Site icon

તૈયાર રહેજો- 1 નવેમ્બરથી મધ્યમ વર્ગના લોકો પર થશે મોટી અસર- ગેસ સિલિન્ડરની કિંમત સહિત આ નિયમોમાં થશે ફેરફાર

Mutual funds, PNB ATM charge, GST: New rules from May 1 that impact your budget

નવો મહિનો નવા નિયમ.. LPGથી લઈને GST સુધીના આ 5 મોટા નિયમો આજથી બદલાઈ ગયા, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર..

News Continuous Bureau | Mumbai

વર્ષ 2022ના 10 મહિના પૂરા થવામાં હવે માત્ર 2 દિવસ બાકી છે અને નવેમ્બરનો 11મો મહિનો શરૂ થવાનો છે. દરેક નવા મહિનાની શરૂઆતમાં, કેટલાક નવા ફેરફારો આવે છે જેના વિશે અમે તમને સમયાંતરે જાણ કરતા રહીએ છીએ. આ સમયે કેટલાક આર્થિક ફેરફારો થવાના છે જેની સીધી અસર તમારા પર પડી શકે છે. 

Join Our WhatsApp Community

એલપીજીના ભાવમાં વધારો શક્ય છે

દર મહિનાની પહેલી તારીખે, એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવે છે અને ઘટાડો અથવા વધારો જાહેર કરવામાં આવે છે. આ વખતે પણ 1 નવેમ્બરના રોજ રસોઈ ગેસ અને કોમર્શિયલ ગેસ બંનેના નવા ભાવ જાહેર થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો હોવાથી માનવામાં આવી રહ્યું છે કે આ વખતે પહેલી તારીખે LPG સિલિન્ડરની કિંમતોમાં વધારો થઈ શકે છે.  

આ સમાચાર પણ વાંચો : ભારે કરી- પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે વરરાજા અને દુલ્હન બાઇક લઇ ગાડી પરથી કૂદ્યા- જુઓ વાયરલ વિડીયો 

1 નવેમ્બરથી આરોગ્ય અને સામાન્ય વીમાના દાવા માટે KYC ફરજિયા

ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) 1 નવેમ્બરથી વીમા કંપનીઓ માટે KYC (નો યોર કસ્ટમર) વિગતો પ્રદાન કરવાનું ફરજિયાત બનાવી શકે છે. હાલમાં, નોન-લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે KYC વિગતો આપવી સ્વૈચ્છિક છે જે 1 નવેમ્બરથી ફરજિયાત બનાવવામાં આવી શકે છે. કેવાયસી સંબંધિત નિયમો નવા અને જૂના બંને ગ્રાહકો માટે ફરજિયાત બનાવી શકાય છે. આ હેઠળ, જો તમે વીમા દાવો કરતી વખતે KYC દસ્તાવેજો રજૂ ન કરો, તો તમારો દાવો નકારી શકાય છે.

1 નવેમ્બરથી દિલ્હીમાં વીજળી સબસિડી સંબંધિત આ ફેરફારો 

રાજધાની દિલ્હીમાં જેમણે વીજળી સબસિડી માટે નોંધણી કરાવી નથી તેમને પહેલી તારીખથી વીજળી સબસિડી મળવાનું બંધ થઈ શકે છે. હવે દિલ્હીના લોકો માટે એક મહિનામાં 200 યુનિટ સુધીની મફત વીજળી માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બની ગયું છે, જે લોકોએ 31 ઓક્ટોબર સુધી પોતાનું રજિસ્ટ્રેશન નથી કરાવ્યું, તે લોકો ઓક્ટોબરથી વીજળી સબસિડીથી વંચિત રહી શકે છે. તો તમારે પણ આ કામ 31મી ઓક્ટોબર સુધીમાં કરી લેવું જોઈએ.

ભારતીય રેલવેનું નવું ટાઈમ ટેબલ
1 નવેમ્બરથી ભારતીય રેલ્વેના નવા ટાઈમ ટેબલ મુજબ હજારો ટ્રેનોનું ટાઈમ ટેબલ બદલાઈ જશે, તેથી જો તમે 1 નવેમ્બર કે પછી મુસાફરી કરી રહ્યા હોવ તો પ્રવાસ પર નીકળતા પહેલા ટ્રેનનો સમય ચોક્કસ તપાસો. પહેલા આ ફેરફારો 1 ઓક્ટોબરથી લાગુ થવા જઈ રહ્યા હતા, પરંતુ હવે તે 1 નવેમ્બરથી લાગુ થશે, જે અંતર્ગત દેશમાં ચાલતી રાજધાનીઓના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : બિલાડીને ન તો મળી રહ્યો બહાર નીકળવાનો રસ્તો – પછી સસલાએ કઈંક આ રીતે કરી તેની મદદ -જુઓ ક્યૂટ વિડીયો

બેંક ઓફ બરોડાના ગ્રાહકોએ આપવો પડશે વધુ ચાર્જ

જો તમે બેંક ઓફ બરોડાના કસ્ટમર છો તો તમારી પાસેથી 1 નવેમ્બર થી વિશેષ ચાર્જ લેવામાં આવશે. આવતા મહિનાથી, તમારે બેંકમાં પૈસા જમા કરવા અથવા ઉપાડવા માટે ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ મર્યાદાથી વધુ રકમ ઉપાડવા અથવા જમા કરાવવા પર લાગુ થશે. ગ્રાહકો 3 વખત સુધી ફ્રીમાં પૈસા જમા કરાવી શકશે, પરંતુ તે પછી તેમણે 40 રૂપિયા ચૂકવવા પડશે. જોકે આ નિયમ જનધન ખાતા ધારકો પર લાગુ થશે નહીં. આ સિવાય પૈસા ઉપાડવા પર 100 રૂપિયા આપવા પડશે.

India Puts Trade Deal: ટ્રમ્પને ભારતનો આંચકો! વેપાર કરાર પર સહી કરવાનો ઈનકાર; ટેરિફના જંગમાં ભારતે અપનાવ્યું કડક વલણ
LPG Import India Shivalik Ship: ભારતના ગેસ સંકટનો આવશે અંત! ૪૬,૦૦૦ મેટ્રિક ટન LPG ભરેલું જહાજ ‘શિવાલિક’ બંદર પર પહોંચ્યું; જાણો આનાથી કેટલા કરોડ સિલિન્ડર ભરાશે.
Gold Rate Today: સોનાના ભાવમાં ₹૧,૮૦૦નો મસમોટો ઘટાડો, ચાંદી પણ સસ્તી થઈ; યુદ્ધ વચ્ચે કેમ ઘટ્યા ભાવ? વાંચો સંપૂર્ણ વિશ્લેષણ
Jag Laadki Ship India Return: સમુદ્રમાં જયશંકરનો જાદુ! ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનું તેલ જહાજ સુરક્ષિત રવાના, ભારતીય નૌસેનાની દેખરેખ હેઠળ મિશન ‘જગ લાડકી’ શરૂ
Exit mobile version