Site icon

વેપારીઓને મળી મોટી રાહત- સુપ્રીમ કોર્ટે વેટની બાકી ટેક્સક્રેડિટ લેવા GST પોર્ટલ આટલા દિવસ ખુલ્લુ રાખવાનો કાઉન્સિલને કર્યો આદેશ- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

GST મામલે સુપ્રીમ કોર્ટે(Supreme court) વેપારીઓને મોટી રાહત આપી છે. કોર્ટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(Goods and service tax) નેટવર્ક પોર્ટલને 1 સપ્ટેમ્બર(September)થી બે મહિના માટે ખુલ્લું રાખવાનો નિર્દેશ આપ્યો છે, જેથી બિઝનેસ ટેક્સ ક્રેડિટ(Business tax credit)નો દાવો કરી શકે. મહત્વનું છે કે, જુલાઈ 2017માં આવેલી આ નવી પરોક્ષ કર વ્યવસ્થા પછી આવા ઘણા કેસ પેન્ડિંગ છે. નિષ્ણાતોએ આ નિર્ણયને સીમાચિહ્ન ગણાવ્યો છે.

Join Our WhatsApp Community

અદાલતના આ નિર્ણયથી ઘણા વ્યવસાયોને રાહત મળશે જેઓ એક્સાઇઝ ડ્યુટી(excise duty) અને સર્વિસ ટેક્સ(service tax)ના અગાઉના શાસનમાં ટેક્સ ક્રેડિટ્સ(Tax credits) અંગે સરકાર સામે મુકદ્દમા લડી રહ્યા હતા, જેનો તેઓ GSTમાં ફેરફારો પછી લાભ મેળવી શક્યા ન હતા. આ રીતે તમામ વ્યવસાયોને ટેક્સ ક્રેડિટ મળવાનો મામલો અટકી ગયો છે.

આ સમાચાર પણ વાંચો : સોનાના ભાવમાં છેલ્લા 10 દિવસથી સતત થઇ રહ્યો છે ઘટાડો-આ છે તે પાછળનું કારણ

નિષ્ણાતોએ જણાવ્યું કે કોર્ટે સરકારને 1 સપ્ટેમ્બરથી બે મહિનાના સમયગાળા માટે સંબંધિત ફોર્મ ભરવાની મંજૂરી આપવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્દેશ એવા સમયે સામે આવ્યો છે જ્યારે કેટલીક ટેકનીકલ ખામી(Technical glitch)ઓને કારણે ઘણા કરદાતા(tax payer)ઓ ફોર્મ ફાઇલ કરી શકતા નથી. આવી સ્થિતિમાં, કોર્ટે આદેશ આપ્યો કે જો લોકો ટેકનિકલ ખામીઓને કારણે ફોર્મ ભરી શકતા નથી, તો તેમાં તેમની ભૂલ નથી. આથી, તેઓને લોનનું રિફંડ મેળવવાનો અધિકાર નકારી શકાય નહીં.

નિષ્ણાતોએ જણાવ્યું કે, જેનું GST રિટર્ન(GST return) અટવાયું છે તેવા તમામ વ્યવસાયો માટે આ એક સુવર્ણ તક છે. તે રિટ પિટિશનના પક્ષકાર છે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના પ્રકાશમાં તમામ વ્યવસાયોએ કોઈપણ પ્રી-જીએસટી ક્રેડિટ જ્યાં તેમના નાણાં અટવાયેલા છે તે જોવું જોઈએ. આ મામલે મીડિયા દ્વારા ઈ-મેલથી પુછવામાં આવેલા પ્રશ્નોનો હજુ સુધી કોઈ નાણાં મંત્રાલયે કોઈ જવાબ આપ્યો નથી. જો કે, કોર્ટના આ નિર્ણયથી સેંકડો વ્યવસાયોને ફાયદો મળવનાની સંભાવના છે. 

Gold Rate Today: સોનાના ભાવમાં ₹૧,૮૦૦નો મસમોટો ઘટાડો, ચાંદી પણ સસ્તી થઈ; યુદ્ધ વચ્ચે કેમ ઘટ્યા ભાવ? વાંચો સંપૂર્ણ વિશ્લેષણ
Jag Laadki Ship India Return: સમુદ્રમાં જયશંકરનો જાદુ! ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનું તેલ જહાજ સુરક્ષિત રવાના, ભારતીય નૌસેનાની દેખરેખ હેઠળ મિશન ‘જગ લાડકી’ શરૂ
Anil Ambani ED Case: અનિલ અંબાણી ગ્રુપ પર EDનો ગાળિયો કસાયો: 13 રાજ્યોમાં ₹581 કરોડની 31 મિલકતો જપ્ત
LPG Supply Crisis: ગેસ સંકટનો માસ્ટરપ્લાન: ઘરે-ઘરે પહોંચ્યા ઇન્ડક્શન ચૂલા! ઈ-કોમર્સ સાઈટ્સ પર સ્ટોક ખૂટ્યો, રેકોર્ડબ્રેક વેચાણથી કંપનીઓ માલામાલ
Exit mobile version