Site icon

દાળ અને કઠોળ પરની સ્ટૉક લિમિટને પગલે સોલાપુરમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ વેપારીઓનું વિરોધ પ્રદર્શન; દાળની ખરીદી બંધ કરી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

કેન્દ્ર સરકારના સ્ટૉક લિમિટના નિર્ણયથી રોષે ભરાયેલા સોલાપુરના વેપારીઓ છેલ્લા બે દિવસથી આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. વેપારીઓએ આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે દાળની ખરીદી બંધ કરી દીધી છે. સોલાપુરમાં ૪૫ જેટલી દાળની મિલો છે, જે આ પ્રદર્શનના કારણે બંધ છે. ઉપરાંત ૧૬ જુલાઈએ થનારા આંદોલનમાં પણ આ વેપારીઓ સહભાગી થવાના છે.

આ વિશે વધુ જણાવતાં સોલાપુર ચેમ્બર ઑફ કૉમર્સના અધ્યક્ષ રાજુ રાઠીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “સરકારે વેપારીઓને વિશ્વાસમાં લીધા વગર ભરેલું આ પગલું ખોટું છે. વેપારીઓને આ નીતિથી ભારોભાર નુકસાન થશે.” આ અચાનક અમલમાં મુકાયેલી સ્ટૉક લિમિટને કારણે જે વેપારીઓએ મોટા જથ્થામાં માલની આયાત કરી લીધી છે, એનું શું થશે? આ કારણે પણ વેપારીઓની ચિંતા વધી છે.

દાળ અને કઠોળ પરની સ્ટૉક લિમિટને લઈ નારાજ વેપારીઓ કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં આ તારીખે જથ્થાબંધ માર્કેટમાં બંધ પાળશે; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે વેપારીઓને કોરોનાના કારણે પહેલેથી જ ભારે નુકસાન થયું છે. એવામાં આ પ્રતિબંધથી વેપારીઓની હાલાકીમાં વધારો થશે અને ખાસ કરીને જથ્થાબંધ વેપારીઓ ચિંતિત છે, કારણ કે તેઓ મોટા પાયે આયાત કરી નાના વેપારીઓને માલ પૂરો પાડે છે.

India Puts Trade Deal: ટ્રમ્પને ભારતનો આંચકો! વેપાર કરાર પર સહી કરવાનો ઈનકાર; ટેરિફના જંગમાં ભારતે અપનાવ્યું કડક વલણ
LPG Import India Shivalik Ship: ભારતના ગેસ સંકટનો આવશે અંત! ૪૬,૦૦૦ મેટ્રિક ટન LPG ભરેલું જહાજ ‘શિવાલિક’ બંદર પર પહોંચ્યું; જાણો આનાથી કેટલા કરોડ સિલિન્ડર ભરાશે.
Gold Rate Today: સોનાના ભાવમાં ₹૧,૮૦૦નો મસમોટો ઘટાડો, ચાંદી પણ સસ્તી થઈ; યુદ્ધ વચ્ચે કેમ ઘટ્યા ભાવ? વાંચો સંપૂર્ણ વિશ્લેષણ
Jag Laadki Ship India Return: સમુદ્રમાં જયશંકરનો જાદુ! ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનું તેલ જહાજ સુરક્ષિત રવાના, ભારતીય નૌસેનાની દેખરેખ હેઠળ મિશન ‘જગ લાડકી’ શરૂ
Exit mobile version