Site icon

અદાણી ગ્રુપને કઈ બેંકે કેટલી લોન આપી? આરબીઆઈએ ભારતીય બેંકો પાસેથી અદાણી ગ્રુપના એક્સપોઝરની વિગતો માગી

RBI asks Indian banks for details of exposure to Adani Group: Report

અદાણી ગ્રુપને કઈ બેંકે કેટલી લોન આપી? આરબીઆઈએ ભારતીય બેંકો પાસેથી અદાણી ગ્રુપના એક્સપોઝરની વિગતો માગી

News Continuous Bureau | Mumbai 

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ અદાણીની મુશ્કેલીઓ વધી રહી છે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) પણ આ મામલે સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રીય બેંકે ભારતીય બેંકો પાસેથી અદાણી જૂથને આપવામાં આવેલી લોનની સંપૂર્ણ વિગતો માંગી છે. એક ખાનગી મીડિયા હાઉસએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે અદાણી જૂથને ક્યારે અને કેટલી લોન આપવામાં આવી છે, બેંકોને તેની સંપૂર્ણ માહિતી આપવા માટે કહેવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

અદાણી ગ્રુપ પર ભારતીય બેંકોનું લગભગ 80,000 કરોડ રૂપિયાનું દેવું છે, જે ગ્રુપના કુલ દેવાના 38 ટકા છે. કેટલાક બેંક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓએ પણ બેંકો પાસેથી અદાણી ગ્રુપ સાથેના તેમના એક્સપોઝર વિશે માહિતી માંગી છે. જો કે, હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા પછી, બેંકો રોકાણકારોની ચિંતાઓને દૂર કરવામાં વ્યસ્ત છે.

આ સમાચાર પણ વાંચો : Dates: આ લોકોએ ભૂલથી પણ ખજૂર ન ખાવી જોઈએ, શરીર પર થઈ શકે છે ‘વિપરીત અસર’

અદાણીના શેરમાં ભારે ઘટાડો

અહીં અદાણી ગ્રુપના શેર છેલ્લા છ ટ્રેડિંગ દિવસોથી સતત ઘટી રહ્યા છે. ઘટાડાનો આ ટ્રેન્ડ ગુરુવારે પણ ચાલુ રહ્યો છે. અદાણી ગ્રુપે બુધવારે તેનો FPO રદ કરવાની જાહેરાત કરી હતી. જેના કારણે આજે શેરબજારમાં અદાણી ગ્રુપના શેરો પીટાઈ રહ્યા છે. રિટેલ રોકાણકારોએ અદાણી ગ્રુપના શેર વેચવાનું શરૂ કરી દીધું છે. આજે શરૂઆતના વેપારમાં BSE પર ગ્રુપના શેરમાં લગભગ 10%નો ઘટાડો થયો હતો. અદાણી ગ્રૂપના તમામ શેર લોઅર સર્કિટમાં અથડાયા છે.

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version