Site icon News Continuous Bureau | Mumbai

Onion price : ડુંગળી હવે રડાવશે, કેન્દ્ર સરકારના એક નિર્ણયથી ભાવમાં થઈ શકે છે વધારો..

Onion price : મધ્યમવર્ગ પરિવારની થાળીમાંથી ફરી એકવાર ડુંગળી ગાયબ થઇ જશે. જેનું કારણ છે ડુંગળીની કિંમતમાં ભાવવધારો. આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. મળતી માહિતી મુજબ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે 1 માર્ચના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં કેન્દ્ર સરકારે નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ (NCEL) દ્વારા બાંગ્લાદેશમાં 50 હજાર ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે. જે બાદ શનિવારે શાકભાજી માર્કેટમાં ડુંગળીના ભાવમાં અચાનક વધારો થયો હતો.

- Onion price India permits 64,400 tonnes of onion exports to UAE, Bangladesh

- Onion price India permits 64,400 tonnes of onion exports to UAE, Bangladesh

News Continuous Bureau | Mumbai 

Onion price : દેશમાં કેટલાક સમયથી ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના  ભાવ ( Onion price )  સ્થિર હતા પરંતુ લસણના ભાવમાં વધારો સામાન્ય જનતાને રડાવી રહ્યો છે. જો કે, ગયા સપ્તાહથી ડુંગળીના ભાવ પણ વધવા લાગ્યા છે અને દિલ્હી ( Delhi ) ની આઝાદપુર મંડીમાં ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 16-24 રૂપિયા પ્રતિ કિલોની રેન્જમાં મળતી ડુંગળી આ શનિવારથી આઝાદપુર મંડીમાં 17-27 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાવા લાગી છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારે ( Central govt ) ડુંગળીને લઈને એક નિર્ણય લીધો છે જેના કારણે તેની કિંમતો વધી રહી છે. એટલું જ નહીં તેની કિંમતો વધુ વધે તેવી પૂરી સંભાવના છે.

Join Our WhatsApp Community

મોદી સરકારે 64,400 ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે

મોદી સરકારે ડુંગળીની નિકાસને લઈને એક મોટો નિર્ણય લીધો છે. સરકારે નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ (NCEL) દ્વારા UAE અને બાંગ્લાદેશમાં 64,400 ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. આ નિર્ણય હેઠળ બાંગ્લાદેશમાં 50 હજાર ટન ડુંગળીની નિકાસ કરવામાં આવશે. જ્યારે 14,400 ટન ડુંગળીની UAEમાં નિકાસ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર વતી વાણિજ્ય મંત્રાલયે આ માટે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.

ડીજીએફટીએ નોટિફિકેશન જારી કરીને આપી આ માહિતી 

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ અથવા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ  એટલે કે ડીજીએફટીએ  એ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં કહેવાયુ છે કે UAE માટે 14,400 ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ દ્વારા દર ત્રિમાસિકમાં 3600 ટન ડુંગળીની નિકાસની મર્યાદા લાદવામાં આવી છે. જણાવી દઈએ કે ડીજીએફટી એ વાણિજ્ય મંત્રાલયની એક શાખા છે, જે નિકાસ અને આયાત સંબંધિત ધોરણો સાથે સંકળાયેલી છે.

આ સમાચાર પણ વાંચો : બોરિવલીમાં ઓનલાઈન કામના નામે 28 વર્ષીય યુવકે કરી આટલા લાખ રુપિયાની છેતપિંડી, પોલીસે કરી ધરપકડ..

 સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો  

સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા બાદ ગયા વર્ષે ડુંગળીની નિકાસ પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2023 થી માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારબાદ વિશ્વના ઘણા દેશોમાં ડુંગળીના પુરવઠાની કટોકટી સર્જાઈ છે. આ પછી, સરકારે ફેબ્રુઆરીમાં ડુંગળીની નિકાસ પરના નિયંત્રણોમાં મર્યાદિત છૂટ આપી હતી. ફેબ્રુઆરીના અંતમાં સરકારે પડોશી દેશો બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ અને ભૂટાનમાં ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી હતી. આ ઉપરાંત કેટલાક અન્ય દેશોને પણ ડુંગળીની નિકાસ કરવાની પરવાનગી મળી છે, જેમાં મોરેશિયસ અને બહેરીન વગેરેનો સમાવેશ થાય છે.

Gold Price Today: સસ્તું થવાને બદલે સોનું થયું મોંઘું! સતત બીજા દિવસે ભાવમાં જંગી વધારો, જાણો 22 અને 24 કેરેટના આજના ભાવ.
Stock Market Live: શેરબજારમાં રોકાણકારોની લાગી લોટરી! સેન્સેક્સ 78,000 ની ઐતિહાસિક સપાટીએ, સંપત્તિમાં જંગી વધારો.
Samrat Chaudhary to create history: બિહારમાં ‘સમ્રાટ’ યુગની શરૂઆત: મુખ્યમંત્રી બનતાની સાથે જ નોંધાશે એવો રેકોર્ડ જે દાયકાઓથી અકબંધ હતો.
Iran-US War: ઈરાન-અમેરિકા સંકટ વચ્ચે ભારત બન્યું ‘શાંતિ દૂત’: સર્જિયો ગોરના નિવેદનથી વૈશ્વિક રાજનીતિમાં ગરમાવો
Exit mobile version