Site icon News Continuous Bureau | Mumbai

Ahmedabad Plane Crash : ટાટા ગ્રૂપ દરેક મૃતકના પરિવારને આપશે આટલા કરોડની સહાય, ઇજાગ્રસ્તોનો પણ ઉઠાવશે ખર્ચ

Ahmedabad Plane Crash : અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 297 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ફક્ત એક જ મુસાફર બચી ગયો છે. મૃતકોમાંથી 229 મુસાફરો હતા, જ્યારે 12 વિમાનના ક્રૂ મેમ્બર હતા. આ ઉપરાંત, મેડિકલ કોલેજ હોસ્ટેલમાં હાજર 56 લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો જ્યાં વિમાન ક્રેશ થયું હતું.

Ahmedabad Plane Crash Tata Group will provide Rs 1 crore assistance to the families of the deceased

Ahmedabad Plane Crash Tata Group will provide Rs 1 crore assistance to the families of the deceased

News Continuous Bureau | Mumbai

Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે 12 જૂનના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાના ડ્રીમલાઈનર બોઈંગ 787-8 ફ્લાઇટ નંબર AI171 ના દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો માટે 1 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત, ગ્રુપ તમામ ઘાયલ મુસાફરોને તબીબી સહાય પણ આપશે. આ વિમાનમાં 12 ક્રૂ સભ્યો સહિત 242 લોકો સવાર હતા.

Join Our WhatsApp Channel

Ahmedabad Plane Crash : દુર્ઘટનામાં ઘણા લોકોએ પ્રિયજનો ગુમાવ્યા  

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને એક નિવેદનમાં જણાવ્યું હતું કે એર ઈન્ડિયા ફ્લાઇટ AI171 સાથે જોડાયેલી દુ:ખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. આ સમયે અમે જે દુ:ખ અનુભવી રહ્યા છીએ તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. ચંદ્રશેખરને લખ્યું છે કે અમારી સંવેદના અને પ્રાર્થના એવા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને ઘાયલ થયા છે.

Ahmedabad Plane Crash :  પીડિત પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય 

ટાટા ગ્રુપ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય આપશે. તે ઘાયલોના તબીબી ખર્ચ પણ સહન કરશે અને ખાતરી કરશે કે તેમને જરૂરી તમામ સંભાળ અને સહાય મળે. આ ઉપરાંત, તે બીજે મેડિકલના હોસ્ટેલના નિર્માણમાં સહાય પૂરી પાડશે. આ જૂથે કહ્યું છે કે તેઓ આ અકલ્પનીય સમયમાં અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઉભા છે.

આ સમાચાર પણ વાંચો :  MAYDAY, MAYDAY, MAYDAY… અમદાવાદ પ્લેન ક્રેશ પહેલા પાયલેટે આપ્યો હતો ‘MAYDAY’ કોલ, જાણો આનો અર્થ શું છે? અને કઈ પરિસ્થિતિમાં આ કોલ કરે છે!

Ahmedabad Plane Crash :  ઉડાન ભર્યાના માત્ર પાંચ મિનિટ પછી ક્રેશ થયું

ઉલ્લેખનીય છે કે અમદાવાદથી લંડન જઈ રહેલું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના માત્ર પાંચ મિનિટ પછી ક્રેશ થયું હતું. ક્રેશ થયેલ વિમાન બીજે મેડિકલ કોલેજ નજીક ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારમાં પડી ગયું હતું.

Xi Jinping Arrives In New Delhi For BRICS Summit બ્રિક્સ સમિટ માટે શિ જિનપિંગનું નવી દિલ્હીમાં આગમન આજથી શરૂ થતી મહાસંમેલનની બેઠકો અને ગાલા ડિનરનું સંપૂર્ણ ટાઇમટેબલ જાહેર
Vladimir Putin Praises Mahindra At BRICS Summit પુતિને બ્રિક્સ મંચ પરથી કેમ કરી મહિન્દ્રા ગ્રુપની સરાહના? જાણો વૈશ્વિક મંચ પર શું બોલ્યા રૂસી રાષ્ટ્રપતિ
Vladimir Putin Special Thali BRICS 2026 દિલ્હી બ્રિક્સ સમિટમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિનને પીરસાઈ શાહી થાળી ખાસ વ્યંજનોમાં છલકાઈ ભારતરુસની મિત્રતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Exit mobile version