Site icon News Continuous Bureau | Mumbai

બજેટ 2023 / છેલ્લા 30 વર્ષોમાં ફક્ત 2 વખત બજેટના પહેલા અને બાદમાં આવી તેજી, શું આ વખતે પણ દોડશે બજાર

દેશનું બજેટ ટૂંક સમયમાં રજૂ થવા જઈ રહ્યું છે. બજેટ બાદ શેરબજારમાં તેજી જોવા મળશે અથવા તો ઘટાડો આવી શકે છે. આ સંબંધમાં મોર્ગન સ્ટેનલી દ્વારા એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 30 વર્ષમાં બજેટ પહેલા અને પછી માત્ર બે વખત જ તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે

Sensex soars 900 pts, Nifty ends near 17,600

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે 'માર્કેટ મોજમાં', સેન્સેક્સ-નિફ્ટીમાં શાનદાર તેજી.. તો પણ આ શેર રહ્યા ડાઉન

News Continuous Bureau | Mumbai

Budget 2023: દેશનું બજેટ ટૂંક સમયમાં રજૂ થવા જઈ રહ્યું છે. બજેટ બાદ શેરબજારમાં તેજી જોવા મળશે અથવા તો ઘટાડો આવી શકે છે. આ સંબંધમાં મોર્ગન સ્ટેનલી દ્વારા એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 30 વર્ષમાં બજેટ પહેલા અને પછી માત્ર બે વખત જ તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. મોર્ગન સ્ટેનલીના અહેવાલ મુજબ બજાર પર કેન્દ્રીય બજેટની અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે.

Join Our WhatsApp Channel

30 વર્ષોમાં કેવો રહ્યો રેકોર્ડ ?

વર્ષ 2019 થી અસ્થિતરતા વધી છે અને 2022માં 11 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી છે. મોર્ગન સ્ટેનલીએ જણાવ્યું હતું કે બજેટ પછીના 30 દિવસમાં બજાર ત્રણમાંથી બે પ્રસંગોમાં ઘટે છે. જો બજેટના પહેલા 30 દિવસમાં બજારમાં તેજી જોવા મળે છે, તો આ પ્રકારની ઘટાડાની સંભાવના 80 ટકા વધી જાય છે. 30 વર્ષમાં માત્ર બે વાર જ બજાર બજેટ પહેલા અને પછી બંને રીતે ચઢ્યું છે.

જાણો શું કહે છે રિપોર્ટ ?

રિપોર્ટમાં જણાવાયું છે કે ઈક્વિટી પરના અસરકારક લાંબા ગાળાના મૂડી લાભ કરમાં વૃદ્ધિ કાં તો લાંબા ગાળાના મૂડી માટે યોગ્યતા પ્રાપ્ત કરવા માટે હોલ્ડિંગ સમયગાળો 12 મહિનાથી વધારીને 2 અથવા 3 વર્ષ માટે, અથવા ટેક્સના દરમાં 10 ટકાથી 15 ટકાની વૃદ્ધિ વેશેષ રીતે વ્યાપક બજારમાં શેરો માટે એક નિરાશાજનક થઈ શકે છે.’

 આ સમાચાર પણ વાંચો:  બોમ્બે હાઈકોર્ટઃ ‘ગર્ભપાત કરાવવો કે નહીં તે પસંદ કરવાનો મહિલાનો અધિકાર’, બોમ્બે હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી

બજેટ પછી જોવા મળી શકે છે અસ્થિરતા

બજેટ પછીના પ્રદર્શનની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે, એક વસ્તુ જે વધુ ચોક્કસ લાગે છે તે એ છે કે બજેટના દિવસે અસ્થિરતા વધુ હશે, જો કે છેલ્લા ત્રણ દાયકાથી આ અસ્થિરતા ઘટી રહી છે.

મોર્ગન સ્ટેનલીને શું છે આશા ?

મોર્ગન સ્ટેન્લી અપેક્ષા રાખે છે કે બજેટ ધીમે ધીમે રાજકોષીય એકત્રીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. નાણાકીય વર્ષ 2024માં રાજકોષીય ખાધમાં ઘટાડો કરવા માટે વિશ્વસનીય માર્ગ તૈયાર કરશે. તેની સાથે, કેન્દ્ર સરકારની ખાધને જીડીપીના 4.5 ટકા સુધી ઘટાડવા માટે, તે મધ્યમ ગાળાના રોડ-મેપનું પુનરાવર્તન કરશે. જાહેર અને ખાનગી મૂડી ખર્ચને પ્રોત્સાહિત કરવાની સાથે રોકાણ-આધારિત વૃદ્ધિનું સમર્થન જારી રાખવું અને જીવનની સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવશે. તેમણે જણાવ્યું કે અમે અપેક્ષા રાખીએ છીએ કે બજેટનું ફોકસ રોજગાર સર્જન, માળખાકીય ઢાંચા સુધી પહોંચ અને સુવિધાઓની ઉપલબ્ધતામાં સુધારો કરવા પર રહેશે.

 આ સમાચાર પણ વાંચો:  મુંબઈ દર્શન કરવું હવે સરળ, પ્રવાસન વિભાગે  શરૂ કરી ‘હોપ ઓન-હોપ ઓફ બસ સેવા’

Nalasopara heavy waterlogging મુંબઈના પરા વિસ્તારોને મેઘરાજાએ ધમરોળ્યા નાલાસોપારામાં ઘૂંટણસમા પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત
Lashkar terrorist killed in Shopian જમ્મુકાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા, શોપિયાં એન્કાઉન્ટરમાં લશ્કરનો ખૂંખાર આતંકવાદી ઠાર..
Gold Silver Today Rate સોનાના ભાવમાં મોટો કડાકો, સતત ત્રીજા દિવસે સસ્તું થયું સોનું, જાણો આજના નવા ભાવ
Mumbai Local Train service disrupted વસઈ રેલ્વે સ્ટેશન પર સર્જાઈ ટેકનિકલ ખામી, પીક અવર્સમાં ટ્રેન વ્યવહાર ખોરવાયો, મુસાફરો ના હાલ બેહાલ…
Exit mobile version