Site icon

હવે આ વેપારી સંગઠને કરી માગણી; કહ્યું થયેલા નુકસાનનું વળતર આપે સરકાર,જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૮ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ ‘કૈટ’એ લૉકડાઉન દરમિયાન બંધ રહેલી દુકાનોમાં માલને થયેલા નુકસાન માટે દુકાનદારોને વળતર આપવાની માગ સરકાર પાસે કરી છે. ‘કૈટ’ના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્યવેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે દુકાનો બંધ હતી એ સમયમાં ઘણો માલ ઉંદરો કાતરી ગયા છે તો અમુકની મુદત પૂરી થઈ ગઈ છે.

જો સરકાર વાવાઝોડાને થયેલા નુકસાન બદલ અસરગ્રસ્તોને વળતર આપે છે તો એ પ્રમાણે વેપારીઓને પણ પંચનામું કરી થયેલા નુકસાન માટે વળતર ચૂકવવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે હાલ વેપારીઓ પાસે નવો માલ ખરીદવા માટે મૂડી નથી. બૅન્કના હપતા ચૂક્વવા પણ ભારે પડે છે. આ સંજોગોમાં અનેક દુકાનો બંધ થવાને આરે ઊભી છે. જો એમ થશે તો અનેક લોકો પોતાનો રોજગાર ગુમાવશે.

બેસ્ટની બસમાં સીટ પ્રમાણે જ મુસાફરો, લાઇનમાં ઊભા રહેલા મુસાફરો થાકી ગયા, બસસ્ટૉપ ઉપર બસ ઊભી જ ન રહી

ઉલ્લેખનીય છે કે તેમના મતે દુકાનદારો લાઇસન્સ ફી ભરતા હોવાથી વળતર ચૂકવવાની જવાબદારી સરકારની છે. વેપારીઓને ફ્રન્ટ લાઇન વર્કરનો દરજ્જો આપી તેમને રસીમાં પણ પ્રાથમિકતા આપવાની માગણી તેમણે કરી છે. થાણે અને નવી મુંબઈ પાલિકાની હદમાં આખો દિવસ દુકાનો ખૂલી રાખવાની પરવાનગી મળતાં કૈટના મહાનગર મહામંત્રી તરુણ જેને સરકારનો આભાર માન્યો હતો.

Gold Rates Crash Amid US-Iran Conflict: સોનાના ભાવમાં કડાકો! ઈરાન-અમેરિકા જંગ વચ્ચે બજારમાં મોટો ઉલટફેર; ચાંદી પણ થઈ નરમ, જુઓ આજનું પ્રાઇસ લિસ્ટ
Russia India Oil Deal: ઈરાન જંગ વચ્ચે રશિયા-ભારત વચ્ચે મોટી ડીલ, ૯૫ લાખ બેરલ તેલ મોકલશે પુતિન; જાણો કેવી રીતે ભારતને થશે ફાયદો..
Dubai Economy & Iran War: ઈરાનના હુમલાની દુબઈ પર શું થશે અસર? રિયલ એસ્ટેટ, ટુરિઝમ અને એરલાઈન્સ પર યુદ્ધની સીધી આંચ; જાણો વિગતવાર અહેવાલ
Gold and Silver Prices Skyrocket Amid Iran-US War: સોનું ખરીદતા પહેલા આ વાંચી લેજો! યુદ્ધના કારણે કિંમતોએ તોડ્યા તમામ રેકોર્ડ, ચાંદીમાં પણ ધરખમ ઉછાળો; જુઓ આજનો ભાવ વધારો
Exit mobile version