Site icon News Continuous Bureau | Mumbai

અમદાવાદ: ‘આદિપુરુષ’ ફિલ્મના વિવાદ વચ્ચે કથાકાર મોરારિ બાપુએ આપ્યુ મહત્ત્વનું નિવેદન, કહ્યું- નાટક કે ફિલ્મ બનાવતા પહેલા…

સાઉથ સુપરસ્ટાર પ્રભાસની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ આદિપુરૂષને લઈને સમગ્ર દેશમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવે ઉત્તરાખંડમાં યોજાયેલ રામકથા દરમિયાન કથાકાર મોરારિ બાપુનું એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં મોરારિ બાપુએ ભગવાન રામને લઈને ફિલ્મ કે નાટક વગેરે બનાવતા પૂર્વે તેમની સલાહ લેવાનું જણાવ્યું છે.

hmedabad: Narrator Morari Bapu made an important statement amid the controversy of the film 'Adipurush

hmedabad: Narrator Morari Bapu made an important statement amid the controversy of the film 'Adipurush

News Continuous Bureau | Mumbai
સાઉથ સુપરસ્ટાર પ્રભાસની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ આદિપુરૂષને લઈને સમગ્ર દેશમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવે ઉત્તરાખંડમાં યોજાયેલ રામકથા દરમિયાન કથાકાર મોરારિ બાપુનું એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં મોરારિ બાપુએ ભગવાન રામને લઈને ફિલ્મ કે નાટક વગેરે બનાવતા પૂર્વે તેમની સલાહ લેવાનું જણાવ્યું છે.

ગુજરાતના જાણીતા કથાકાર મોરારિ બાપુ હાલ ઉત્તરાખંડમાં રામકથા કરી રહ્યા છે. ત્યારે આ રામકથા દરમિયાન મોરારિ બાપુએ નમ્ર ભાવે જણાવ્યું હતું કે, હું છેલ્લા 65 વર્ષથી રામકથા કરી રહ્યો છું. વાલ્મિકી અને તુલસીદાસ રચિત રામાયણને માધ્યમ બનાવવી જોઈએ અને વધુ કોઈ માહિતી જોઈએ તો એ વિશે મને પૂછી શકો છો. મોરારિ બાપુએ વધુમાં કહ્યું કે, ફિલ્મ બનાવો કે પછી નાટક બનાવો પણ તેના માટે રામાયણનો આધાર લેવો જરૂરી છે, કોઈને ન પૂછો પણ મને પૂછો તો હું રામાયણ અને તેના પાત્રોની સત્ય હકીકત કહીશ.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: ટેક્સી-રિક્ષા ચાલકો ઓવરચાર્જિંગ અને મીટર સાથે ચેડા કરવા બદલ નેટમાં; ટ્રાફિક પોલીસની સ્ટ્રાઈક એક્શન

ફિલ્મનો સમગ્ર દેશમાં વિરોધ

મોરારિ બાપુએ રામાયણ સિરિયલના રામાનંદ સાગરને પણ યાદ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આદિપુરુષ ફિલ્મ રિલીઝ થયા પછીથી સમગ્ર દેશમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મમાં ભગવાન હનુમાનજીના ડાયલોગને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે લોકોનો રોષ જોઈને મેકર્સ દ્વારા ફિલ્મના ડાયલોગમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Ahmedabad Serial Blast Case અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, ૩૮ દોષિતોને ફાંસીની સજા યથાવત
Ahmedabad Airport અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એક જ રનવે પર સામસામે આવ્યા એર ઈન્ડિયા અને ઈન્ડિગોના વિમાન
Ahmedabad અમદાવાદમાં હૃદયદ્રાવક ઘટના નીટ (NEET) પરીક્ષાના માત્ર 3 દિવસ પહેલા વિદ્યાર્થીનો આપઘાત
Ahmedabad Airport Gold Seizure એરપોર્ટ પર કસ્ટમ્સનું મોટું ઓપરેશન દુબઈની ફ્લાઈટના ટોયલેટમાંથી ઝડપાયું ₹૪.૨૬ કરોડનું સોનું, સ્મગલિંગની નવી રીત જોઈ અધિકારીઓ પણ ચોંક્યા
Exit mobile version