Site icon News Continuous Bureau | Mumbai

SEBI Nomination Rules ડીમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ ધારકો ચેતી જજો! સેબીના નવા નિયમો બદલી નાખશે રોકાણ કરવાની રીત

SEBI Nomination Rules સિંગલહોલ્ડર એકાઉન્ટમાં નોમિનેશનનો વિકલ્પ ખાલી રાખી શકાશે નહીં, સેબી (SEBI) દ્વારા નવા નિર્દેશો જાહેર.

SEBI Nomination Rules   ડીમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ ધારકો ચેતી જજો! સેબીના નવા નિયમો બદલી નાખશે રોકાણ કરવાની રીત

SEBI Nomination Rules ડીમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ ધારકો ચેતી જજો! સેબીના નવા નિયમો બદલી નાખશે રોકાણ કરવાની રીત

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

SEBI Nomination Rules ૧ સપ્ટેમ્બર ૨૦૨૬થી ડીમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે નોમિનેશન અંગેના નિયમોમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. રોકાણકારોએ હવે તેમની પસંદગી ફરજિયાતપણે નોંધવી પડશે, જેમાં નોમિનીની વિગત આપવી અથવા નોમિનેશનથી બહાર નીકળવા માટે સત્તાવાર ઘોષણા કરવી જરૂરી રહેશે.

SEBI Nomination Rules – ૧ સપ્ટેમ્બરથી શું થશે ફેરફાર?

સેબીના ૨૯ મે ૨૦૨૬ના પરિપત્ર (Circular) મુજબ, સિંગલ-હોલ્ડર ડીમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોમાં નોમિનેશનનો વિકલ્પ હવે ખાલી છોડી શકાશે નહીં. અત્યાર સુધી ઘણા રોકાણકારો આ વિકલ્પને અવગણતા હતા, પરંતુ હવે દરેક રોકાણકારે કાં તો નોમિનીનું નામ આપવું પડશે અથવા નિર્ધારિત ફોર્મ ભરીને નોમિનેશન ન રાખવા (Opt-out) અંગેની લેખિત સહમતી આપવી પડશે. આ પ્રક્રિયા પારદર્શિતા વધારવા અને રોકાણકારના મૃત્યુ પછી સંપત્તિના હસ્તાંતરણ (Transfer) માં આવતી મુશ્કેલીઓને ઘટાડવા માટે હાથ ધરવામાં આવી છે.

SEBI Nomination Rules – નોમિની ન રાખવો હોય તો શું કરવું?

જો કોઈ રોકાણકાર કોઈ પણ વ્યક્તિને નોમિની બનાવવા માંગતા ન હોય, તો તેમણે ગભરાવાની જરૂર નથી. તેઓ સત્તાવાર રીતે નોમિનેશનમાંથી ‘ઓપ્ટ આઉટ’ (Opt-out) કરી શકે છે. આ માટે રોકાણકારે પોતાના બ્રોકર, બેંક અથવા મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મના એકાઉન્ટમાં લોગ-ઇન કરીને ‘નોમિનેશન’ સેક્શનમાં જઈને આ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે, એક રોકાણકાર વધુમાં વધુ ત્રણ નોમિની બનાવી શકે છે અને તેમની વચ્ચે સંપત્તિની વહેંચણીની ટકાવારી પણ નક્કી કરી શકે છે.

SEBI Nomination Rules – સંયુક્ત ખાતાઓ માટે રાહત અને ટ્રાન્સમિશન પ્રક્રિયા

સેબીએ સ્પષ્ટ કર્યું છે કે સંયુક્ત રીતે (Jointly) રાખવામાં આવેલા ડીમેટ એકાઉન્ટ અથવા મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન હજુ પણ વૈકલ્પિક રહેશે. સંયુક્ત ખાતાઓમાં નોમિની ઉમેરવા કે બદલવા માટે તમામ ધારકોની સંમતિ અનિવાર્ય રહેશે. જો કોઈ રોકાણકારે નોમિની નોંધ્યો ન હોય અને તેમનું મૃત્યુ થાય, તો કાયદેસરના વારસદારોને સિક્યોરિટીઝ ટ્રાન્સમિશન પ્રક્રિયા દ્વારા સંપત્તિ મેળવવી પડશે. નાના રોકાણો માટે સેબીએ ૧૦,૦૦૦ રૂપિયા (ફિઝિકલ હોલ્ડિંગ) અને ૩૦,૦૦૦ રૂપિયા (ડીમેટ હોલ્ડિંગ) સુધીના ક્લેમ માટે સરળ ટ્રાન્સમિશન પ્રોસેસની જોગવાઈ પણ કરી છે.

👉 આ સમાચાર વાચો:
Online Shopping Arrest ગજબ કે’વાય… માનસિક તાણ દૂર કરવા મહિલાએ કરી 258 કરોડ રૂપિયાની ઓનલાઈન શોપિંગ, છેલ્લે ઓર્ડર કેન્સલ કરતા સીધી પહોંચી ગઈ જેલ

Sugar price hike Delhi to Mumbai તહેવારો પહેલા જ ગળપણ થઈ ગયું મોંઘું, દિલ્હીથી મુંબઈ સુધી ખાંડના ભાવ માં ઉછાળો
Made in India Jewellery ગ્લોબલ માર્કેટમાં ચમકશે ભારતીય જ્વેલરી! મુંબઈમાં જ્વેલરી શોનો પ્રારંભ, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આભૂષણ ઉદ્યોગને આપી ખાસ સલાહ
IIJS Bharat Premiere 2026 ભારત બનશે રફ ડાયમંડનું વૈશ્વિક હબ… મુંબઈમાં 42મી જ્વેલરી એક્ઝિબિશનનો પ્રારંભ, રત્ન અને આભૂષણ ઉદ્યોગને મળશે નવી વૈશ્વિક તકો
UPI charges clarification યુપીઆઈ સેવા ફ્રી છે કે નહીં? પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) એ ગ્રાહકો અને વેપારીઓ માટે ચાર્જ અંગે કરી સ્પષ્ટતા
Exit mobile version