-નોંધાયેલા પ્રોજેક્ટ્સ સામે પ્રાપ્ત 749 ફરિયાદોનો નિકાલ લાવી દીધા હતા. ઉપલબ્ધ માહિતી મુજબ મહારેરાએ જાહેર કર્યું છે કે સત્તાધિકારીને અન-રજિસ્ટર્ડ પ્રોજેક્ટ સામે કુલ 755 ફરિયાદો મળી હતી. આંકડા દર્શાવે છે કે કાલે નોંધાયેલ પ્રોજેક્ટ્સ સામે માત્ર 6 ફરિયાદો મહારેરા ઉકેલવાની બાકી રહી છે. 

જાણકારી મુજબ કોઈ પણ વ્યક્તિ, મિલકતનો પ્રોજેક્ટ શરૂ કરે ત્યારે તે મહારેરા હેઠળ નોંધાયેલ હોવું જોઈએ, પરંતુ જેની ફરિયાદ મળી છે તે પ્રોજેક્ટ નોંધાયેલા નથી, ગ્રાહકો લાગતાં અધિકારીને વેબસાઇટ પર ઉપલબ્ધ કડી પર આવા પ્રોજેક્ટ્સ વિશે મહારેરાને જાણ કરી શકે છે. આમ રજિસ્ટર્ડ પ્રોજેક્ટ્સના કેસમાં ઓથોરિટીને કુલ 12079 ફરિયાદો મળી છે. જેમાંથી મહારેરાએ રજિસ્ટર્ડ પ્રોજેક્ટ્સ સામે 8063 ઓર્ડર પાસ કર્યા છે.

જ્યારે કુલ મળીને ઓથોરિટીને 12,834 ફરિયાદો મળી છે અને 8812 ઓર્ડર પાસ થયા છે. આમાં રજીસ્ટર થયેલ તેમજ અન રજિસ્ટર થયેલા બંને પ્રોજેક્ટ સામે ફરિયાદો શામેલ છે. અહીં સમાધાન મંચ પણ કાર્યરત છે. જ્યા ડેવલોપર અને ગ્રાહક વચ્ચે સમાધાન અહીંનીઓથોરિટી દ્વારા કરવામાં આવે છે. જેથી ગ્રાહકો ના પૈસા ડૂબી ના જાય.  આમ બંને પક્ષોની સંમતિથી પ્રાપ્ત કુલ 717 ફરિયાદોમાંથી, 597 સમાધાન પૂર્ણ થયું છે. જ્યારે, 120 કેસોમાં સમાધાનની પ્રક્રિયા ચાલુ છે.

Bank accounts Rule એક વ્યક્તિ પોતાના નામે કેટલા બેંક ખાતા ખોલાવી શકે? જાણી લો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) નો નિયમ
India energy crisis ઊર્જા સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર હવે આ દેશમાંથી થશે LNG ની સપ્લાય, અદાણી પોર્ટ્સને મળ્યો મોટો કોન્ટ્રાક્ટ
Ima Keithel દુનિયાનું અનોખું બજાર મણિપુરના આ માર્કેટમાં પુરુષોને દુકાન ખોલવાની મનાઈ, માત્ર મહિલાઓ જ છે ‘બોસ’!
Crude Oil Price Hike 2026। મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધની ભયાનક અસર; ઇઝરાયેલલેબનોન તણાવ વચ્ચે કાચું તેલ ભડકે બળ્યું, જાણો નવા રેટ
Exit mobile version