Site icon News Continuous Bureau | Mumbai

લ્યો બોલો ભારતની ૧૦ ટકા ધનિક આખા વ્યક્તિઓ દેશની ૫૦ ટકા સંપત્તિ પર માલિકી ધરાવે છે;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

ભારત દેશ ગરીબી જેવી મોટી સમસ્યા સામે લડી રહ્યો છે. ધનિકો વધુ ધનિક થઈ રહ્યા છે. એવા સમયમાં હાલમાં ભારતની સંપત્તિ પર માલિકી ધરાવતા લોકોની સંખ્યા બાબતે એક સર્વેક્ષણ થયું છે. એમાં સામે આવ્યું છે કે ૧૦ ટકા સંપત્તિવાનો આખા દેશની ૫૦ ટકા સંપત્તિ પર માલિકી ધરાવે છે, જ્યારે ૫૦ ટકા નિમ્ન વર્ગના લોકો ૧૦ ટકાથી ઓછી સંપત્તિના માલિક છે.

વર્ષ ૨૦૧૯માં જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન થયેલા ઑલ ઇન્ડિયા ડેબ્ટ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ સર્વેમાં આંકડા મળ્યા છે કે દેશના ૧૦ ટકા ધનવાનો શહેરની કુલ સંપત્તિની ૫૫.૭ ટકા સંપત્તિ પર માલિકી ધરાવે છે અને ૫૦.૮ ટકા ગ્રામીણ સંપત્તિના તેઓ માલિકી છે. આ સંપત્તિમાં જમીન, ઇમારતો, લાઇવસ્ટૉક અને વાહનો સહિત કંપનીના શૅર, બૅન્ક અને પોસ્ટ ઑફિસની ડિપોઝિટ વગેરેનો સમાવેશ થાય છે.

કડક અવાજ અને ડેન્જર વિલન એવા અમરીશ પુરીની દીકરી દેખાય છે ખૂબ સુંદર, શું તમે તેના વિશે જાણો છો?

ગ્રામીણ વિસ્તારોમાં કુલ સંપત્તિ ૨૭૪.૫ પાંચ લાખ કરોડ રૂપિયા છે, જેમાંથી ૧૩૯.૧૫ લાખ કરોડની સંપત્તિ પર આ ૧૦ ટકા ધનવાનો માલિકી ધરાવે છે. જ્યારે શહેરી વિસ્તારોમાં ૨૩૮.૧ લાખ કરોડમાંથી ૧૩૬.૫ લાખ કરોડ રૂપિયાની સંપત્તિના આ ધનવાનો માલિક છે. 

સર્વે મુજબ ભારતના કેટલાંક રાજ્યોમાં સંપત્તિ બાબતે અસમાનતા વધુ છે. જેમાં દિલ્હી સૌથી મોખરે છે. દિલ્હીના ૧૦ ટકા ધનવાનો ૮૦. ૮ ટકા સંપત્તિના માલિક છે, જ્યારે ગરીબ વર્ગના ૫૦ ટકા લોકો માત્ર ૨.૧ ટકા સંપત્તિના માલિક છે. એની પાછળનું કારણ શહેરની હદ પર વસતાં ગામડાંઓની જમીનના ભાવ વધારે છે એ હોઈ શકે.

શેરબજારમાં ફુલગુલાબી તેજી, સેન્સેક્સે 59500ની સપાટી વટાવી, નિફ્ટી 17,700ને પાર; જાણો કયા શેરોમાં જોવા મળી તેજી

Wholesale Inflation Surge જથ્થાબંધ મોંઘવારીમાં સતત 8મા મહિને વધારો, સામાન્ય જનતાને ફરી ઝટકો; જાણો કઈ વસ્તુઓના ભાવ વધ્યા?
Gold Monetisation Scheme 2026 લોકરનું સોનું હવે વધારશે તમારી આવક! સરકારનો ‘માસ્ટર પ્લાન’, જાણો કેવી રીતે થશે કમાણી.
IndiaRussia Oil Trade પશ્ચિમી દેશોના દબાણને ફગાવ્યું રશિયન ક્રૂડ ઓઈલની ખરીદીમાં ભારતે તોડ્યા તમામ રેકોર્ડ!
Balanced Hybrid Fund Benefits બેલેન્સ હાઈબ્રિડ ફંડ શું છે અને માર્કેટના ઉતારચઢાવમાં તે શા માટે મહત્વનું છે? જાણો તેના ફાયદા
Exit mobile version