Site icon News Continuous Bureau | Mumbai

Ayodhya Ram Mandir: અયોધ્યા જનારાઓ માટે સારા સમાચાર.. સ્પાઈસ જેટ લાવી છે આ જોરદાર ઓફર.. માત્ર આટલા રુપિયામાં ફલાઈટ બુક કરીને પહોંચો અયોધ્યા..

Ayodhya Ram Mandir: રામ મંદિરના ઉદ્દઘાટન બાદ રામ ભક્તો માટે પ્રવેશ દ્વાર ખુલ્લા થઈ ગયા છે. ત્યારે ઉત્સાહના આ માહોલમાં એરલાઈન્સ પણ વિવિધ ઓફરો સાથે મુસાફરોને આકર્ષી રહી છે.

Spice Jet has brought this great offer.. Book a flight for just this much rupees and reach Ayodhya.

Spice Jet has brought this great offer.. Book a flight for just this much rupees and reach Ayodhya.

News Continuous Bureau | Mumbai 

Ayodhya Ram Mandir: અયોધ્યા રામ મંદિરનો અભિષેક પૂર્ણ થઈ ગયો છે. રામ મંદિરને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે આ ક્ષણની ઉજવણી કરી રહ્યો છે. આ અવસરને વધુ ખાસ બનાવવા માટે એરલાઈન કંપની સ્પાઈસ જેટે ( SpiceJet  ) પણ તેના ગ્રાહકો માટે સસ્તી ફ્લાઈટની જાહેરાત કરી છે. આ ફ્લાઈટ સેવા ( Flight service ) દેશના અલગ-અલગ શહેરોમાંથી શરૂ કરવામાં આવશે. 

Join Our WhatsApp Channel

એરલાઇન કંપનીએ દેશના મોટા શહેરોથી 1622 રૂપિયામાં ફ્લાઇટ ટિકિટ ( Flight ticket ) ઓફર કરી છે. સ્પાઈસ જેટના જણાવ્યા અનુસાર, રૂ. 1622નું ભાડું ( Ticket Fair ) મુંબઈ-ગોવા, દિલ્હી-જયપુર અને ગુવાહાટી-બાગડોગરા જેવા મુસાફરી સ્થળોમાં ( travel destinations ) આ સ્થાનિક રૂટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય કેટલાક શહેરોમાંથી પણ સમાન ભાડા પર ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે.

આ ઓફર હેઠળ સીટો વહેલા તે પહેલાના ધોરણે વહેંચવામાં આવશે…

સ્પાઈસ જેટ 1લી ફેબ્રુઆરીથી ( Ayodhya  ) અયોધ્યા સાથે ડાયરેક્ટ કનેક્ટિવિટી શરૂ કરી રહી છે. આ ફ્લાઈટ્સ ચેન્નાઈ, અમદાવાદ, દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, જયપુર, પટના અને દરભંગા જેવા મુખ્ય શહેરોને જોડશે. આ ઓફરમાં અયોધ્યા આવતી અને જતી નવી ફ્લાઈટ્સની ઈન્વેન્ટરીનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : Rahul Gandhi: કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા વચ્ચે,રાહુલ ગાંધીને આ મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા.. કાર્યકર્તાઓએ સરકાર પર કર્યા પ્રહારો.

સ્પાઈસજેટની આ ઓફર 22 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે, જેનું બુકિંગ 28 જાન્યુઆરી સુધી કરી શકાશે, જ્યારે તમે આમાં ટ્રાવેલ 30 સપ્ટેમ્બર, 2024 સુધી કરી શકાશો. આ ઓફર અમુક પસંદગીના શહેરોમાંથી જ શરૂ કરવામાં આવી છે. આ ઓફર હેઠળ સીટો વહેલા તે પહેલાના ધોરણે વહેંચવામાં આવશે. આ ઑફરનો લાભ ગ્રુપ બુકિંગ પર નહીં મળે. આ ઑફરને કોઈપણ અન્ય ઑફર સાથે મર્જ કરી શકાતી નથી. આ સિવાય જો તમે ટિકિટ કેન્સલ કરાવો છો તો કેન્સલેશન ચાર્જની કપાત સાથે પૈસા પરત કરવામાં આવશે.

આ ઓફરમાં તમે તમારી મુસાફરીની તારીખ પણ ફ્રિમાં અપડેટ કરી શકો છો. આ સિવાય તમને ભોજન પર 30 ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં મળશે. આ માટે તમારે બુકિંગ વખતે સ્પાઈસજેટની મોબાઈલ એપનો ઉપયોગ કરવો પડશે.

PM Modi Foreign Tour। ૫ દેશોનો ૫ દિવસનો સુપરફાસ્ટ પ્રવાસ ખેડી વતન પરત ફર્યા પીએમ મોદી જાણો ભારત માટે કઈ રીતે ‘ગેમચેન્જર’ સાબિત થઈ આ યાત્રા!
PM Modi Meeting। દિલ્હીમાં મોટી હલચલ પીએમ મોદીના વતન પરત ફરતા જ મંત્રીઓ એલર્ટ, શું સરકાર કોઈ મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે?
Donald Trump Crude Oil Crash। ટ્રમ્પના એક નિવેદનથી વૈશ્વિક બજારમાં કંપારી ‘પાતાળમાં જશે ક્રૂડ ઓઇલના ભાવ’, ઈરાન મુદ્દે અમેરિકી રાષ્ટ્રપતિનો મોટો સંકેત
Nationwide Chemist Strike 2026। મેડિકલ સ્ટોર્સની હડતાળથી દેશમાં હાહાકાર! ૧૫ લાખ કેમિસ્ટો આજે કેમ રાખી રહ્યા છે બંધ? જાણી લો તમારા રાજ્યની સ્થિતિ
Exit mobile version