Site icon News Continuous Bureau | Mumbai

પોસ્ટ ઓફિસના ખાતાધારકો માટે સારા સમાચાર, શરૂ થવા જઈ રહી છે આ જબરદસ્ત સુવિધાઓ.

 News Continuous Bureau | Mumbai

પોસ્ટ ઓફિસમાં(Post Office) ખાતુ ખોલાવનારા વિભાગે મોટા સમાચાર આપ્યા છે. પોસ્ટ ઓફિસમાં ૧૮ મેથી એન.ઈ.એફ.ટીની(NEFT) સુવિધા શરૂ કરવામાં આવી છે જ્યારે આર.ટી.જી.એસની(RTGS) સુવિધા ૩૧ મેથી શરૂ થશે. જો તમારું એકાઉન્ટ પોસ્ટ ઓફિસમાં છે. તો તમે પોસ્ટ ઓફિસમાં ઈલેક્ટ્રોનિક(Electronic) રીતે ફંડ ટ્રાન્સફર(Fund transfer) કરી શકશો. ખાતા વિભાગે ૧૭ મેના રોજ જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે પોસ્ટ ઓફિસ દ્વારા એન.ઈ.એફ.ટી અને આર.ટી.જી.એસની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. 

Join Our WhatsApp Channel

પરિપત્રના આધારે એન.ઈ.એફ.ટીની સુવિધા ૧૮ મેથી શરૂ થઈ ગઈ છે. તે જ સમયે, આર.ટી.જી.એસની સુવિધા આગામી ૩૧ મે ૨૦૨૨ થી ઉપલબ્ધ થશે. એટલે કે હવે પોસ્ટ ઓફિસના ગ્રાહકોને(Post office customers) પૈસા મોકલવાનો પહેલા કરતા વધુ સરળ બનશે. પરિપત્રમાં(Circular) એવું પણ કહેવામાં આવ્યું હતું કે આર.ટી.જી.એસની સુવિધા અંગે ટ્રાયલ ચાલી રહી છે. આવી સ્થિતિમાં, આશા છે કે આ સુવિધા ૩૧ મે ૨૦૨૨ થી શરૂ થશે. એન.ઈ.એફ.ટી અને આર.ટી.જી.એસથી તમે તમારા ખાતાથી કોઈપણ એકાઉન્ટમાં ઈલેક્ટ્રોનિક રીતે ફંડ ટ્રાન્સફર કરી શકશો. 

આ પૈસા ટ્રાન્સફર(Money transfer) કરવા માટેની ઝડપી પ્રક્રિયા છે. એન.ઈ.એફ.ટીમાં પૈસા ટ્રાન્સફર કરવાની કોઈ મર્યાદા નથી, જ્યારે આર.ટી.જી.એસમાં એક સમયે ઓછામાં ઓછા બે લાખ રૂપિયા મોકલવાના હોય છે. એન.ઈ.એફ.ટી કરતાં આર.ટી.જી.એસમાં નાણાં વધુ ઝડપથી પહોંચે છે. તમને જણાવી દઈએ કે આ સર્વિસ  24×7×365 હશે.  

આ સમાચાર પણ વાંચો :  ના હોય! કોવિડ મહામારીએ દર 30 કલાકે એક નવો અબજોપતિ બનાવ્યો… ઓક્ઝમનો ચોંકાવનારો અહેવાલ… જાણો વિગતે

૧૦,૦૦૦ રૂપિયા સુધીના એન.ઈ.એફ.ટી માટે તમારે ૨.૫૦ રૂપિયા જી.એસ.ટી(GST) ચૂકવવો પડશે. ૧૦ હજારથી એક લાખ રૂપિયા માટે આ ચાર્જ વધીને ૫ રૂપિયા જી.એસ.ટી થઈ ગયો છે. આ સિવાય ૧ લાખ રૂપિયાથી ૨ લાખ રૂપિયા સુધીની રકમ માટે ૧૫ રૂપિયા જી.એસ.ટી અને ૨ લાખથી વધુની રકમ માટે ૨૫ રૂપિયા જી.એસ.ટી ચૂકવવા પડશે.

Tata Group Ownership ટાટા ગ્રુપનો અસલ માલિક કોણ? જાણો ૨૫.૨૯ લાખ કરોડના સામ્રાજ્યને કેવી રીતે ચલાવવામાં આવે છે?
UPI Free UPI ને ફ્રી રાખવા માટે સરકાર લાવી આ બે નવા ફોર્મ્યુલા, જાણો તમારા પર શું પડશે અસર?
Retail Inflation CPI Data આરબીઆઈની ચિંતા વધી, શાકભાજી અને ખાદ્ય ચીજો મોંઘી થઈ! જુલાઈ મહિનામાં ફુગાવાના આંકડામાં મોટો ઉછાળો.
Tata Sons N Chandrasekaran Resignation એજીએમ પહેલાં ટાટા ગ્રુપમાં મોટું સંકટ! ચેરમેન પદેથી એન. ચંદ્રશેખરન હટ્યા, રોકાણકારોમાં ખળભળાટ!
Exit mobile version