Site icon

RBI: આરબીઆઈએ પરિપત્ર જારી કરી આપ્યા આ કડક નિર્દેશ, લોન આપતી બેંકો અને સંસ્થાઓને ગેરરીતે વસુલાતા વ્યાજ બદલ ફટકાર લગાવી..

RBI: RBI એ લોનની કિંમત નીતિના સંદર્ભમાં પૂરતી સ્વતંત્રતા આપવા સાથે ધિરાણકર્તાઓ દ્વારા વ્યાજ વસૂલવામાં આવતી વાજબીતા અને પારદર્શિતાની હિમાયત કરી હતી. સેન્ટ્રલ બેંકે આ અંગે એક પરિપત્ર જારી કરીને કહ્યું હતું કે, તેના નિર્દેશો તાત્કાલિક અસરથી અમલમાં લાવવામાં આવે.

RBI issued a circular this strict directive, reprimanding the lending banks and institutions for wrongly charging interest..

RBI issued a circular this strict directive, reprimanding the lending banks and institutions for wrongly charging interest..

News Continuous Bureau | Mumbai

RBI: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ( RBI ) એ સોમવારે કેટલીક બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા વ્યાજ વસૂલવામાં અપનાવવામાં આવતી અયોગ્ય પ્રથાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ આવી બેંકો અને સંસ્થાઓને સુધારાત્મક પગલાં લેવા અને વધારાના ચાર્જ પરત કરવા નિર્દેશ આપ્યો હતો.

Join Our WhatsApp Community

RBI ના કાર્યક્ષેત્ર હેઠળ ફેર પ્રેક્ટિસ કોડ ફોર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ ( REs ) પર જારી કરાયેલ માર્ગદર્શિકાએ ( guidelines ) લોનની કિંમત નીતિના સંદર્ભમાં પૂરતી સ્વતંત્રતા આપવા સાથે ધિરાણકર્તાઓ દ્વારા વ્યાજ વસૂલવામાં આવતી વાજબીતા અને પારદર્શિતાની હિમાયત કરી હતી. સેન્ટ્રલ બેંકે આ અંગે એક પરિપત્ર જારી કરીને કહ્યું હતું કે, તેના નિર્દેશો તાત્કાલિક અસરથી અમલમાં લાવવામાં આવે. આરબીઆઈએ આ પરિપત્રમાં જણાવ્યું હતું કે 31 માર્ચ, 2023 ના રોજ સમાપ્ત થતા સમયગાળા માટે, કેન્દ્રીય બેંકે તમામ નિયમનકારી સંસ્થાઓને લોન વિતરણની ( loan disbursement ) રીત, વ્યાજ વસૂલાત અને અન્ય શુલ્કના સંદર્ભમાં તેમની પદ્ધતિઓની સમીક્ષા કરવા અને જો જરૂરી હોય તો પ્રણાલીગત ફેરફારો જેવા પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.

 RBI: વસૂલવામાં આવેલ વધારાના વ્યાજ અને અન્ય શુલ્ક પરત કરે

રિઝર્વ બેંકે તેમના પરિપત્રમાં વધુમાં કહ્યું હતું કે, બેંકો અને અન્ય લોન ( Bank Loan ) આપતી સંસ્થાઓ જેની તપાસ કરાતા જાણવા મળ્યું છે કે, ઘણી જગ્યાએ વ્યાજ લોન ( loan interest ) મંજૂર થયાની તારીખથી અથવા લોન કરારના અમલની તારીખથી લેવામાં આવે છે. નહીં કે લોનની વાસ્તવિક વિતરણની તારીખથી લેવામાં આવે. ગ્રાહકના ભંડોળના ગેરરીતીના કેસો પણ આમાં પ્રકાશમાં આવ્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે, ચેકની નોંધાયેલી તારીખથી ગ્રાહક પાસેથી વ્યાજ વસૂલવામાં આવ્યું હતું. જો કે ગ્રાહકને તે ચેક ઘણા દિવસો પછી બેંક અથવા સંસ્થા તરફથી સોંપવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Sony PlayStation 5 Slim Discount Offer : ગેમર્સ માટે સારા સમાચાર! સોનીના સમર સેલમાં પ્લેસ્ટેશન 5 સ્લિમ પર રૂ. 5,000 નું બંપર ડિસ્કાઉન્ટ.. જાણો ક્યાં મળશે આ ઓફર..

તેમજ મહિનાઓ માટે લેવાયેલી લોનની વહેંચણી અથવા ચુકવણીના કિસ્સામાં, કેટલીક સંસ્થાઓ લોનની ચૂકવણી થયા બાદ પણ સમગ્ર મહિના માટે વ્યાજ વસૂલતી હતી. કેટલાક કિસ્સાઓમાં, બેંકો એક અથવા વધુ હપ્તાઓ અગાઉથી જમા કરાવતી હતી. પરંતુ તેમ છતાં ગ્રાહક પાસેથી સંપુર્ણ વ્યાજની વસૂલાત કરતી હતી. અયોગ્ય પ્રથાઓ અને વ્યાજ વસૂલવાની આવી બિન-માનક પ્રવૃત્તિઓ ગ્રાહકો સાથે વ્યવહાર કરતી વખતે નિષ્પક્ષતા અને પારદર્શિતાની ભાવનાને અનુરૂપ નથી. આને ગંભીર ચિંતાનો વિષય ગણાવતા, રિઝર્વ બેંકે કહ્યું કે નિયમનકારી સંસ્થાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ગ્રાહકોને વસૂલવામાં આવેલ વધારાના વ્યાજ અને અન્ય શુલ્ક પરત કરે અને જો બેંક અથવા લોન આપતી સંસ્થાઓ આવુ કરવામાં નિષ્ફળ જશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Gold-Silver Price Update: બે દિવસમાં ચાંદીના ભાવ આસમાને, રેકોર્ડ હાઈથી હજુ પણ છે મોટું અંતર; જુઓ લિસ્ટ..
Mukesh Ambani at AI Impact Summit: રિલાયન્સનો માસ્ટર સ્ટ્રોક: 10 લાખ કરોડના રોકાણ સાથે અંબાણી બદલી નાખશે ભારતનું નસીબ, જાણો શું છે પૂરો પ્લાન
PM Modi: PM મોદીનો વિશ્વને ‘MANAV’ મંત્ર: AI ના યુગમાં ભારતનો નવો રોડમેપ, જાણો શું છે આ 5 અક્ષરોનું રહસ્ય.
AI Impact Summit 2026: AI ઇમ્પેક્ટ સમિટમાં ભારત પર ડોલરનો વરસાદ! ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એનવીડિયાના 5 મોટા કરાર, બદલાઈ જશે દેશનું નસીબ.
Exit mobile version