Site icon News Continuous Bureau | Mumbai

વેપારીઓ ફરી નિરાશ, નવી ગાઇડલાઇનને કારણે હવે દુકાનદારોને વધુ છૂટ નહીં મળે;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૬ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

કોરોનાના ડેલ્ટા અને ડેલ્ટા પ્લસને કારણે ગંભીર ત્રીજી લહેરના અહેવાલો વચ્ચે, મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે હવે રાજ્યમાં પ્રતિબંધો હળવા થઈ શકશે નહિ. હવે પૉઝિટિવિટી રેટ ઘટે તો પણ ત્રીજા તબક્કાથી નીચેના તબક્કાના નિયમો જિલ્લામાં લાગુ કરાશે નહિ. એથી હવે વેપારીઓ માટે હાલાકી વધી છે. મુંબઈના વેપારીઓને આશા હતી કે ટૂંક સમયમાં વધુ છૂટછટ મળશે, પરંતુ સરકારે બહાર પડેલા આજના આદેશ મુજબ તેમની આશા પર પાણી ફરી વળ્યું છે.

આ અંગે ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિએશન (FRTWA)ના પ્રેસિડેન્ટ વિરેન શાહે એક પરિપત્ર દ્વારા કહ્યું છે કે “મહારાષ્ટ્ર સરકારે નવા ડેલ્ટા વેરિયન્ટ અને ભારત સરકારની ત્રીજી લહેર અંગેની ચેતવણીને આધારે આ કૉલ લઈ રહી છે. આનાથી ધંધામાં ખૂબ જ ખરાબ અવરોધ ઊભો થશે અને ઇ-કૉમર્સને ફાયદો થશે.”

બરબાદીને આરે પહોંચેલા કાપડબજારના વેપારીઓ; લોકલ ટ્રેન સામાન્ય નાગરિકો માટે ચાલુ નહીં કરો તો અમારું અસ્તિત્વ મટી જશે : કાપડબજારના વેપારીની વ્યથા

ઉલ્લેખનીય છે કે તેમણે એવો પણ મત વ્યક્ત કર્યો હતો કે આવા નિર્ણયને કારણે મહારાષ્ટ્રના વ્યવસાયો પર ખરાબ અસર પડશે, કારણ કે ઓવરહેડ ખર્ચ, જાળવણી ખર્ચ, પગાર, ભાડું ભરી શકાશે નહિ, એથી ઘણા વેપારીઓ ખર્ચ બચાવવા માટે પોતાનો ધંધો બંધ રાખશે.

Adani Motilal Nagar Redevelopment મુંબઈના રીડેવલપમેન્ટમાં અદાણીનો દબદબો ગોરેગાવના મોતીલાલ નગરમાં ઠાલવશે 1 લાખ કરોડ, જાણો પ્રોજેક્ટની ખાસિયતો
GoldSilver Price Update અક્ષય તૃતીયા પહેલાં સોનાચાંદીના ભાવમાં તેજી! ઘરેણાં ખરીદતા પહેલાં જાણી લો તમારા શહેરના લેટેસ્ટ ભાવ અને માર્કેટ અપડેટ
Gold Price Surge :સોનામાં તેજી ની ‘સુનામી’! અક્ષય તૃતીયા પહેલા જ ભાવ આસમાને, શું હજુ પણ વધશે કિંમત? જાણો નિષ્ણાતોનો મત
Share Market Today: રોકાણકારો માલામાલ! બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 566 પોઈન્ટનો ધડાકો, નિફ્ટીએ પણ પકડી તેજીની રફ્તાર
Exit mobile version