Site icon News Continuous Bureau | Mumbai

રિઝર્વ બેંક એ પેમેંટ કંપનીઓ માટે નવા ક્યુઆર કોડને લઇને કરી આ મહત્વની જાહેરાત… જાણો વિગતે…

Beware of QR code scam or lose money: how to identify and be safe from such scams

QR કોડ તમને ગરીબ બનાવશે; આ રીતે કૌભાંડીઓ છેતરે છે, વાંચો અને રહો સતર્ક

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

23 ઓક્ટોબર 2020

ભારતીય રીઝર્વ બેંક (આરબીઆઇ)એ પેમેંટ સિસ્ટમ ઑપરેટર્સને નવા સ્વ અધિકારીવાળો ક્યૂઆર કોડ ઇશ્યુ કરવાની ના પાડી દીધી છે. ડિજિટલ પેમેંટ ઇંન્ફ્રાસ્ટ્રકચરમાં સુધાર માટે આરબીઆઇએ આ નિર્ણય લીધો છે. આરબીઆઇએ જણાવ્યું છે કે સ્માર્ટફોન્સ આ સમયે દેશવ્યાપી થઇ ગયા છે અને ઇ-પેમેંટસનો આધાર ક્યૂઆર બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ત્રણ પ્રકારના ક્યૂઆર કોડ ચલણમાં છે. 

1. ભારત ક્યૂઆર, 

2. યૂપીઆઇ ક્યૂઆર અને 

3. સ્વ અધિકાર ક્યૂઆર. 

 

હાલના સમયમાં ભારત ક્યૂઆર અને યૂપીઆઇ ક્યૂઆર ઇંટર-ઓપરેબલ છે, તેનો અર્થ એ થાય છે કે કોઇ પણ એપ આ ક્યૂઆર સ્ટીકરને વાંચી શકે છે. આરબીઆઇના આ નિર્ણયથી ટ્રાંસિટ સિસ્ટમમાં સમસ્યા આવશે. ટ્રાંસિટ સિસ્ટમનો પોતાનો ક્લોઝ્ડ-લૂપ પેમેંટ કાર્ડ સિસ્ટમ હોય છે, હવે તેને કાર્ડથી ક્યૂઆર કાર્ડ પેમેંટમાં શિફ્ટ થવું પડશે. 

નોંધનીય છે કે આરબીઆઇએ વધારે ઇંટર-ઓપરેબલ ક્યૂઆર કોડ લોન્ચ કરવાની સંભાવનાઓ અને અન્ય પાસાઓ પર વિચાર કરવા માટે એક સમિતિ બનાવી હતી. સમિતિની બેઠક બાદ રિઝર્વ બેંકે નિર્ણય લીધો હતો કે અત્યારે યુપીઆઇ ક્યૂઆર અને ભારત ક્યૂઆર જ ચલણમાં રહેશે. જો પેમેંટ કંપનીઓ નવો ક્યૂઆર કોડ લોન્ચ કરવા ઇચ્છે છે તો તેઓએ આમાંથી એક અથવા બંને સાથે ચાલે તેવો તૈયાર કરવો પડશે જેને માટે 31 માર્ચ 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે.

રિઝર્વ બેંકને સોંપવામાં આવેલ રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે કાગળ આધારિત ક્યૂઆર કોડ ઘણો સસ્તો અને પ્રભાવશાળી છે, તેને જાણવણીની જરૂરિયાત પડતી નથી. આરબીઆઇએ કહ્યું છે કે પેમેંટ સિસ્ટમને ઇંટર-ઓપરેબલ પેમેંટસ માટે લોકોમાં જાગૃકતા લાવવી પડશે. ઇંટર ઓપરેબિલિટીના કારણે સામાન્ય લોકોને સરળતા થશે અને પેમેંટ સિસ્ટમ પહેલાની સરખામણીએ સુધરી જશે.

Panna Diamond Auction Delay પન્નાની ચમક ફીકી પડી હીરા નીકળે છે પણ વેચાતા નથી, 143 કેરેટના હીરા લોકરમાં કેદ! નિલામી અટકી પડતા માલિકો ચિંતામાં
August GST Collection દેશની કમાણીમાં મોટો ઉછાળો ઓગસ્ટ મહિનામાં GST કલેક્શને તોડ્યા તમામ રેકોર્ડ, આંકડો 1.99 લાખ કરોડને પાર
NCLT Subhash Chandra Insolvency ઝટકા પર ઝટકો! NCLTએ સુભાષ ચંદ્રાનો પર્સનલ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્લાન ફગાવ્યો; જાણો ક્યાં ફસાયો પેચ…
India GDP Growth First Quarter વિકાસની રફતાર તેજ પ્રથમ ક્વાર્ટરમાં 7.8 ટકાના શાનદાર જીડીપી વૃદ્ધિ દર સાથે ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત
Exit mobile version