Site icon News Continuous Bureau | Mumbai

Share Market: રોકાણકારો થયા માલામાલ, 16 વર્ષમાં 20 વખત ડિવિન્ડ, 980% વળતર.. જાણો ક્યો છે આ સ્ટોક.. .

Share Market: અદાણી પોર્ટ્સના શેરમાં મોટી ઓર્ડર બુક અને ઉત્તમ કમાણીના આધારે હજુ પણ વધારો જોવા મળી રહ્યો છે. અદાણી પોર્ટ્સ પર 7 બ્રોકરેજ હાઉસ પણ તેજીમાં છે. આ બ્રોકરેજ હાઉસોને આશા છે કે અદાણી પોર્ટ્સના શેરો આવનારા સમયમાં રોકાણકારોને મોટી કમાણી કરાવશે.

Share Market Investors got rich, 20 times dividend in 16 years, 980% return..

Share Market Investors got rich, 20 times dividend in 16 years, 980% return..

News Continuous Bureau | Mumbai

Share Market: અદાણી ગ્રુપના ઘણા શેરોએ રોકાણકારોને ( investors ) મોટો નફો કર્યો છે. લાંબા ગાળામાં જંગી નફો આપનારા શેરોમાં અદાણી પોર્ટ્સના સ્ટોકનું નામ પણ સામેલ છે. ખાસ વાત એ છે કે હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના ( Adani Group ) અન્ય શેર્સમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ અદાણી પોર્ટ્સનો શેર આ ઝટકાને સહેલાઈથી સહન કરી શક્યો હતો અને તેમાં બહું ઘટાડો થયો ન હતો. જો કે, 2008ની મંદીથી આ શેરે તેના રોકાણકારોને 980% થી વધુ વળતર આપ્યું છે. આ સિવાય ડિવિડન્ડ આપવાના મામલે પણ આ સ્ટોક આગળ રહ્યો છે અને અત્યાર સુધીમાં તેણે 20 વખત ડિવિડન્ડ આપ્યું છે. અદાણી પોર્ટ્સના શેર પણ એક વખત વિભાજિત પણ થયો છે. 23 સપ્ટેમ્બર, 2010ના રોજ, તેને 1:5ના ગુણોત્તરમાં રૂ. 10 અને રૂ. 2માં વિભાજિત કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Channel

અદાણી પોર્ટ્સના ( Adani Ports ) શેરમાં મોટી ઓર્ડર બુક અને ઉત્તમ કમાણીના આધારે હજુ પણ વધારો જોવા મળી રહ્યો છે. અદાણી પોર્ટ્સ પર 7 બ્રોકરેજ હાઉસ પણ તેજીમાં છે. આ બ્રોકરેજ હાઉસોને આશા છે કે અદાણી પોર્ટ્સના શેરો આવનારા સમયમાં રોકાણકારોને મોટી કમાણી કરાવશે. અદાણી પોર્ટ્સની મહત્તમ લક્ષ્ય કિંમત રૂ. 1,500 આપવામાં આવી છે. બ્રોકરેજ હાઉસે ( brokerage house ) અદાણી પોર્ટ પર BUY રેટિંગ જાળવી રાખી અને રૂ. 1,470 (અદાણી પોર્ટ્સ શેર ટાર્ગેટ પ્રાઇસ)નો ટાર્ગેટ આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  Cyber Crime : શેરબજારમાં રોકાણના નામેે, સારા વળતરની લાલચ આપી 68 વર્ષીય સિનિયર સિટિજન સાથે રુ. 1.12 કરોડની છેતરપિંડી, આરોપીની ધરપકડ..

 અદાણી પોર્ટ્સના શેરમાં હજુ પણ તેજી….

અદાણી પોર્ટ્સના શેરમાં ( Share market ) હજુ પણ તેજી છે . છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ( Trading session ) આ શેર NSE પર રૂ. 1,329.55ના સ્તરે બંધ થયો હતો. છેલ્લા એક મહિનામાં આ સ્ટોક 6.42 ટકા વધ્યો છે. તે જ સમયે, છેલ્લા છ મહિનામાં, અદાણી પોર્ટ્સના શેરોએ રોકાણકારોને 50 ટકા નફો આપ્યો છે.

આ શેરની કિંમત એક વર્ષમાં 90 ટકા વધી છે. તે જ સમયે, અદાણી જૂથના આ શેરે પાંચ વર્ષમાં રોકાણકારોને 262 ટકા વળતર આપ્યું છે. NSE પર તેની 52 સપ્તાહની ઊંચી સપાટી 1356.55 રૂપિયા છે અને NSE પર તેની 52 સપ્તાહની નીચી કિંમત રૂપિયા 571.55 છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Stock Market Crash| માર્કેટમાં હાહાકાર! સેન્સેક્સ ૯૨૨ પોઈન્ટ નીચે પટકાયો, આ કારણોને લીધે બજારમાં મચ્યો ખળભળાટ
Share Market| શેરબજારમાં તેજીનો માહોલ સેન્સેક્સમાં 358 અંકનો ઉછાળો, નિફ્ટી પણ 101 અંક વધીને બંધ
Share Market Update। ભારતીય શેરબજારમાં નરમાશ સાથે શરૂઆત સેન્સેક્સમાં ૨૦૮ પોઈન્ટનો કડાકો, નિફ્ટી ૧૯,૦૦૦ ની આસપાસ
Stock Market Today| બજારમાં તેજીની લહેર! સેન્સેક્સ ૭૭,૦૦૦ ને પાર, સન ફાર્માના શેરમાં થયો તોફાની ઉછાળો
Exit mobile version