Site icon News Continuous Bureau | Mumbai

UPI Payment: NPCIનો મોટો નિર્ણય, વર્ષના અંત પહેલા કરી લો આ કામ નહીં તો તમારૂ UPI ID થઈ જશે બંધ ! જાણો વિગતે..

UPI Payment: UPI એ લોકોની પૈસાની લેવડદેવડ કરવાની રીત બદલી નાખી છે. UPI દ્વારા નાનાથી મોટી રકમનું પેમેન્ટ કરવામાં આવી રહ્યું છે. સરકારે આ અંગે એક ખાસ સંદેશ જાહેર કર્યો છે. જો તમે પણ UPI (UPI યુઝર) નો ઉપયોગ કરો છો, તો તમારે આ જાણવું જોઈએ, નહીં તો તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો..

UPI Payment NPCI to Google Pay, Paytm, PhonePe and others Deactivate these UPI IDs by December 31

UPI Payment NPCI to Google Pay, Paytm, PhonePe and others Deactivate these UPI IDs by December 31

News Continuous Bureau | Mumbai

  UPI Payment: UPI એ લોકોની પૈસાની લેવડદેવડ કરવાની રીત બદલી નાખી છે. UPI દ્વારા નાનાથી મોટી રકમનું પેમેન્ટ કરવામાં આવી રહ્યું છે. રિક્ષા અને મેટ્રો મુસાફરી માટે પણ લોકો મોટાભાગે યુપીઆઈ (UPI) દ્વારા ચૂકવણી કરે છે. જોકે હવે સરકારે (Government) આ અંગે એક ખાસ સંદેશ જાહેર કર્યો છે. જો તમે પણ UPI (UPI Users) નો ઉપયોગ કરો છો, તો તમારે આ જાણવું જોઈએ, નહીં તો તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

Join Our WhatsApp Channel

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ 7 નવેમ્બર 2023 ના રોજ માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ ગ્રાહકે છેલ્લા એક વર્ષથી Google Pay, Paytm અથવા Phone Pe જેવી કોઈપણ થર્ડ પાર્ટી એપ દ્વારા એક વર્ષ દરમિયાન એક વખત પણ કોઈ નાણાકીય અથવા બિન-નાણાકીય વ્યવહારો કર્યા નથી, તો તેનું UPI ID બંધ કરી દેવામાં આવશે.

આવા ગ્રાહકોને શોધવાની સૂચના આપી છે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે જો 31 ડિસેમ્બર, 2023 સુધીમાં આવી કોઈ UPI આઈડી એક્ટિવેટ નહીં થાય તો તેને 1 જાન્યુઆરી, 2024થી ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે. આનો અર્થ એ છે કે તમે કોઈપણ UPI ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં. આ કારણોસર, જો તમે છેલ્લા એક વર્ષથી UPI ID દ્વારા નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો કર્યા નથી, તો તરત જ તમારુ UPI ID સક્રિય કરો.

 UPI ટ્રાન્ઝેક્શન હવે પહેલા કરતા વધુ સુરક્ષિત બનશે…

NPCIના નવા નિયમ અનુસાર, તમામ થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર્સ અને બેંકો આવા ગ્રાહકો સાથે જોડાયેલા UPI આઈડી અને મોબાઈલ નંબરની ચકાસણી કરશે. જો આ ID થી એક વર્ષ સુધી કોઈ UPI ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું નથી, તો તે 31 ડિસેમ્બર, 2023 પછી બંધ થઈ જશે. આનો અર્થ એ છે કે તમે નવા વર્ષથી UPI દ્વારા કોઈપણ વ્યવહાર કરી શકશો નહીં. NPCIના આ પગલાથી UPI ટ્રાન્ઝેક્શન હવે પહેલા કરતા વધુ સુરક્ષિત બનશે અને ખોટા ટ્રાન્ઝેક્શનો પણ બંધ થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : Hero MotoCorp: તહેવારોની સિઝનમાં બમ્પર વેચાણ! માત્ર 32 દિવસમાં 14 લાખ વાહનો વેચાયા, આ મોડલની બજારમાં ભારે માંગ.. જાણો વિગતે અહીં..

ઘણી વખત એવું જોવા મળે છે કે લોકો પોતાનો નંબર બદલી નાખે છે અને UPI ID ને નિષ્ક્રિય કરવાનું ભૂલી જાય છે. આવી સ્થિતિમાં ખોટા ટ્રાન્ઝેકશનું જોખમ વધી જાય છે. જો કે, NPCIનો આ નિયમ UPI દ્વારા ખોટા ટ્રાન્ઝેકશનો અટકાવશે.

Adani Motilal Nagar Redevelopment મુંબઈના રીડેવલપમેન્ટમાં અદાણીનો દબદબો ગોરેગાવના મોતીલાલ નગરમાં ઠાલવશે 1 લાખ કરોડ, જાણો પ્રોજેક્ટની ખાસિયતો
GoldSilver Price Update અક્ષય તૃતીયા પહેલાં સોનાચાંદીના ભાવમાં તેજી! ઘરેણાં ખરીદતા પહેલાં જાણી લો તમારા શહેરના લેટેસ્ટ ભાવ અને માર્કેટ અપડેટ
Gold Price Surge :સોનામાં તેજી ની ‘સુનામી’! અક્ષય તૃતીયા પહેલા જ ભાવ આસમાને, શું હજુ પણ વધશે કિંમત? જાણો નિષ્ણાતોનો મત
Share Market Today: રોકાણકારો માલામાલ! બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 566 પોઈન્ટનો ધડાકો, નિફ્ટીએ પણ પકડી તેજીની રફ્તાર
Exit mobile version