Site icon News Continuous Bureau | Mumbai

એસબીઆઈએ ગ્રાહકોને આપ્યો આંચકો, હોમ લોન પર વ્યાજ દરમાં કર્યો વધારો

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

09 મે 2020 

બેંકના અધિકારીઓના જણાવ્યા મુજબ કોરોના વાયરસ રોગચાળાને કારણે રિયાલિટી કંપનીઓ માટેના ધિરાણનું જોખમ વધ્યું છે. સંપત્તિના આધારે લેવાયેલી વ્યક્તિગત લોન પર એસબીઆઈએ વ્યાજ દરમાં 0.30% વધારો કર્યો છે. એસબીઆઈએ 75 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન પર 20 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. જ્યારે 30 લાખ રૂપિયાની લોન પર વ્યાજનો દર હવે 7.40 ટકા રહેશે જયયારે   30 લાખથી 75 લાખ સુધીની લોન પરનો વ્યાજ દર 7.45 ટકાને બદલે 7.65 ટકા રહેશે…

વાત કરીએ લોન ની તો  30 લાખ રૂપિયા સુધીની હોમ લોન પરનો વ્યાજ દર 7.45 ટકાથી વધીને 7.75 ટકા થયો છે. તે જ સમયે, બેંકે પ્રોપર્ટી (પી-એલએપી) સામે વ્યક્તિગત લોન પણ 30 બેસિસ પોઇન્ટમાં વધારો કર્યો છે. હવે આનો અસરકારક વ્યાજ દર 8.90 ટકાથી વધીને 9.20 ટકા થયો છે. 1 કરોડથી વધુની હોમ લોન અને 2 કરોડ રૂપિયાથી નીચેના લોન પર તે 9.40 ટકાથી વધીને 9.70 ટકા થઈ ગઈ છે..

Onion Price Hike રસોડાનું બજેટ ખોરવાયું ડુંગળી ₹૮૦ પાર, શું સરકાર મોંઘવારી રોકવામાં નિષ્ફળ રહી? જુઓ નવી યાદી
FSSAI Red Warning Label પેકેટ પર ‘લાલ નિશાન’ એટલે ખતરાની ઘંટી! સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફૂડ પેકેજિંગના નિયમો બદલાયા
Subhash Chandra Loan Settlement ૨૨,૦૦૬ કરોડનું દેવું ને માત્ર ૬.૫ કરોડમાં પૂરું! સુભાષ ચંદ્રાના આ મામલે બેંકોને ૯૯.૯૭% નો ‘હેર કટ’, વિજય માલ્યાએ પણ ઉઠાવ્યા સવાલ
Samudra Manthan Plan વિદેશી નિર્ભરતા ઘટશે…? ઊંડા સમુદ્રમાં ખનન માટે ૮૪,૦૮૪ કરોડનું રોકાણ, ૬૦ નવા કૂવા ખોદાશે
Exit mobile version