Site icon News Continuous Bureau | Mumbai

દાળ અને કઠોળ પરની સ્ટૉક લિમિટને પગલે સોલાપુરમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ વેપારીઓનું વિરોધ પ્રદર્શન; દાળની ખરીદી બંધ કરી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

કેન્દ્ર સરકારના સ્ટૉક લિમિટના નિર્ણયથી રોષે ભરાયેલા સોલાપુરના વેપારીઓ છેલ્લા બે દિવસથી આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. વેપારીઓએ આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે દાળની ખરીદી બંધ કરી દીધી છે. સોલાપુરમાં ૪૫ જેટલી દાળની મિલો છે, જે આ પ્રદર્શનના કારણે બંધ છે. ઉપરાંત ૧૬ જુલાઈએ થનારા આંદોલનમાં પણ આ વેપારીઓ સહભાગી થવાના છે.

આ વિશે વધુ જણાવતાં સોલાપુર ચેમ્બર ઑફ કૉમર્સના અધ્યક્ષ રાજુ રાઠીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “સરકારે વેપારીઓને વિશ્વાસમાં લીધા વગર ભરેલું આ પગલું ખોટું છે. વેપારીઓને આ નીતિથી ભારોભાર નુકસાન થશે.” આ અચાનક અમલમાં મુકાયેલી સ્ટૉક લિમિટને કારણે જે વેપારીઓએ મોટા જથ્થામાં માલની આયાત કરી લીધી છે, એનું શું થશે? આ કારણે પણ વેપારીઓની ચિંતા વધી છે.

દાળ અને કઠોળ પરની સ્ટૉક લિમિટને લઈ નારાજ વેપારીઓ કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં આ તારીખે જથ્થાબંધ માર્કેટમાં બંધ પાળશે; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે વેપારીઓને કોરોનાના કારણે પહેલેથી જ ભારે નુકસાન થયું છે. એવામાં આ પ્રતિબંધથી વેપારીઓની હાલાકીમાં વધારો થશે અને ખાસ કરીને જથ્થાબંધ વેપારીઓ ચિંતિત છે, કારણ કે તેઓ મોટા પાયે આયાત કરી નાના વેપારીઓને માલ પૂરો પાડે છે.

India UK FTA Whisky Tariff Cut ભારતબ્રિટન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની મોટી અસર, સ્કોચ વ્હિસ્કી પરની આયાત ડ્યુટી ૧૫૦% થી ઘટાડીને આટલી કરાઈ
Old Pension Scheme Return જૂની પેન્શન યોજનાની વાપસી પર સંસદમાં સરકારના જવાબે અટકળોનો અંત આણ્યો, ઓપીએસ પર સ્પષ્ટ નિવેદન આપ્યું
Stock Markets End Lower વૈશ્વિક દબાણ અને નફાવસૂલીથી ભારતીય શેરબજાર ડાઉન સેન્સેક્સમાં કડાકો, નિફ્ટી 23,800 ની આસપાસ બંધ; રોકાણકારોની સંપત્તિ ઘટી
Elon Musk Loss ટેસ્લાસ્પેસએક્સમાં કડાકો મસ્કને એક દિવસમાં 44.4 અબજ ડોલરનો ઝાટકો
Exit mobile version