ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ મે ૨૦૨૧
શુક્રવાર
વ્યક્તિગત કરદાતા માટે આકારણી વર્ષ 2021-22ના રિટર્ન ફાઈલ કરવાની તારીખ બે મહિના લંબાવીને 30મી સપ્ટેમ્બર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે વ્યક્તિગત કરદાતાઓએ તેમનાં રિટર્ન 31મી જુલાઈ, 2021 સુધીમં ફાઈલ કરી દેવાનાં હોય છે.
સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસે આજે એક પરિપત્ર બહાર પાડીને આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવાની મુદત બે મહિના વધારી દેવાની જાહેરાત કરી છે.
આકારણી વર્ષ 2021-22નું સુધારેલું રિટર્ન ફાઈલ કરવાની તારીખ 31મી ડિસેમ્બર 2021 છે, એ પણ લંબાવીને 31મી જાન્યુઆરી 2022 કરી આપવામાં આવી છે.
