Site icon News Continuous Bureau | Mumbai

SBI ના ગ્રાહકોને મળશે બે વર્ષનું મોરેટોરિયમ . પરંતું ત્યાર બાદ આપવું પડશે આટલા ટકાનું વ્યાજ.. જાણો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

22 સપ્ટેમ્બર 2020

સોમવારે, દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ એક વિશેષ પોર્ટલ શરૂ કર્યું છે જેથી બેંકના ગ્રાહકો જાતે શોધી શકે કે તેઓ મોરેટોરિયમ સુવિધા માટે પાત્ર છે કે નહીં. જો લાયક હોય, તો તેઓ વધુમાં વધુ બે વર્ષ માટે મુદતની સુવિધા મેળવી શકે છે, એટલે કે બે વર્ષ સુધી લીધેલી મુદત લોનના માસિક હપ્તા નહીં ભરવાના..  પરંતું, જ્યારે માસિક હપ્તા શરૂ થશે, ત્યારે તેમણે સામાન્ય કરતા 0.35 ટકા વધુ વ્યાજ ચૂકવવું પડશે.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના એમ.ડી એ જણાવ્યું હતું કે અગાઉ આપવામાં આવેલી અવધિ 31 ઓગસ્ટ 2020 ના રોજ સમાપ્ત થઈ ગઈ છે અને તે પછી પણ મોટી સંખ્યામાં ગ્રાહકો વિવિધ શાખાઓમાં પૂછપરછ માટે જઇ રહ્યા છે. આ ગ્રાહકો એસબીઆઈ પોર્ટલ દ્વારા તેમની લાયકાત જાણી શકશે. આમાં ગ્રાહકોએ તેમની આવક, વર્તમાન આવકની વિગતો આપવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, કોવિડ19 ને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારના સૂચન પર, આરબીઆઈએ તમામ ટર્મ લોનની ચુકવણી પર 31 ઓગસ્ટ, 2020 સુધી કામચલાઉ રોક લગાવી હતી. હવે કોર્પોરેટ લોન ગ્રાહકો માટે પુનર્ગઠનનાં નિયમો બનાવવામાં આવી રહ્યા છે, જ્યારે બેન્કોને પર્સનલ લોન ગ્રાહકોના કેસમાં નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જ્યારે હોમ લોન, ઓટો લોન અથવા અન્ય નાની લોન લેનારા ગ્રાહકો માટે પણ મોરેટોરિયમ સ્કીમ શરૂ કરનારી એસબીઆઇ એ દેશની પહેલી બેંક છે. 

Bombay High Court HDFC Bank Case। HDFC CEO ની મોટી જીત! હાઈકોર્ટે લાંચનો કેસ ફગાવી પોલીસને લગાવી ફટકાર, જાણો શું છે સમગ્ર મામલો?
Indian Bank Cyber Security Threat| સરકારી બેંકોમાં મોટો ફેરફાર સાયબર એટેકના વધતા જોખમો વચ્ચે લેવાયો મહત્વનો નિર્ણય, હવે સિસ્ટમ બનશે લોખંડી
LPG Price Update। LPG સિલિન્ડરના ભાવમાં રાહત કે આફત? જાણો લેટેસ્ટ રેટ્સ અને બુકિંગના બદલાયેલા નવા નિયમો
RBI Gold Reserves Return 2026। ૧૯૯૧ જેવી સ્થિતિ હવે ભૂતકાળ સોનાના ભંડાર મામલે ભારતનો મોટો નિર્ણય, વિદેશી બેંકોમાંથી ભારત કેમ ખસેડી રહ્યું છે પોતાનું ગોલ્ડ?
Exit mobile version