Site icon News Continuous Bureau | Mumbai

Wheat: શું દેશમાં ઘઉંના ભાવમાં થશે વધારો? સરકારે મોંઘવારી રોકવા માટે લીધું આ મોટું પગલું..

Wheat: ભારત સરકારે મે 2022 માં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી, ઘરેલુ માંગને પહોંચી વળવા માટે દેશમાં ઘઉંનો હાલ પૂરતો પુરવઠો છે. આના આધારે સરકારે જાન્યુઆરીમાં કહ્યું હતું કે ઘઉં, ચોખા અને ખાંડની નિકાસ પર પ્રતિબંધ હજુ પણ ચાલુ જ રહેશે

Will the price of wheat in the country increase The government took this big step to stop inflation.

Will the price of wheat in the country increase The government took this big step to stop inflation.

News Continuous Bureau | Mumbai

Wheat: કેન્દ્ર સરકારે ગઈકાલે એવું પગલું ભર્યું છે કે જેનાથી હવે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે કે, શું દેશમાં ઘઉં મોંઘા થવાની શક્યતાઓ છે? જો કે, દેશમાં હાલ ઘઉંના ભાવ ( Wheat prices ) થોડા સમય માટે સ્થિર છે. કારણ કે ભારત સરકારે મે 2022 માં ઘઉંની નિકાસ ( Wheat export ) પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી, ઘરેલુ માંગને પહોંચી વળવા માટે દેશમાં ઘઉંનો હાલ પૂરતો પુરવઠો છે. આના આધારે સરકારે જાન્યુઆરીમાં કહ્યું હતું કે ઘઉં, ચોખા અને ખાંડની નિકાસ પર પ્રતિબંધ હજુ પણ ચાલુ જ રહેશે. અહીં જાણો કેન્દ્ર સરકારે ઘઉંને લઈને શું પગલાં લીધાં- 

Join Our WhatsApp Channel

દેશમાં સંગ્રહખોરીને રોકવા અને ઘઉંના ભાવ વધારાને રોકવા માટે, કેન્દ્ર સરકારે ( Central Govt ) ગઈકાલે જથ્થાબંધ વેપારીઓ ( Wholesalers ) , મોટા છૂટક વિક્રેતાઓ અને પ્રોસેસર્સ માટે ઘઉંના સ્ટોક (ઘઉંના સ્ટોક મર્યાદા) જાળવવા માટેના ધોરણોને કડક બનાવ્યા છે. ખાદ્ય મંત્રાલયના ( Ministry of Food ) જણાવ્યા અનુસાર, વેપારીઓ અને જથ્થાબંધ વેપારીઓને હવે 1000 ટનને બદલે 500 ટન સુધી જ ઘઉંનો સ્ટોક ( wheat stock ) રાખવાની છૂટ આપવામાં આવશે.

 તમામ ઘઉં સંગ્રહ સંસ્થાઓએ હવેથી ઘઉંના સ્ટોક લિમિટ પોર્ટલ પર નોંધણી કરાવવી પડશેઃ ખાદ્ય મંત્રાલય..

તેમ જ ખાદ્ય મંત્રાલયે એક નિવેદન કહ્યું હતું કે, તમામ ઘઉં સંગ્રહ સંસ્થાઓએ હવેથી ઘઉંના સ્ટોક લિમિટ પોર્ટલ પર તેમના સંસ્થાની નોંધણી કરાવવી પડશે અને દર શુક્રવારે સ્ટોકની સ્થિતિ અપડેટ કરવી પડશે. જો આ સંસ્થાઓ પાસે રાખેલો સ્ટોક નિયત મર્યાદા કરતા વધુ હોય, તો તેમણે સૂચનાની માહિતી જારી થયાના 30 દિવસની અંદર તેમની સંસ્થામાં ઘઉંને નિયત સ્ટોક મર્યાદામાં લાવવાનું રહેશે. મંત્રાલયે એમ પણ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના અધિકારીઓ આ સ્ટોક લિમિટ પર નજીકથી નજર રાખશે. આમાં એ જોવુ રહેશે અને નિર્ણય લેવાનો રહેશે કે, દેશમાં ઘઉંની કૃત્રિમ અછત (કૃત્રિમ માંગ) ઉભી ન થાય.

આ સમાચાર પણ વાંચો : LIC Q3 Results: LIC એ તેના ત્રીજા ક્વાર્ટરમાં કર્યો બમ્પર નફો, આટલા ટકાનો થયો ચોખ્ખો નફો.. જારી કર્યું ડિવિન્ડ.

Strait of Hormuz હોર્મુઝ સ્ટ્રેટ ફરી ધમધમ્યો, ૪૦ જહાજો ભારત તરફ રવાના, ગુજરાતના દહેજ બંદરે પ્રથમ LNG જહાજનું આગમનભારત માટે રાહતના સમાચાર, પેટ્રોલડીઝલના ભાવ ઘટવાની શક્યતા
RBI Action RBI ની મોટી કાર્યવાહી શ્રી મહાલક્ષ્મી અર્બન કોઓપરેટિવ બેંકનું લાયસન્સ રદ, જાણો શું થશે ગ્રાહકોનું?
FSSAI Action ખાદ્ય ઉત્પાદનો પર ભ્રામક દાવાઓ FSSAI એ સફોલા, કિન્ડર જોય સહિતની કંપનીઓને પાઠવી નોટિસ
SEBI ETF Framework ગોલ્ડસિલ્વર ETF રોકાણકારો માટે મોટા સમાચાર ૧ સપ્ટેમ્બરથી SEBI ના નવા નિયમો લાગુ
Exit mobile version