Site icon

હવે આ વેપારી સંગઠને કરી માગણી; કહ્યું થયેલા નુકસાનનું વળતર આપે સરકાર,જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૮ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ ‘કૈટ’એ લૉકડાઉન દરમિયાન બંધ રહેલી દુકાનોમાં માલને થયેલા નુકસાન માટે દુકાનદારોને વળતર આપવાની માગ સરકાર પાસે કરી છે. ‘કૈટ’ના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્યવેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે દુકાનો બંધ હતી એ સમયમાં ઘણો માલ ઉંદરો કાતરી ગયા છે તો અમુકની મુદત પૂરી થઈ ગઈ છે.

જો સરકાર વાવાઝોડાને થયેલા નુકસાન બદલ અસરગ્રસ્તોને વળતર આપે છે તો એ પ્રમાણે વેપારીઓને પણ પંચનામું કરી થયેલા નુકસાન માટે વળતર ચૂકવવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે હાલ વેપારીઓ પાસે નવો માલ ખરીદવા માટે મૂડી નથી. બૅન્કના હપતા ચૂક્વવા પણ ભારે પડે છે. આ સંજોગોમાં અનેક દુકાનો બંધ થવાને આરે ઊભી છે. જો એમ થશે તો અનેક લોકો પોતાનો રોજગાર ગુમાવશે.

બેસ્ટની બસમાં સીટ પ્રમાણે જ મુસાફરો, લાઇનમાં ઊભા રહેલા મુસાફરો થાકી ગયા, બસસ્ટૉપ ઉપર બસ ઊભી જ ન રહી

ઉલ્લેખનીય છે કે તેમના મતે દુકાનદારો લાઇસન્સ ફી ભરતા હોવાથી વળતર ચૂકવવાની જવાબદારી સરકારની છે. વેપારીઓને ફ્રન્ટ લાઇન વર્કરનો દરજ્જો આપી તેમને રસીમાં પણ પ્રાથમિકતા આપવાની માગણી તેમણે કરી છે. થાણે અને નવી મુંબઈ પાલિકાની હદમાં આખો દિવસ દુકાનો ખૂલી રાખવાની પરવાનગી મળતાં કૈટના મહાનગર મહામંત્રી તરુણ જેને સરકારનો આભાર માન્યો હતો.

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version