Site icon News Continuous Bureau | Mumbai

SBI ના ATM માંથી કેશ ઉપાડવાના નિયમો 18 સપ્ટેમ્બરથી બદલાઇ રહ્યા છે – જાણો જરૂરી વિગતો…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

16 સપ્ટેમ્બર 2020 

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એટીએમ ફ્રોડથી બચવા માટે પોતાના ગ્રાહકોને ઓટીપી નંબર મેસેજ કરવાનું નક્કી કર્યું છે. મશીનમાં પાસવર્ડ નાખ્યાં બાદ આ ઓટીપી નંબર પ્રેસ કર્યા બાદ જ એટીએમ માંથી રકમ ઉપાડવાની સુવિધાનો લાભ લઇ શકાશે. હવે બેંકે દેશના તમામ એસબીઆઇ એટીએમમાં ​​10,000 રૂપિયાથી વધુ રકમ ઉપાડવા માટે 18 સપ્ટેમ્બર, 2020 થી નવા નિયમ લાગુ કરી રહી છે. આ અંતર્ગત સવારે 8 થી સાંજના 8 વાગ્યા સુધીમાં પણ એસબીઆઇ એટીએમથી 10,000 રૂપિયાથી વધુની રોકડ ઉપાડતી વખતે ઓટીપી જરૂરી રહેશે.. 

હવે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના એટીએમમાં 24×7 ઓટીપી આધારિત કેશ ઉપાડ સુવિધા, સુરક્ષા સ્તરને વધુ મજબૂત બનાવી છે. ગ્રાહકો દિવસ દરમ્યાન આ સુવિધાનો અમલ કરીને એસબીઆઇ ડેબિટ કાર્ડ ધારકો છેતરપિંડી, અનધિકૃત ઉપાડ, કાર્ડ સ્કીમિંગ, કાર્ડ ક્લોનીંગ અને અન્ય જોખમોથી બચી શકશે.

# એસબીઆઈની નવી સુવિધા નીચે મુજબ કાર્ય કરશે # 

@ એસબીઆઇ એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે ગ્રાહકોએ પિન નંબર સાથે ઓટીપી દાખલ કરવી પડશે. આ ઓટીપી તેમના દ્વારા એસબીઆઇ સાથે નોંધાયેલા મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે.

@ એસબીઆઈની ઓટીપી આધારિત એટીએમ ઉપાડની સુવિધા ફક્ત 10 હજાર રૂપિયાથી વધુની ઉપાડ પર મળશે.

@ એસબીઆઇએ આ સુવિધા શરૂ કરી છે જેથી એસબીઆઈ ડેબિટ કાર્ડ ધારકોને કોઈપણ સંભવિત સ્કીમિંગ અથવા કાર્ડ ક્લોનીંગથી સુરક્ષિત રાખી શકાય. આ રીતે, તેઓ છેતરપિંડીથી છટકી શકશે.

 

Elon Musk Trillionaire એલોન મસ્ક બનશે દુનિયાના પ્રથમ ખરબપતિ (Trillionaire) SpaceX IPO પર મંડાયેલી છે સૌની નજર
Investor Sentiment Dips શું રોકાણકારોનો ઉત્સાહ ઓછો થયો? એક વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યું ‘રોકાણ’, મે મહિનાના આ આંકડાએ વધારી ‘ચિંતા’
RBI’s New FD Rules બેંક FD વ્યાજદર નિયમોમાં મોટો ફેરફાર, RBI દ્વારા ગ્રાહકોના હિતમાં મહત્વનું પગલું; શું થશે તમને ફાયદો?
LIC’s Mega Pension Plan LICનો ધાંસૂ પ્લાન, ફક્ત એકવાર રોકાણ કરો અને મેળવો જીંદગીભરની શાંતિ
Exit mobile version