Site icon

Anil Ambani: વેચાવા જઈ રહી છે અનિલ અંબાણીની આ કંપની, 40,000 કરોડનું છે દેવું

ઉદ્યોગપતિ અનિલ અંબાણી પર ભારે દેવું છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ (RCap) વેચવા જઈ રહી છે. દેવામાં ડૂબેલી રિલાયન્સ કેપિટલના ધિરાણકર્તાઓએ હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા રજૂ કરાયેલ સમાધાન યોજનાના તરફેણમાં મતદાન કર્યું છે

News Continuous Bureau | Mumbai

ઉદ્યોગપતિ અનિલ અંબાણી પર ભારે દેવું છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ (RCap) વેચવા જઈ રહી છે. દેવામાં ડૂબેલી રિલાયન્સ કેપિટલના ધિરાણકર્તાઓએ હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા રજૂ કરાયેલ સમાધાન યોજનાના તરફેણમાં મતદાન કર્યું છે. કંપનીએ બિડિંગના બીજા રાઉન્ડમાં રૂ. 9,661 કરોડની સૌથી વધુ રોકડ ઓફર કરી છે. સૂત્રોએ જણાવ્યું કે 99 ટકા વોટ ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL) તરફથી લગાવવામાં આવેલી બોલીના પક્ષમાં હતા. તેનું કારણ એ છે કે ધિરાણકર્તાઓ રૂ. 9,661 કરોડની રોકડ ચુકવણીમાંથી લોનની વસૂલાતની અપેક્ષા રાખી રહ્યા છે.

Join Our WhatsApp Community

65 ટકા વસૂલ કરવામાં આવશે

માહિતી અનુસાર, આ સાથે, ધિરાણકર્તાઓને રિલાયન્સ કેપિટલ પાસે પડેલી રૂ. 500 કરોડથી વધુની રોકડ પણ મળશે. આ રીતે ધિરાણકર્તાને 10,200 કરોડ રૂપિયા મળવાની અપેક્ષા છે. જો કે મૂળ સુરક્ષિત દેવું રૂ. 16,000 કરોડ છે, તેનો અર્થ એ છે કે ધિરાણકર્તાઓ માટે કુલ દેવાના માત્ર 65 ટકા જ વસૂલ થશે.

રિલાયન્સ કેપિટલના સંચાલકો આગામી સપ્તાહે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મુંબઈ બેંચ સમક્ષ IIHLનો સમાધાન યોજના રજૂ કરે તેવી શક્યતા છે. સમાધાન યોજના સબમિટ કરવાની અંતિમ તારીખ 15 જુલાઈ છે.

આ સમાચાર પણ વાંચો: Gadar 2 : અમિષા પટેલે જાહેર કર્યું ‘ગદર 2’નું સૌથી મોટું સસ્પેન્સ, યુઝર્સે કહ્યું- હવે શું બાકી છે!

9,500 કરોડની ન્યૂનતમ બોલી

IIHL ની સમાધાન યોજના પર મતદાન, જે 9 જૂનથી શરૂ થયું હતું, ગુરુવારે સમાપ્ત થયું. લેણદારોની સમિતિએ પ્રથમ રાઉન્ડમાં લઘુત્તમ બોલી મર્યાદા રૂ. 9,500 કરોડ નક્કી કરી હતી. જ્યારે એપ્રિલમાં યોજાયેલી હરાજીના બીજા રાઉન્ડમાં આ મર્યાદા 10,000 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. તે પછી, બિડિંગના દરેક રાઉન્ડમાં રૂ. 250-250 કરોડનો વધારો થશે. સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ 26 એપ્રિલે હરાજીનો બીજો રાઉન્ડ યોજાયો હતો.

ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સની અપીલ

જોકે, સૂત્રોએ જણાવ્યું કે રિલાયન્સ કેપિટલ માટે રિઝોલ્યુશન પ્લાન પર લેણદારોની સમિતિ દ્વારા કોઈપણ નિર્ણય ટોરેન્ટ ઈન્વેસ્ટમેન્ટ્સની અપીલ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર નિર્ભર રહેશે. હરાજીના પ્રથમ રાઉન્ડ પછી રિલાયન્સ કેપિટલની રિઝોલ્યુશન પ્રક્રિયા કાનૂની સંઘર્ષમાં ફસાઈ ગઈ હતી. હરાજીના પ્રથમ રાઉન્ડની પૂર્ણાહુતિ બાદ હિન્દુજા જૂથની કંપનીએ બિડ સબમિટ કરી હતી. હરાજીની તારીખ પૂરી થયા પછી બિડ સબમિટ કરવામાં આવી હતી. ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ દ્વારા આને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો કારણ કે તે પ્રથમ રાઉન્ડમાં સૌથી વધુ બોલી લગાવનાર કંપની હતી.

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version