Site icon

એક વર્ષથી મુકેશ અંબાણીએ નથી લીધો પગાર; જાણો તેમનું પૅકેજ અહીં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૪ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

દેશમાં કોરોના મહામારીની તીવ્રતાને ધ્યાનમાં રાખીને, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના અધ્યક્ષ મુકેશ અંબાણીએ નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન કોઈ પગાર લીધો ન હતો. જોકેકોરોનાના કપરા કાળમાં પણ મુકેશ અંબાણીની સંપત્તિમાં સતત વધારો થયો છે.

મુકેશ અંબાણી ઘણા સમયથી વાર્ષિક 15 કરોડ રૂપિયાનો પગાર લઈ રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી તેમના પગારમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કંપનીએ બુધવારે જારી કરેલા તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે કોરોના સંકટને કારણે મુકેશ અંબાણીએ પગાર લીધો ન હતો. શૅરધારકોને મોકલવામાં આવેલા પત્રમાં મુકેશ અંબાણીએ કહ્યું છે કે કોરોના મહામારીને કારણે ઘણા લોકોનું જીવન બરબાદ થઈ ગયું છે અને દેશના અર્થતંત્રના સ્વાસ્થ્યને પણ અસર કરી છે.

વેપારીના સમર્થનમાં આગળ આવ્યા મિલિંદ દેવરા; જાણો અહીં વિગત

ઉલ્લેખનીય છે કે રિલાયન્સના શૅરના ભાવમાં વધારાને કારણે છેલ્લા એક અઠવાડિયામાં મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં ૮.૨ અબજ ડૉલર આશરે ૫૨,૬૨૧ કરોડનો વધારો થયો છે. બીજી તરફ કાર્યકારી નિયામક નિખિલ આર. મેસવાણીએ વાર્ષિક રૂ. 24 કરોડનું પૅકેજ લીધું છે અને બીજા ડાયરેક્ટર હિતલ આર. મેસવાણીને પણ વાર્ષિક રૂ. 24 કરોડનું પૅકેજ મળ્યું છે.

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version