Site icon

Income Tax Notice: દેશના આ રાજકીય પક્ષોને દાન આપવું પડશે ભારે, આવકવેરા વિભાગે કરદાતાઓને ફટકારી નોટીસ

Income Tax Notice: આવકવેરા વિભાગે એવા ઘણા કરદાતાઓને નોટિસ પાઠવી છે. જેમણે રાજકીય પક્ષોને દાન આપ્યું છે. આ દાન નોંધાયેલ તો છે. પરંતુ ચૂંટણી પંચ દ્વારા માન્ય નથી. તેથી આવા કરદાતાઓને આ નોટિસ આવકવેરા વિભાગ દ્વારા નાણાકીય વર્ષ 2020-21 અને નાણાકીય વર્ષ 2021-22 માટે મોકલવામાં આવી છે.

These political parties of the country have to donate heavily, the Income Tax Department has issued a notice to the taxpayers

These political parties of the country have to donate heavily, the Income Tax Department has issued a notice to the taxpayers

News Continuous Bureau | Mumbai 

Income Tax Notice: રાજકીય પક્ષોના નામે કરચોરી કરનારાઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. હવે આવકવેરા વિભાગે ( Income Tax Department ) ઘણા કરદાતાઓને નોટિસ પાઠવી છે. જેમણે આવકવેરો બચાવવા માટે બોગસ રાજકીય પક્ષોને દાન આપ્યું હોવાની શંકા છે.

Join Our WhatsApp Community

અહેવાલ મુજબ, આવકવેરા વિભાગે એવા ઘણા કરદાતાઓને નોટિસ પાઠવી છે. જેમણે રાજકીય પક્ષોને ( political parties) દાન આપ્યું છે. આ દાન ( donation ) નોંધાયેલ તો છે. પરંતુ ચૂંટણી પંચ દ્વારા માન્ય નથી. તેથી આવા કરદાતાઓને આ નોટિસ આવકવેરા વિભાગ દ્વારા નાણાકીય વર્ષ 2020-21 અને નાણાકીય વર્ષ 2021-22 માટે મોકલવામાં આવી છે. વિભાગ એ જાણવા માંગે છે કે શું બેનામી પક્ષોને આપવામાં આવેલ આ દાન કરચોરી ( Tax evasion ) અને ભંડોળના ગેરઉપયોગ માટે છે.

રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2020-21 અને નાણાકીય વર્ષ 2021-22 માટે આવકવેરા વિભાગ દ્વારા અત્યાર સુધીમાં લગભગ 5 હજાર નોટિસ મોકલવામાં આવી છે. વિભાગ વધુ શંકાસ્પદ કરદાતાઓને નોટિસ મોકલવા જઈ રહ્યું છે. આગામી દિવસોમાં અનામી રાજકીય પક્ષોને દાન આપનારા અન્ય ઘણા કરદાતાઓને ( taxpayers ) પણ આવકવેરાની નોટિસ મળી શકે છે.

 આવકવેરા કાયદા ( Income Tax Laws ) પ્રમાણે રાજકીય પક્ષોને દાન આપવામાં આવેલ રકમમાં કરમાંથી મુક્તિ અપાય છે…

રિપોર્ટમાં વધુમાં જણાવ્યા અનુસાર, આવકવેરાના રડાર પર હાલ ઓછામાં ઓછા 20 રાજકીય પક્ષોને દાન આપનારા કરદાતાઓ છે. રસપ્રદ વાત એ છે કે, આ રાજકીય પક્ષોમાં આપેલ દાનની નોંધણી દેખાય રહી છે, પરંતુ ચૂંટણી પંચ તરફથી તેમને હજુ સુધી માન્યતા મળી નથી. તેથી સંબંધિત કેસોમાં, આવકવેરા વિભાગ શંકાસ્પદ બન્યું છે કારણ કે જે રીતે દાન આપવામાં આવ્યું છે. તે કરદાતાઓની આવક સાથે મેળ ખાતું નથી. કેટલાક કિસ્સાઓમાં, પક્ષકારોએ કરદાતાઓને રોકડમાં પણ નાણાં પરત કર્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Supreme Court : ઈલેક્ટોરલ બોન્ડ કાયદેસર કે ગેરકાયદે, આજે સુપ્રીમ કોર્ટ આપશે મહત્વનો નિર્ણય.. જાણો શું છે આ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ..

આવકવેરા કાયદા પ્રમાણે રાજકીય પક્ષોને દાન આપવામાં આવેલ રકમમાં કરમાંથી મુક્તિ અપાય છે. જો કરદાતા રાજકીય પક્ષ અથવા ચૂંટણી ટ્રસ્ટને દાન આપે છે, તો તે દાનના બદલામાં 100 ટકા કપાતનો દાવો કરી શકાય છે. સામાન્ય ભાષામાં તેને ચૂંટણી દાન પણ કહેવાય છે. જો કે, તેમાં એક શરત છે કે કોઈપણ કરદાતા દ્વારા આપવામાં આવેલ કુલ ચૂંટણી દાન તેની કુલ આવક કરતા ઓછું હોવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ આવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જ્યારે ચૂંટણી દાનના નામે કરચોરી અને મની લોન્ડરિંગ માટે તેનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. તાજેતરમાં, આવકવેરા વિભાગને એવા ઘણા કિસ્સાઓ મળ્યા છે જેમાં આવક કરતા વધારે દાન આપવામાં આવ્યું છે અથવા કુલ આવકના 80 ટકા સુધી દાન તરીકે દર્શાવવામાં આવ્યું છે.

 

JNU Sloganeering: JNU ફરી વિવાદોના વંટોળમાં: પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ લાગ્યા વિવાદાસ્પદ નારા; ઉમર ખાલિદના જામીન રદ થતા વિદ્યાર્થીઓનો ભારે હોબાળો
Gold Price: આજના સોના-ચાંદીના ભાવ: ઝવેરી બજારમાં તેજીનો કરંટ, જાણો આજે કેટલું મોંઘું થયું સોનું અને ચાંદી
Delhi: દિલ્હી મેટ્રો સ્ટાફ ક્વાર્ટરમાં આગ લાગતા સર્જાઈ ભયાનક તારાજી, સળગેલા મૃતદેહ મળતા પોલીસ પણ સ્તબ્ધ; જાણો કેવી રીતે બની ઘટના
Suresh Kalmadi Passes Away: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા સુરેશ કલમાડીનું નિધન: 82 વર્ષની વયે પુણેમાં લીધા અંતિમ શ્વાસ
Exit mobile version