Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાના કપરા કાળમાં કર્મચારીઓ માટે રિલાયન્સે વધાર્યો મદદનો હાથ; મુકેશ અંબાણીએ કરી આ મોટી જાહેરાત, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૪ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

કોરોનાની કપરી પરિસ્થિતિમાં રિલાયન્સ હવે પોતાના કર્મચારીઓને વહારે આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચૅરમૅન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચૅરપર્સન અને સંસ્થાપક નીતા અંબાણીએ એક પત્ર લખીને રિલાયન્સ ફૅમિલી સપોર્ટ ઍન્ડ વેલ્ફેર સ્કીમની ઘોષણા કરી છે. જે અંતર્ગત મૃતક કર્મચારીના પરિવારને પાંચ વર્ષ સુધી પગાર આપશે.

જાહેર થયેલી આ યોજના મુજબ કોઈપણ મૃતક કર્મચારીના નોમિનીને છેલ્લી વાર મળેલા પગાર જેટલી ધનરાશી આગામી પાંચ વર્ષ સુધી અપાશે. તેમ જ મૃતકનાં બાળકોને ભારતની કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં ગ્રૅજ્યુએશન સુધીનો અભ્યાસ, ટ્યૂશન ફીસ, હૉસ્ટેલ, પુસ્તકો મફતમાં ઉપલબ્ધ કરાશે. ઉપરાંત જીવનસાથી, માતા-પિતા, બાળકો (ગ્રૅજ્યુએશન સુધી)ને જો હૉસ્પિટલમાં દાખલ થવાનો વારો આવે તો સંપૂર્ણ ખર્ચ રિલાયન્સ દ્વારા વહન કરાશે. ઉપરાંત કોવિડ-19થી વ્યક્તિગત રૂપથી અથવા પારિવારિક રીતે પ્રભાવિત સાથી વિશેષ કોવિડ લીવ લઈ શકે છે. આ રજા તેમને શારીરિક અને માનસિક તરીકે રિકવર થવા સુધી આપવામાં આવશે.

રિઝર્વ બેંકે જાહેર કરી મોનેટરી પોલિસી; વ્યાજ દરોને લઈને લીધો મોટો નિર્ણય, જાણો ગવર્નર શક્તિકાંત દાસે શું કહ્યું

પત્રમાં લખાયું હતું કે “પ્રિય સાથીઓ કોરોનાના આ સમયમાં પોતાનો જીવ ગુમાવેલા સાથીઓના પરિવારના દુઃખના સમયમાં રિલાયન્સ સંપૂર્ણ શક્તિ સાથે ઊભું છે. પ્રિયજનની ક્ષતિપૂર્તિ ન કરી શકાય, પરંતુ આ મુશ્કેલ સમયમાં આપણે ધૈર્ય અને વિશ્વાસ સાથે તેમના પરિવારના દરેક સભ્યોની મદદ અચૂક કરી શકીએ છીએ.”

Offline UPI Payments Flights Trains ઇન્ટરનેટ વગર થશે UPI પેમેન્ટ, NPCI વિકસાવી રહ્યું છે ‘TaptoPay’ ઓફલાઇન ટેકનોલોજી
Service charge ગ્રાહકોની સહમતિ વગર બિલમાં ‘સર્વિસ ચાર્જ’ વસૂલવો પડશે મોંઘો, સીસીપીએ એ ચાયોસ અને બાર્બેક્યુ નેશન સહિત 41 રેસ્ટોરન્ટ્સ પર ફટકાર્યો દંડ,
Luxury life net worth India અમીરોની યાદીમાં સામેલ થવા અને શાહી જીવનશૈલી જીવવા કેટલા નાણાં છે જરૂરી? જાણો શું કહે છે રિપોર્ટ
Post Office PPF Formula પોસ્ટ ઓફિસની સુપરહિટ ફોર્મ્યુલા, આ સ્કીમમાં રોકાણ કરીને બની શકો છો કરોડપતિ, જાણો વ્યાજ દર અને ટેક્સ સેવિંગ ગણિત
Exit mobile version