Site icon News Continuous Bureau | Mumbai

Ahmedabad Civil Hospital: માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, 9 માસનું બાળક રમકડાના મોબાઇલનો એલઇડી બલ્બ ગળી ગયું; સર્જરી કરીને કરાયો દૂર

Ahmedabad Civil Hospital:

Ahmedabad Civil Hospital Doctors remove LED bulb of toy phone from infant’s respiratory tract in Ahmedabad

Ahmedabad Civil Hospital Doctors remove LED bulb of toy phone from infant’s respiratory tract in Ahmedabad

News Continuous Bureau | Mumbai

Ahmedabad Civil Hospital:

Join Our WhatsApp Channel

વારંવાર બનતા આવા કિસ્સાઓ ઉપર થી માતાપિતા અને પરીવારજનોએ સબક લઇ વધુ સાવચેત રહેવાની જરુર :- ડો. રાકેશ જોષી, તબીબી અધિક્ષક અને બાળરોગ વિભાગ ના વડા, સિવિલ હોસ્પિટલ અમદાવાદ

છેલ્લા ઓગણીસ દિવસથી આમ થી તેમ અમારા બાળકની તકલીફની સારવાર માટે દોડી રહ્યા હતા, પણ છેલ્લે સાચી સારવાર સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં જ મળી આ શબ્દો છે બાળકના પિતા જુનેદભાઇના.

કારપેન્ટરનુ કામ કરતા મંગરોળ, જુનાગઢ ના રહેવાસી એવા શ્રી જુનેદ યુસુફ અને શ્રીમતી તબસ્સુમબેનના લાડકવાયા એવા 9 માસના નાનકડા પુત્ર મોહમ્મદને છેલ્લા ૧૫ દિવસથી ઉધરસ આવતી હતી. જુનાગઢ માં બાળરોગ તજજ્ઞ ને બતાવતા તેનો છાતીનો એક્સ-રે કરાવતા તેમાં શ્વસનનળીમાં કાંઈક હોવાની માલુમ પડ્યુ હતુ. જુનેદ ભાઇને રાજકોટની ખાનગી હોસ્પિટલ દ્વારા વધુ તપાસની ભલામણ કરવામાં આવી પણ તેનો ખર્ચ તેમને પોષાય તેમ ન હોવાથી તેમના માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદ આશાની કિરણ બની જ્યાં સારવાર અર્થે બાળક ને લઇ આવતા તારીખ ૩ જૂન, ૨૦૨૫ ના રોજ બાળકને પીડીયાટ્રીક સર્જરી વિભાગ માં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યુ.

સિવિલ હોસ્પિટલ, અમદાવાદના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી તેમજ એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉ. નિલેશ અને તેમની ટીમ દ્વારા બાળકની બ્રોન્કોસ્કોપી કરી જમણી તરફ ની મુખ્ય શ્વાસનળીમાંથી એક એલઇડી બલ્બ સફળતાપુર્વક બહાર કાઢવામા આવ્યો. ઓપરેશન પછી બાળકની તબીયત ઝડપથી સુધરી રહી છે અને કોઇપણ બીજી તકલીફ વગર બાળક હવે સ્વસ્થ છે જેથી ટુંક સમય માં તેને હોસ્પિટલ માં થી રજા આપવામાં આવશે તેમ ડોક્ટરો એ જણાવ્યુ હતુ. સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરોની નિપુણતા અને નિષ્ઠાપુર્વક ની સારવાર નો આ કિસ્સો ગરીબ દર્દીઓ માટે ઉપલબ્ધ સસ્તી અને ઉતમ સારવારનુ જીવંત ઉદાહરણ છે.

ડો. જોષી એ બાળરોગ સર્જરી સપ્તાહ વિશે જણાવતા કહ્યુ હતુ કે, બાળરોગ સર્જરી સપ્તાહ એ ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિક સર્જન્સ (IAPS) દ્વારા બાળરોગ અંગે ની સર્જિકલ બિમારીઓ અને તેની સારવાર વિશે જાગૃતિ લાવવા માટે ની એક વાર્ષિક પહેલ છે. જે દર વર્ષે જૂન મહીનામાં ઉજવવામાં આવે છે. આ વર્ષે બાળરોગ સર્જરી સપ્તાહ ની થીમ “જન્મજાત ખોડખાંપણ માટે બાળરોગ સર્જન” રાખવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Share Market Updates : સપ્તાહના પહેલા દિવસે શેરબજાર તેજી, સેન્સેક્સ-નિફ્ટી મોટો વધારો; આ બેંકિંગ શેરોમાં ઉછાળો

બાળરોગ સર્જરી સપ્તાહ પ્રસંગે નાના બાળકો ધરાવતા તમામ માતા પિતાને બાળકોમાં થતી જન્મજાત ખામીઓ તેમજ અન્ય બાળ સર્જીકલ બીમારી ઓ વિશે જાગ્રુત રહી પોતાના બાળક માં આવા કોઇપણ લક્ષણ કે તકલીફ જણાય તો તુરંત જ બાળરોગ સર્જન નો સંપર્ક કરવી જોઇએ જેથી વહેલી તકે આવી બીમારી નુ નિદાન કરી બાળક ની સમયસર યોગ્ય સારવાર થઇ શકે તેમ ડો. જોષી એ લોકોને સંદેશ આપ્યો હતો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ahmedabad Plane Crash અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક વર્ષ પૂર્ણ જેણે શહેરને આપ્યો ક્યારેય ન ભુલાય તેવો ઘા..
Ahmedabad Metro Phase2 Boost ગુજરાત માટે મોટી ભેટ કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ મેટ્રો ફેઝ૨ પ્રોજેક્ટને આપી મંજૂરી
Major Crackdown in Ahmedabad। અમદાવાદમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન એકસાથે ૧૩૧ બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાતા મચ્યો હડકંપ; હજુ ૧૬૦ રડારમાં
Ahmedabad RBI Chest Theft Case। અમદાવાદમાં ૮.૭૦ કરોડની મેગા લૂંટનો માસ્ટરમાઇન્ડ પકડાયો કચરાની ડોલ, ૯૮ દિવસનું મૌન અને માંદગીની રજા પાછળનું ચોંકાવનારું રહસ્ય!
Exit mobile version