Site icon News Continuous Bureau | Mumbai

રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો, રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની માર્કેટ કેપ $100 બિલિયન ઘટી ગઈ..

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ સામે આવ્યા બાદ ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રુપને મોટું નુકસાન થયું છે. એક ખાનગી મીડિયા હાઉસે એક અહેવાલ આપ્યો છે કે અદાણી જૂથને એક સપ્તાહમાં 100 બિલિયન ડોલરનું નુકસાન થયું છે.

SEBI moves three shares of ADANI out of ASM framework

અદાણી ગ્રૂપ શેરઃ અદાણી ગ્રૂપ માટે મોટી રાહત, આ ત્રણ શેરોને ટૂંકા ગાળાના ASM ફ્રેમવર્કમાંથી હટાવ્યા

News Continuous Bureau | Mumbai

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ સામે આવ્યા બાદ ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રુપને મોટું નુકસાન થયું છે. એક ખાનગી મીડિયા હાઉસે એક અહેવાલ આપ્યો છે કે અદાણી જૂથને એક સપ્તાહમાં 100 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. 100 અબજ ડૉલરની ભારતીય કિંમત 8.23 ​​લાખ કરોડ છે. અદાણી ગ્રૂપની મૂડી બજાર કિંમત ઘટી છે.

Join Our WhatsApp Channel

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ ભારતીય શેરબજારમાં અદાણી ગ્રૂપની કંપનીઓના શેર ઝડપથી વેચાયા હતા. ખુદ ગૌતમ અદાણીએ હિંડનબર્ગના અહેવાલને પાયાવિહોણા ગણાવીને દાવો કર્યો હતો કે અદાણી જૂથની તમામ કંપનીઓની બેલેન્સશીટ મજબૂત છે, પરંતુ વેચાણ અટક્યું નથી. એક ખાનગી મીડિયા હાઉસના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આજ સવારથી અત્યાર સુધીમાં 2.5 અબજ ડોલરના શેરનું વેચાણ થયું છે. એવો અંદાજ છે કે અદાણી જૂથનું મૂડી બજાર છેલ્લા અઠવાડિયામાં વેચવાલીને કારણે 100 અબજ ડોલર અથવા ભારતીય ચલણમાં રૂ. 8.23 ​​લાખ કરોડ જેટલું ઘટી ગયું છે.

અદાણી એન્ટરપ્રાઇઝે 20 હજાર કરોડનો FPO પાછો ખેંચવાનો મોટો નિર્ણય લીધો છે. જે બાદ આજે અદાણી ગ્રુપની કંપનીઓના માર્કેટ કેપમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અદાણી ગ્રૂપની સાતેય કંપનીઓના શેર ફરી તૂટ્યા છે.

આ સમાચાર પણ વાંચો : બજેટની અસર : સોનાનો ભાવ પહોંચ્યો ઐતિહાસિક સપાટીએ, ચાંદીમાં પણ ધૂમ તેજી..

અદાણી ગ્રૂપની કંપનીઓના શેર ઘટવાથી ગૌતમ અદાણીને પણ ફટકો પડ્યો છે. હિંડનબર્ગ રિપોર્ટ પહેલા શ્રીમંતોની યાદીમાં ત્રીજા સ્થાને રહેલા ગૌતમ અદાણી સીધા 16મા સ્થાને પહોંચી ગયા છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અદાણીની સંપત્તિ 72.7 અબજ ડોલર થઈ ગઈ છે.

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે?

હિંડનબર્ગ રિસર્ચે તેના રિપોર્ટમાં અદાણી જૂથની કંપનીઓના વ્યવહાર પર સવાલ ઉઠાવ્યા છે. અદાણી ગ્રૂપની તમામ કંપનીઓ લોન મામલે સવાલોના ઘેરામાં છે. રિપોર્ટમાં દાવો કરાયો કે ગ્રૂપની મુખ્ય 7 કંપનીઓ જે શેર માર્કેટમાં લિસ્ટેડ છે તેમાં 85 ટકાથી વધુ ઓવરવેલ્યૂઝ છે. હિંડનબર્ગ રિસર્ચના લેટેસ્ટ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ સામે 88 સવાલો ઊભા કરાયા હતા.

આ સમાચાર પણ વાંચો : તમિલનાડુમાં ભારે વરસાદ અને ભારે પવન, શાળા બંધ કરવાની જાહેરાત, એલર્ટ જારી

 

Nalasopara heavy waterlogging મુંબઈના પરા વિસ્તારોને મેઘરાજાએ ધમરોળ્યા નાલાસોપારામાં ઘૂંટણસમા પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત
Lashkar terrorist killed in Shopian જમ્મુકાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા, શોપિયાં એન્કાઉન્ટરમાં લશ્કરનો ખૂંખાર આતંકવાદી ઠાર..
Gold Silver Today Rate સોનાના ભાવમાં મોટો કડાકો, સતત ત્રીજા દિવસે સસ્તું થયું સોનું, જાણો આજના નવા ભાવ
Mumbai Local Train service disrupted વસઈ રેલ્વે સ્ટેશન પર સર્જાઈ ટેકનિકલ ખામી, પીક અવર્સમાં ટ્રેન વ્યવહાર ખોરવાયો, મુસાફરો ના હાલ બેહાલ…
Exit mobile version