Site icon

SBI ના ગ્રાહકોને મળશે બે વર્ષનું મોરેટોરિયમ . પરંતું ત્યાર બાદ આપવું પડશે આટલા ટકાનું વ્યાજ.. જાણો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

22 સપ્ટેમ્બર 2020

સોમવારે, દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ એક વિશેષ પોર્ટલ શરૂ કર્યું છે જેથી બેંકના ગ્રાહકો જાતે શોધી શકે કે તેઓ મોરેટોરિયમ સુવિધા માટે પાત્ર છે કે નહીં. જો લાયક હોય, તો તેઓ વધુમાં વધુ બે વર્ષ માટે મુદતની સુવિધા મેળવી શકે છે, એટલે કે બે વર્ષ સુધી લીધેલી મુદત લોનના માસિક હપ્તા નહીં ભરવાના..  પરંતું, જ્યારે માસિક હપ્તા શરૂ થશે, ત્યારે તેમણે સામાન્ય કરતા 0.35 ટકા વધુ વ્યાજ ચૂકવવું પડશે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના એમ.ડી એ જણાવ્યું હતું કે અગાઉ આપવામાં આવેલી અવધિ 31 ઓગસ્ટ 2020 ના રોજ સમાપ્ત થઈ ગઈ છે અને તે પછી પણ મોટી સંખ્યામાં ગ્રાહકો વિવિધ શાખાઓમાં પૂછપરછ માટે જઇ રહ્યા છે. આ ગ્રાહકો એસબીઆઈ પોર્ટલ દ્વારા તેમની લાયકાત જાણી શકશે. આમાં ગ્રાહકોએ તેમની આવક, વર્તમાન આવકની વિગતો આપવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, કોવિડ19 ને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારના સૂચન પર, આરબીઆઈએ તમામ ટર્મ લોનની ચુકવણી પર 31 ઓગસ્ટ, 2020 સુધી કામચલાઉ રોક લગાવી હતી. હવે કોર્પોરેટ લોન ગ્રાહકો માટે પુનર્ગઠનનાં નિયમો બનાવવામાં આવી રહ્યા છે, જ્યારે બેન્કોને પર્સનલ લોન ગ્રાહકોના કેસમાં નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જ્યારે હોમ લોન, ઓટો લોન અથવા અન્ય નાની લોન લેનારા ગ્રાહકો માટે પણ મોરેટોરિયમ સ્કીમ શરૂ કરનારી એસબીઆઇ એ દેશની પહેલી બેંક છે. 

India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
Gold Silver Rate Today: હવે ઘરેણું ખરીદવું સપનું બનશે? સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, ઈતિહાસના સૌથી ઉંચા સ્તરે પહોંચી કિંમતો; જાણો કેમ લાગી આ ‘આગ
BCCI: IPL ને મળ્યો નવો ‘AI પાર્ટનર’! Google ની Gemini કંપની સાથે BCCI એ કર્યા 270 કરોડના કરાર; દર વર્ષે તિજોરીમાં આવશે અધધ આટલા કરોડ
Gold Rate Today: અમેરિકા-યુરોપ તણાવ વચ્ચે સોનાના ભાવમાં મોટો વિસ્ફોટ; 10 ગ્રામનો ભાવ ₹1.47 લાખને પાર, જાણો ચાંદીના નવા રેટ.
Exit mobile version