Site icon

Ratan Tata successors: રતન ટાટા પછી ટાટા ગ્રુપ કોણ સંભાળશે? જાણો હજારો કરોડના સામ્રાજ્યની કમાન કોણ સંભાળી શકે છે…

Ratan Tata successors: ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન પદ્મ વિભૂષણ રતન ટાટાએ ભારતીય વેપાર ક્ષેત્રે દેશ પર અમીટ છાપ છોડી છે. રતન ટાટાનું બુધવારે રાત્રે નિધન થયું હતું. તેઓ 86 વર્ષના હતા. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ટાટા ગ્રુપની સંપત્તિ અંદાજે 3800 કરોડ રૂપિયા છે. હવે મોટો પ્રશ્ન એ છે કે તેના વિશાળ સામ્રાજ્યનો ઉત્તરાધિકારી કોણ હશે?

Ratan Tata successors Ratan Tata passes away at 86; meet his successors, the next-gen Tata scions

Ratan Tata successors Ratan Tata passes away at 86; meet his successors, the next-gen Tata scions

News Continuous Bureau | Mumbai

Ratan Tata successors: ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. તેમણે ગઈકાલે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 86 વર્ષના હતા અને તેમના ગયા પછી ટાટા સન્સના વિશાળ સામ્રાજ્યને કોણ સંભાળશે તે અંગે અટકળો ચાલી રહી છે.

Join Our WhatsApp Community

રતન ટાટા તેમના પરોપકારી કાર્યો માટે પણ જાણીતા છે અને તેઓ ભારતના સૌથી દાની ઉદ્યોગપતિઓમાંના એક હતા. રતન ટાટાએ તેમના જીવનકાળ દરમિયાન ટાટા ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, આરોગ્ય સંભાળ, ગ્રામીણ વિકાસ અને આપત્તિ રાહત માટે ઘણી મદદ કરી છે. રતન ટાટાએ ક્યારેય લગ્ન કર્યા નથી અને તેમને કોઈ સંતાન નથી, તેથી તેમના મૃત્યુ પછી તેમની મિલકતનો વારસો કોને મળશે, આ પ્રશ્ન દરેકના મનમાં છે. હવે ટાટા ગ્રૂપનો વિશાળ વારસો આગામી પેઢી સંભાળશે, જેના પર દરેકની નજર ટકેલી છે. મીઠાથી લઈને સોફ્ટવેર ઉદ્યોગ સુધી ફેલાયેલા આ જૂથનું નેતૃત્વ કરવા માટે ત્રણ અગ્રણી નામો ઉભરી રહ્યા છે, જેમને રતન ટાટાના અનુગામી માનવામાં આવે છે.

Ratan Tata successors: 

રતન ટાટાના ગયા પછી તેમના બિઝનેસની બાગડોર કોણ સંભાળશે તે જાણવા માટે તેમના પરિવાર વિશે જાણવાની જરૂર છે. રતન ટાટાના માતા-પિતાનું નામ નવલ ટાટા અને સોની હતું, જેમણે 1940ની આસપાસ છૂટાછેડા લીધા હતા, ત્યારબાદ નવલ ટાટાએ 1955માં સ્વિસ મહિલા સિમોન સાથે લગ્ન કર્યા હતા. તેમના એક પુત્રનું નામ નોએલ ટાટા છે અને રતન ટાટાને કોઈ સંતાન ન હોવાથી અબજોની કિંમતની આ મિલકત તેમના સાવકા ભાઈ નોએલ ટાટાના સંબંધીઓને જાય તેવી સંભાવના છે. નોએલ ટાટાને માયા, નવલ અને લેહ ટાટા નામના ત્રણ બાળકો છે.

Ratan Tata successors:  માયા ટાટા

રતન ટાટાની મિલકત રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાની પુત્રી માયા ટાટા પાસે જવાની શક્યતા છે. 34 વર્ષીય માયાએ બેયસ બિઝનેસ સ્કૂલ અને વોરવિક યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી છે. તેણે ટાટા ઓપોર્ચ્યુનિટી ફંડ સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી, ત્યારબાદ તે  ટાટા ડિજિટલમાં ગઈ, જ્યાં તેણે ટાટા ન્યુ એપ વિકસાવવામાં અને લોન્ચ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. તે હાલમાં તેના ભાઈ-બહેનો સાથે ટાટા મેડિકલ સેન્ટર ટ્રસ્ટના બોર્ડમાં સેવા આપે છે. માયા ટાટાની માતા ટાટા ગ્રુપના દિવંગત ચેરમેન સાયરસ મિસ્ત્રીની બહેન અને સ્વર્ગસ્થ અબજોપતિ પલોનજી મિસ્ત્રીની પુત્રી છે.

આ સમાચાર પણ વાંચો: Ratan Tata Death : અલવિદા રતન ટાટા, ભારતના અનમોલ ‘રતન’ ના અંતિમ દર્શન માટે ઉમટ્યાં લોકો; અંતિમ સંસ્કારમાં શામેલ થશે અમિત શાહ…

Ratan Tata successors:  નેવિલ ટાટા

માયા ટાટાના ભાઈ નેવિલ ટાટા (32 વર્ષ) ફેમિલી બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમને રતન ટાટાના સામ્રાજ્યના વારસદાર તરીકે પણ જોવામાં આવી રહ્યા છે. તેમણે ટોયોટા કિર્લોસ્કર જૂથની વારસદાર માનસી કિર્લોસ્કર સાથે લગ્ન કર્યા છે અને તેમને જમશેદ ટાટા નામનો પુત્ર છે. નેવિલ ટાટા સ્ટાર બજારનું નેતૃત્વ કરી રહ્યા છે, જે ટ્રેન્ટ લિમિટેડ હેઠળની હાઇપરમાર્કેટ ચેઇન છે. અગાઉ, તેમને પેકેજ્ડ ફૂડ એન્ડ બેવરેજ ડિવિઝનનું સંચાલન સોંપવામાં આવ્યું હતું, જેમાં તેમની ક્ષમતા સાબિત કર્યા પછી, તેમણે જુડિયો અને વેસ્ટસાઇડનો હવાલો પણ સંભાળ્યો હતો. ઘણા નિષ્ણાતો એવું પણ માને છે કે તેમને ટાટા ગ્રૂપના અનુગામી તરીકે તૈયાર કરવામાં આવી રહ્યા હતા.

Ratan Tata successors:  લેહ ટાટા (39 વર્ષ)

નેવિલ અને માયા ટાટાની બહેન લેહ ટાટા (39 વર્ષ) આ ગ્રુપના હોટલ બિઝનેસ સાથે સંકળાયેલી છે. તેણે સ્પેનની IE બિઝનેસ સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું. તેણે તાજ હોટેલ્સ રિસોર્ટ્સ અને પેલેસિસમાં કામ કર્યું હતું અને હવે તે ભારતીય હોટેલ કંપનીની કામગીરીનું સંચાલન કરે છે. તેણે 2010માં થોડો સમય લૂઈસ વિટનમાં ઈન્ટર્નશીપ પણ કરી હતી, પરંતુ તેનું સંપૂર્ણ ધ્યાન હોટેલ ઈન્ડસ્ટ્રી પર જ હતું.

FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Gold Price: જીએસટી સુધારાની જાહેરાત બાદ સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાતોની સલાહ
Exit mobile version