Site icon News Continuous Bureau | Mumbai

Onion Prices : ડુંગળીના ભાવ હવે વાણિજ્ય મંત્રાલય દ્વારા સીધા નક્કી કરવામાં આવશે, નાફેડ અને NCCF સત્તાઓ સ્થગિત..

Onion Prices : નાફેડ અને એનસીસીએફ ડુંગળીના ભાવ બજાર સમિતિ કરતા ઓછા આપતા હોવાથી ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી. ડુંગળીના આ જ મુદ્દાને કારણે લોકસભાની ચૂંટણીમાં પણ મહાયુતિને મોટો ફટકો પડ્યો હતો. નાફેડ અને એનસીસીએફ દ્વારા કેન્દ્ર સરકાર પાસેથી ડુંગળીની ખરીદી કરવામાં આવે છે. અગાઉ NCCF અને NAFED દ્વારા ડુંગળીના ભાવ નક્કી કરવામાં આવતા હતા.

Onion prices will now be fixed directly by the Ministry of Commerce, NAFED and NCCF powers suspended

Onion prices will now be fixed directly by the Ministry of Commerce, NAFED and NCCF powers suspended

News Continuous Bureau | Mumbai 

Onion Prices  : મુંબઈ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીના ડિરેક્ટર જયદત્ત હોલકરે એક નિવેદન આપતા હતું કે,  કેન્દ્ર સરકાર હવે ડુંગળીના મુદ્દાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી રહી છે, જે લોકસભાની ચૂંટણીમાં હારનું કારણ બન્યું હતું . ડુંગળીના સંદર્ભમાં નાફેડ અને એનસીસીએફની સત્તાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.  તેથી  હવે વાણિજ્ય મંત્રાલય ( Commerce Ministry ) ડુંગળીના ભાવ સીધા નક્કી કરશે. 

Join Our WhatsApp Channel

નાફેડ અને એનસીસીએફ ડુંગળીના (  Onion  ) ભાવ બજાર સમિતિ કરતા ઓછા આપતા હોવાથી ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી. ડુંગળીના આ જ મુદ્દાને કારણે લોકસભાની ચૂંટણીમાં ( Lok Sabha Elections ) પણ મહાયુતિને મોટો ફટકો પડ્યો હતો. નાફેડ અને એનસીસીએફ દ્વારા કેન્દ્ર સરકાર ( Central Government )  પાસેથી ડુંગળીની ખરીદી કરવામાં આવે છે. અગાઉ NCCF અને NAFED દ્વારા ડુંગળીના ભાવ નક્કી કરવામાં આવતા હતા. જેમાં હવે જ્યાં સુધી નાફેડ બજાર સમિતિમાંથી કાંદાની ખરીદી નહીં કરે ત્યાં સુધી વેપારીઓ અને નાફેડ વચ્ચે કોઈ સ્પર્ધા નહીં થાય. ત્યાં સુધી ભાવ નહીં મળે એવી રોષ ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો.

Onion Prices : ભાવમાં સતત ઉતાર-ચઢાવના કારણે ખેડૂતોને મોટો ફટકો પડી રહ્યો છે..

દેશમાં દર વર્ષે ડુંગળીના ભાવ આસમાને પહોંચી જાય છે. ભાવમાં સતત ઉતાર-ચઢાવના કારણે ખેડૂતોને મોટો ફટકો પડી રહ્યો છે, ક્યારેક વરસાદી કટોકટી તો ક્યારેક વાવાઝોડાનું સંકટ આવવાને કારણે પણ ખેડૂતોને મોટો આંચકો લાગે છે.  દરમિયાન, સરકારની નીતિ પણ ડુંગળીના ખેડૂતોને સખત માર મારી રહી છે. જ્યારે ડુંગળીના ભાવ વધે છે, ત્યારે સરકાર નિકાસ પર પ્રતિબંધ મૂકે છે. પરિણામે ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થાય છે. જેના કારણે ખેડૂતોને ભારે ફટકો પડી રહ્યો છે. આ વર્ષે પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી.

આ સમાચાર  પણ વાંચો :  Mukesh Patel: હજીરા ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલના હસ્તે AMNS કંપનીના CSR ફંડમાંથી ચોર્યાસી તાલુકાના સુવાલી અને હજીરા ગામમાં વિવિધ કામોનું ખાતમુર્હુત-લોકાર્પણ

આ વર્ષે કેન્દ્ર સરકારે પાંચ લાખ ટન ડુંગળી ખરીદવાની જાહેરાત કરી હતી. આ ડુંગળી નાફેડ અને એનસીસીએફ દ્વારા ખરીદવામાં આવી હતી. ડુંગળીના ભાવ NAFED અને NCCF દ્વારા નક્કી કરવામાં આવતી હતી. જો કે, હવે ડુંગળીના ભાવ નક્કી કરવાનો અધિકાર ગ્રાહક સુરક્ષા મંત્રાલય પાસે  હોવાથી.  નાફેડ અને એનસીસીએફ દ્વારા ડુંગળી ખરીદતી વખતે જે ભાવ દરરોજ જાહેર કરવામાં આવતા હતા તે હવે દર આઠ દિવસે જાહેર કરવામાં આવશે. આ દર દિલ્હીના કન્ઝ્યુમર પ્રોટેક્શન ડિરેક્ટોરેટ દ્વારા નક્કી કરવામાં આવશે. 

તેથી નાફેડ અને એનસીસીએફના દર બજાર સમિતિમાં ઉપલબ્ધ દર કરતા ઓછા હશે. ખેડૂતોએ નાફેડને ડુંગળી આપવાનું બંધ કરી દીધું છે. તેથી નાફેડ અને એનસીસીએફ ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદવા માંગતા હોય તો તેમને લઘુત્તમ 4000 રૂપિયાનો દર ચૂકવવો પડશે.

 

Foreign Assets Disclosure Scheme બ્લેક મની પર સરકારની નજર વિદેશી અસ્કયામતો માટે 1 આ તારીખ થી ખુલશે ખાસ ‘ડિસ્ક્લોઝર વિન્ડો’
PM Modi on US Iran Deal અમેરિકાઈરાન શાંતિ કરાર પર વડાપ્રધાન મોદીનું ટ્વીટ ‘આ સમજૂતીથી વિશ્વમાં શાંતિ અને સ્થિરતા બહાલ થશે’
Safety Advisory for Indian Seafarers ભારત સરકારનું કડક પગલું હોર્મુઝ સંકટ વચ્ચે ભારતીય નાવિકોની સુરક્ષા માટે નવી ભરતી સ્થગિત
Minting Coins in India ભારતમાં સિક્કાઓનું ઉત્પાદન કઈ જગ્યાએ બને છે સિક્કા અને કેવી રીતે ઓળખવા ટંકશાળનું નિશાન? જાણો
Exit mobile version