Site icon News Continuous Bureau | Mumbai

નવો મહિનો- નવા નિયમ- આજથી લાગુ થયા આ મોટા ફેરફારો- જાણો ક્યાં વધુ રૂપિયા ખર્ચવા પડશે અને ક્યાં થશે બચત

News Continuous Bureau | Mumbai

આજથી સપ્ટેમ્બર(September) મહિનો શરૂ થઈ રહ્યો છે અને આજથી જ ઘણા નવા નિયમો(new rule) લાગુ થવા જઈ રહ્યા છે. આમાંના કેટલાક નિયમો તમારા ખિસ્સાને ઢીલા કરવાના છે, જ્યારે કેટલાક નિયમો તમારી સુવિધા માટે હશે.

Join Our WhatsApp Channel

આ મહત્વપૂર્ણ નિયમો 1 સપ્ટેમ્બરથી એટલે કે આજથી બદલાઈ ગયા છે.

1.એલપીજીના ભાવમાં ફેરફાર(LPG Gas cylinder)

19 કિલોગ્રામવાળા કોર્મશિયલ એલપીજી ગેસના સિલિન્ડર આજથી 100 રુપિયા સસ્તા થઈ ગયા છે. કંપનીઓ મુજબ ઈન્ડિયન સિલિન્ડર દિલ્હીમાં 91.50 રુપિયા, કોલકતામાં 100 રુપિયા, મુંબઈમાં 92.50 રુપિયા અને ચેન્નઈમાં 96 રૂપિયા સસ્તા થઈ ગયા છે. રસોઈ ગેસની કિંમતોમાં આ કાપ આખા દેશમાં કરવામાં આવ્યો છે. જોકે સ્થાનિક રસોઈ ગેસના સિલિન્ડર 14 કિલોગ્રામના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

2.વધી ગયો ટોલ ટેક્સ(toll tax)

જો તમે દિલ્હી આવવા-જવા માટે યમુના એક્સપ્રેસ વે નો ઉપયોગ કરો છો તો હવે તમારે વધુ ટોલ ટેક્સ ભરવો પડશે. નાના વાહનો જેમકે કાર પર તમને પ્રતિ કિલોમીટર 10 પૈસા વધુ આપવો પડશે. જ્યારે મોટી કોમર્શિયલ ગાડીઓ જેમ કે ટ્રક માટે 52 પૈસા પ્રતિ કિલોમીટર ટોલ આપવા પડશે.

આ સમાચાર પણ વાંચો : ખતરાની ઘંટી- 160 માઈલની ઝડપે આવી રહ્યું છે વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું- આ દેશના લોકો માટે મોટો ખતરો

3.હવે આટલું મળશે ઇન્સ્યોરન્સ એજન્ટને કમિશન(Insurance agent commission)

IRDAI ના જનરલ ઈન્શ્યોરન્સના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે ઈન્શ્યોરન્સ એજન્ટને 30 થી 35 ટકાના બદલે 20 ટકા જ કમિશન મળશે. આનાથી વીમો લેનારા લોકોની પ્રીમિયમની રકમમાં ઘટાડો થશે.

4.મોંઘી થશે આ બધી કાર (Audi car price increased)

જો તમે પણે ઓડી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે પણ મોંઘી થવાની છે. ઓડી કારની કિંમતોમાં 2.4 ટકાનો વધારો થયો છે. તેની નવી કિંમતો 20 સપ્ટેમ્બરથી લાગુ થશે.

આ સમાચાર પણ વાંચો : આખરે સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇને રોકડું પરખાવી દીધું- કહ્યું- આતો દુકાન છે- કર્મચારીઓ માટે આ કામ કરો

5.પંજાબ નેશનલ બેંક KYC અપડેટ(Punjab National Bank KYC Rule)

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે KYC ફરજિયાત કરવામાં આવ્યું છે. બેંકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપતા કહ્યું કે, તમામ ગ્રાહકોએ 31 ઓગસ્ટ પહેલા તેમનું KYC કરાવી લેવું જોઈએ. આ માટે તમે બેંક શાખાનો સંપર્ક કરી શકો છો. જો તમે 31 ઓગસ્ટ સુધીમાં તમારું એકાઉન્ટ અપડેટ નહીં કરો તો તમે તમારા એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી શકશો નહીં.

India UK FTA Whisky Tariff Cut ભારતબ્રિટન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની મોટી અસર, સ્કોચ વ્હિસ્કી પરની આયાત ડ્યુટી ૧૫૦% થી ઘટાડીને આટલી કરાઈ
Old Pension Scheme Return જૂની પેન્શન યોજનાની વાપસી પર સંસદમાં સરકારના જવાબે અટકળોનો અંત આણ્યો, ઓપીએસ પર સ્પષ્ટ નિવેદન આપ્યું
Stock Markets End Lower વૈશ્વિક દબાણ અને નફાવસૂલીથી ભારતીય શેરબજાર ડાઉન સેન્સેક્સમાં કડાકો, નિફ્ટી 23,800 ની આસપાસ બંધ; રોકાણકારોની સંપત્તિ ઘટી
Elon Musk Loss ટેસ્લાસ્પેસએક્સમાં કડાકો મસ્કને એક દિવસમાં 44.4 અબજ ડોલરનો ઝાટકો
Exit mobile version