Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં ઘઉં અને ખાંડ બાદ હવે ચોખાની નિકાસ પર મુકાશે પ્રતિબંધ- જાણો શું છે કારણ 

Export of Rice: Now because of 'this' rice will become expensive all over the world

Export of Rice: Now because of 'this' rice will become expensive all over the world

News Continuous Bureau | Mumbai

દેશમાં સ્થાનિક સ્તરે ઘઉં(wheat), મેંદો(flour) તથા ખાંડ જેવા ઉત્પાદનોનો ભાવ(Price of products) વધવાને કારણે તેની નિકાસ(Export) પર પ્રતિબંધ આવ્યા બાદ હવે ચોખાની નિકાસ(Rice export) પર પણ પ્રતિબંધ તોળાઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

ભારત સરકાર(Indian Govt) ટૂંક સમયમાં ચોખાની નિકાસ પર અંકુશ લાવવાનો વિચાર કરી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ ખરીફ મોસમમાં(Kharif season) ચોખાનું ઉત્પાદન(Rice production) ઓછું થયું હોવાની ધારણા છે.

ભારત વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસ કરનારો દેશ છે. એટલે કે લગભગ 40 ટકા હિસ્સો ચોખાના નિકાસમાં ધરાવે છે. તેથી જો ચોખાની  નિકાસ પર અંકુશ આવે તો વૈશ્વિક સ્તરે બજારમાં ચોખાના પુરવઠો ખોરવાઈ જવાની શક્યતા છે. આ અગાઉ સરકારે ઘઉં તથા ખાંડની નિકાસ પર પણ નિયંત્રણ લાદ્યા છે.

આ સમાચાર પણ વાંચો : દેશના ટોચના આ બિઝનેસમેને દુબઈમાં દીકરા માટે સૌથી મોંઘા ઘર ની કરી ખરીદી- રહસ્યમય ડીલથી દુનિયા અજાણ

એક ચર્ચા મુજબ દેશના અમુક વિસ્તારમાં વરસાદ ઓછો રહેતો વર્તમાન ખરીફ મોસમમાં ચાખાનું વાવેતર છ ટકા જેટલું નીચું રહ્યું છે. ઉત્તર પ્રદેશ(Uttar Pradesh) તથા બિહારમાં(Bihar) વરસાદ મોસમનો સરેરાશ 40 ટકા જેટલો ઓછો રહ્યો છે.

ભારતની ચોખાની નિકાસમાં 20 ટકા હિસ્સો ધરાવતા ટુકડા ચોખાની નિકાસ અટકાવવાનો વિચાર હોવાનું કહેવાય છે. સ્થાનિક સ્તરે ચોખાના ભાવ(Rice prices) ઊંચા છે. વિદેશી  માંગ અને ચાલુ સીઝનના વાવેતર ઘટવાના અહેવાલ વચ્ચે ચાલુ સપ્તાહમાં જ ચોખાના ભાવ સાત ટકા સુધી વધ્યા છે.
 

Post Office Savings Scheme પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ પત્ની સાથે જોઇન્ટ એકાઉન્ટ ખોલાવો અને દર મહિને 9,250ની ગેરંટીડ કમાણી
IOCL refinery expansion એનર્જી સેક્ટરમાં મોટો ધડાકો ઇન્ડિયન ઓઇલ ₹75,000 કરોડના રોકાણ સાથે વધારશે રિફાઇનિંગ ક્ષમતા
E20 petrol mandate પેટ્રોલ પંપ પર શુદ્ધ પેટ્રોલ કેમ નથી મળી રહ્યું? સરકારનો E20 ફ્યુઅલ અંગે મોટો ખુલાસો..
Commercial Vehicle Policy ઇલેક્ટ્રિક અને હાઇડ્રોજન વાહનોને મોટી રાહત! કોમર્શિયલ વાહનો માટે ૭ વર્ષ સુધી પરમિટની જરૂર નથી, જાણો સરકારનો નવો નિર્ણય
Exit mobile version