Site icon News Continuous Bureau | Mumbai

Paytm Share: RBI ની કાર્યવાહી બાદ પણ Paytm ને મળી શકે છે રાહત, હવે આ બ્રોકરેજ ફર્મે કર્યો દાવો.. Paytm નો શેર આટલા રુપિયાને કરશે પાર.

Paytm Share: 31 જાન્યુઆરીએ આરબીઆઈ દ્વારા Paytm પર કરવામાં આવેલ કાર્યવાહી બાદ Paytmના શેરમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે હવે એક બ્રોકરેજ ફર્મે Paytm શેરની સ્થિતિ હજી પણ સુધરી શકે છે. તેવો દાવો કર્યો છે.

Paytm Share Paytm may get relief even after RBI's action, now this brokerage firm has claimed - Paytm's share will cross Rs

Paytm Share Paytm may get relief even after RBI's action, now this brokerage firm has claimed - Paytm's share will cross Rs

News Continuous Bureau | Mumbai

Paytm Share: રિઝર્વ બેંક દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી બાદ Paytmના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 અઠવાડિયા દરમિયાન કેટલાક પ્રસંગોને બાદ કરતાં, Paytmના શેર લગભગ દરેક સત્રમાં નીચલી સર્કિટ પર ચાલી રહ્યો હતો. જોકે, આ પછી પણ એક બ્રોકરેજ ફર્મ ( brokerage firm ) પેટીએમના શેરમાં પુનરાગમનનો અવકાશ જોઈ રહી છે.

Join Our WhatsApp Channel

એક અહેવાલ મુજબ, બ્રોકરેજ ફર્મ બર્નસ્ટીને ( Bernstein ) Paytmની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશન્સના ( One97 Communications ) શેરને રૂ. 600નો ટાર્ગેટ આપ્યો છે. છેલ્લા સત્રમાં એટલે કે શુક્રવારે, 16 ફેબ્રુઆરીએ, Paytmના શેરમાં 5 ટકાના ઉછાળા સાથે રૂ. 341.30ના સ્તરે બંધ થયો હતો. તેનો અર્થ એ કે બર્નસ્ટીન વર્તમાન સ્તરેથી Paytm શેરમાં 75 ટકાથી વધુ રિકવરીનો અવકાશ જુએ છે.

 આરબીઆઈની કાર્યવાહી બાદ પેટીએમના શેરમાં અત્યાર સુધીમાં 140 ટકાનો ઘટાડો થયો છે…

ઉલ્લેખનીય છે કે, 31 જાન્યુઆરીના રોજ, રિઝર્વ બેંકે Paytm પેમેન્ટ્સ બેંક, Paytm ના બેંકિંગ યુનિટ સામે કાર્યવાહી કરી હતી. તેમજ તે દિવસે બજાર બંધ થયા બાદ આરબીઆઈએ આ કાર્યવાહીની જાણકારી આપી હતી. તે પછી, 1 ફેબ્રુઆરીએ બજેટના દિવસે બજાર ખુલતાની સાથે જ Paytmના શેરમાં 20 ટકાનો ઘટાડો થયો હતો.

જો કે, 31 જાન્યુઆરીએ બજાર બંધ થયા બાદ પેટીએમના ( Indian Stock market ) શેર 761.20 રૂપિયા પર હતા. એટલે કે આરબીઆઈની કાર્યવાહી પહેલા પેટીએમના એક શેરની કિંમત 761.20 રૂપિયા હતી. તેમજ શુક્રવારે ઉપલી સર્કિટ પહેલા, Paytm શેર રૂ.318.05ના નવા ઓલ-ટાઇમ નીચા સ્તરે આવી ગયો હતો. એટલે કે આરબીઆઈની કાર્યવાહી બાદ પેટીએમના શેરમાં અત્યાર સુધીમાં 140 ટકાનો ઘટાડો થયો છે.

આ સમાચાર પણ વાંચો : Amit Shah: ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં અમિત શાહે વિપક્ષ પર સાધ્યું નિશાન, કહ્યું ચાર પેઢી સુધી નેતા બદલાતા નથી, તો દેશ કેવી રીતે..

દરમિયાન બર્નસ્ટીન ફર્મનું માનવું છે કે, આરબીઆઈની કાર્યવાહી માત્ર પેટીએમ પેમેન્ટ બેંક એટલે કે પેટીએમના બેંકિંગ યુનિટ પર છે. આવી સ્થિતિમાં, Paytmના બાકીના વ્યવસાય પર કોઈ અસર પડશે નહીં. RBI તરફથી મળેલા 15-દિવસના એક્સટેન્શન અંગે, બ્રોકરેજ ફર્મને લાગે છે કે આનાથી પેટીએમને નિયમનકારી અનુપાલન માટે વધારાનો સમય મળશે.

નોંધનીય છે કે, 31 જાન્યુઆરીના રોજ કરવામાં આવેલી કાર્યવાહીમાં આરબીઆઈએ Paytm વોલેટથી લઈને બેંક એકાઉન્ટ વગેરે સુધીની વિવિધ સેવાઓ માટે 29 ફેબ્રુઆરીની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી હતી. જેમાં હવે રિઝર્વ બેંકે સમયમર્યાદા વધારીને 15 માર્ચ કરી છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

MetaCRED Strategic Deal ક્રેડમેટા ડીલ ડેટાની લાલચ નહીં, પણ બીજું કંઈક! ₹૮,૫૫૦ કરોડ રોકાણ પાછળની જુકરબર્ગની ગણતરી.
WhatsApp Leadership Update મેટામાં મોટો ફેરબદલ; કુણાલ શાહ બન્યા વ્હોટ્સએપના નવા ગ્લોબલ હેડ
IndiaUS Trade Deal ભારતઅમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર વાતચીત તેજ; બીટીએ (BTA) ના પ્રથમ તબક્કાનો માર્ગ મોકળો
India Sugar Export Block મીઠાશ પર મોંઘવારીનું ગ્રહણ? જાણો કેવી રીતે અલનીનો અને ઇથેનોલ પોલિસી ભારતના ખાંડ વેપારની કમર તોડશે
Exit mobile version