Site icon News Continuous Bureau | Mumbai

Nestle Stock Split: આજથી સસ્તો થશે દેશનો આ છઠ્ઠો સૌથી મોંઘો શેર, હવે આ લોકો પણ આરામથી કરી શકશે રોકાણ.. જાણો ક્યો છે આ શેર..

Nestle Stock Split: હવે રિટેલ રોકાણકારો પણ નેસ્લે ઈન્ડિયાના શેરમાં ખૂબ જ સરળતાથી રોકાણ કરી શકશે. કંપનીએ તાજેતરમાં જ તેના સ્ટોકને વિભાજીત કરવાની જાહેરાત કરી હતી.

Nestle Stock Split This sixth most expensive share of the country will become cheaper from today, now even these people can invest comfortably..

Nestle Stock Split This sixth most expensive share of the country will become cheaper from today, now even these people can invest comfortably..

News Continuous Bureau | Mumbai

Nestle Stock Split: ભારતના સૌથી મોંઘા શેરોમાંના ( Stock  ) એક નેસ્લે ઈન્ડિયાની ( Nestle India ) કિંમત આજથી સસ્તી થઈ ગઈ છે. હવે રિટેલ રોકાણકારો પણ આ શેરમાં ખૂબ જ સરળતાથી રોકાણ કરી શકશે. કંપનીએ તાજેતરમાં જ તેના સ્ટોકને વિભાજીત ( Stock Split )  કરવાની જાહેરાત કરી હતી. નેસ્લેના સ્ટોક વિભાજન માટેની રેકોર્ડ તારીખ 5 જાન્યુઆરી, 2024 આજની નક્કી કરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

પ્રાપ્ત માહિતી મુજબ, હાલમાં નેસ્લે ઈન્ડિયાના એક શેરની કિંમત રૂ. 27,116.40 છે. ગુરુવારે, 4 જાન્યુઆરીએ, વિભાજનની રેકોર્ડ તારીખના એક દિવસ પહેલા, નેસ્લે ઈન્ડિયાના શેર્સ NSE પર 1.81 ટકા ઉછળીને તેની નવી 52-અઠવાડિયાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. શેરની કિંમતના ( share price ) સંદર્ભમાં, અત્યાર સુધી નેસ્લે ઇન્ડિયા ભારતમાં છઠ્ઠો સૌથી મોંઘો શેર હતો. માત્ર MRF લિમિટેડ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, હનીવેલ ઓટોમેશન, 3M ઈન્ડિયા અને શ્રી સિમેન્ટ પાસે નેસ્લે ઈન્ડિયા કરતાં વધુ મોંઘા શેરો છે.

FMCG સેગમેન્ટની દિગ્ગજ કંપની નેસ્લે ઇન્ડિયાએ 19 ડિસેમ્બરે સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી હતી..

અહેવાલ મુજબ, FMCG સેગમેન્ટની ( FMCG segment ) દિગ્ગજ કંપની નેસ્લે ઇન્ડિયાએ 19 ડિસેમ્બરે સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી હતી. તે દિવસે શેર 5 ટકાથી વધુ ઉછળ્યો હતો અને રૂ. 25,700ને પાર કરી ગયો હતો. ત્યારથી નેસ્લે ઈન્ડિયાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કંપનીના બોર્ડે અગાઉ ઓક્ટોબરમાં શેરના વિભાજનની દરખાસ્તને મંજૂરી આપી હતી. નેસ્લે ઈન્ડિયાના શેરનું આ પ્રથમ વિભાજન છે.

આ સમાચાર પણ વાંચો :  IIT Bombay Placement : રેકોડ બ્રેક! IIT બોમ્બેના વિદ્યાર્થીઓની લાગી લોટરી.. એક, બે નહીં આટલાથી વધુ વિર્ધાર્થીઓને મળી વાર્ષિક 1 કરોડ રુપિયાની જોબ ઓફર

મળતી માહિતી અનુસાર, નેસ્લે ઈન્ડિયાના શેર 1:10ના રેશિયોમાં વિભાજિત થઈ રહ્યા છે. આનો અર્થ એ થયો કે રેકોર્ડ ડેટ સુધી નેસ્લે ઇન્ડિયાનો એક શેર ધરાવતા શેરધારકો પાસે હવે 10 શેર હશે. તેનાથી નેસ્લે ઈન્ડિયાના જારી અને બાકી શેરોની સંખ્યામાં વધારો થશે. જે આખરે લિક્વિડિટી વધારવામાં મદદરૂપ સાબિત થશે. જો કે, આનાથી કંપનીના એમકેપ અથવા શેરના કુલ મૂલ્યમાં કોઈ ફરક પડશે નહીં.

એક રિપોર્ટ મુજબ, હાલમાં, ભારતીય શેરબજારમાં ( Indian stock market ) કોઈપણ શેરમાં રોકાણ કરવા માટે, વ્યક્તિએ ઓછામાં ઓછો એક શેર ખરીદવો પડશે. હાલમાં ભારતીય બજારમાં અમેરિકન બજારની જેમ અપૂર્ણાંક શેરોની ખરીદી અને વેચાણ થઈ રહ્યું નથી. આ કારણે ભારતીય બજારના મોંઘા શેર રિટેલ રોકાણકારોની ( retail investors ) પહોંચની બહાર થઈ ગયા છે. ઉદાહરણ તરીકે – નેસ્લે ઈન્ડિયાના એક શેરની કિંમત હાલમાં 27 હજાર રૂપિયાથી વધુ છે. ભારતના સૌથી મોંઘા સ્ટોક એમઆરએફની કિંમત આશરે રૂ. 1.30 લાખ છે. આવી સ્થિતિમાં રિટેલ રોકાણકારો આ શેર્સથી અંતર જાળવી રાખે છે. નેસ્લે ઈન્ડિયાને સ્ટોક સ્પ્લિટ પછી ઉચ્ચ રિટેલ ભાગીદારીથી ફાયદો થવાની અપેક્ષા છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Commercial Vehicle Policy ઇલેક્ટ્રિક અને હાઇડ્રોજન વાહનોને મોટી રાહત! કોમર્શિયલ વાહનો માટે ૭ વર્ષ સુધી પરમિટની જરૂર નથી, જાણો સરકારનો નવો નિર્ણય
UPI New AI Feature હવે AI દ્વારા થશે UPI પેમેન્ટ! NPCI નું નવું ફીચર, યુઝર્સ માટે ડિજિટલ લેવડદેવડ બનશે વધુ સરળ
New TRAI Regulations TRAI નો નવો નિયમ, હવે સ્પામ કોલ બ્લોક નહીં કરી શકે ટ્રૂકોલર? કંપનીએ સાયબર ફ્રોડ વધવાની આપી ચેતવણી
RBI Update on Rs 2000 Note શું તમારી પાસે હજુ પણ ૨૦૦૦ ની નોટ છે? જાણો શું છે લેટેસ્ટ નિયમો અને છેલ્લી તારીખ
Exit mobile version