Site icon News Continuous Bureau | Mumbai

Inauguration of Khadi Bhavan: અમદાવાદ જુના વાડજ ખાતે અંબર સેવા સંzઘના નવીનીકરણ કરાયેલ ખાદી ભવનનું ઉદ્ઘાટન

Inauguration of Khadi Bhavan: KVICની મદદથી 15 લાખ રૂપિયાની રકમમાં ખાદી ભવનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે

Inauguration of the renovated Khadi Bhavan of Ambar Seva Sangh at Old Vadaj, Ahmedabad

Inauguration of the renovated Khadi Bhavan of Ambar Seva Sangh at Old Vadaj, Ahmedabad

News Continuous Bureau | Mumbai 

  • KVICના અધ્યક્ષ શ્રી મનોજ કુમાર ઉદ્ઘાટન અને PMEGP જાગરૂકતા શિબિરનું સંબોધિત કર્યું
  • KVICના અધ્યક્ષે કહ્યું, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂજ્ય બાપુનો વારસો ખાદીની પ્રગતિ ‘મોદી સરકારની ગેરંટી’ છે”
  • રાજ્ય કચેરી, અમદાવાદ હેઠળ 231 સંસ્થાઓ, જે લગભગ 23 હજાર કારીગરોને રોજગારી પૂરી પાડે છે

Inauguration of Khadi Bhavan: ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન (KVIC), સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના અધ્યક્ષ શ્રી મનોજ કુમાર ગુરુવારે અંબર સેવા સંઘ, જુના વાડજ, અમદાવાદના નવીનીકરણ કરાયેલ ખાદી ભવનનું ઉદ્ઘાટન કર્યું. KVIC એ ખાદી ભવન માટે 11.25 લાખ રૂપિયાની સહાય પૂરી પાડી છે જેનું 15 લાખ રૂપિયાની રકમથી નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે KVICના અધ્યક્ષે રાજ્ય કાર્યાલય અમદાવાદ દ્વારા આયોજિત ‘ખાદી સંવાદ’ અને પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) અંતર્ગત જાગરૂકતા કાર્યક્રમોને પણ સંબોધિત કર્યા હતા.

Join Our WhatsApp Community

આ પ્રસંગે આયોજિત ખાદી સંવાદ કાર્યક્રમને સંબોધતા KVICના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂજ્ય બાપુનો વારસો ખાદી ‘આત્મનિર્ભર ભારતનું પ્રતિક’ બની છે. ખાદીએ ગ્રામીણ અર્થતંત્રને સશક્ત બનાવ્યું છે અને કરોડો કારીગરોને ગૌરવપૂર્ણ આજીવિકા પૂરી પાડી છે. તેમણે જણાવ્યું કે અમદાવાદમાં અંબર સેવા સંઘના રિનોવેટેડ ખાદી ભવનનું ઉદ્ઘાટન 1990માં કરવામાં આવ્યું હતું. હાલ તેની હાલત એકદમ જર્જરિત બની ગઈ હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલી ‘ખાદી ક્રાંતિ’એ છેલ્લા 10 વર્ષમાં નાણાકીય સહાય આપીને આવી ખાદી ઇમારતોને આધુનિક બનાવવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે. આ અંતર્ગત KVIC એ સંસ્થાને 11.25 લાખ રૂપિયાની સહાય આપી છે. આ માટે સંસ્થાએ પોતે 3.75 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. KVICના ચેરમેને કહ્યું કે એવી અપેક્ષા છે કે નવીનીકરણ પછી આ ભવનનું વાર્ષિક વેચાણ બમણું થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા નાણાકીય વર્ષોમાં આ ભવનનું વેચાણ વર્ષ 2020-21માં અનુક્રમે 1.13 કરોડ રૂપિયા, વર્ષ 2021-22માં 78.85 લાખ રૂપિયા અને વર્ષ 2022-23માં 1.20 કરોડ રૂપિયા હતું.

આ પ્રસંગે KVICના ચેરમેન શ્રી મનોજ કુમારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખાદી ક્રાંતિ અને ખાદીના ઐતિહાસિક પુનરુત્થાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે રાજ્ય કચેરી, અમદાવાદ હેઠળ 231 ખાદી સંસ્થાઓ છે જે લગભગ 23 હજાર કારીગરોને રોજગારી પૂરી પાડે છે. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ખાદી કારીગરોની આવક 4 રૂપિયા પ્રતિ આંટી વધીને 12.50 રૂપિયા પ્રતિ આટી થઈ ગઈ છે. ખાદી કારીગરોના મહેનતાણામાં 10 વર્ષમાં 213 ટકાનો વધારો થયો છે. તેમણે વધુમાં કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂજ્ય બાપુના વારસાની ખાદીની પ્રગતિ એ ‘મોદી સરકારની ગેરંટી છે.’

KVICના ચેરમેન શ્રી મનોજ કુમારે લાભાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને MSME મંત્રાલયના માર્ગદર્શન હેઠળ, ‘નવા ભારતની નવી ખાદી’ નવા દાખલા સ્થાપિત કરશે અને ‘વૉકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપશે. આત્મનિર્ભર ભારત અભિયાન આપી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ‘ખાદી ક્રાંતિ’એ છેલ્લા 10 વર્ષમાં ખાદી અને ગ્રામોદ્યોગના વ્યવસાયને 1 લાખ 55 હજાર કરોડ રૂપિયાને પાર કરી દીધો છે, જ્યારે છેલ્લા 10 વર્ષમાં 10.17 લાખ નવા લોકોને રોજગારી મળી છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) અંતર્ગત આયોજિત જાગરૂકતા શિબિરને સંબોધતા તેમણે કહ્યું હતું કે, PMEGP યોજના દેશના કુટીર ઉદ્યોગો માટે એક નવી ઉર્જા અને તાકાત તરીકે ઉભરી આવી છે. છેલ્લા દસ વર્ષમાં, આ યોજના હેઠળ 9.58 લાખ નવા પ્રોજેક્ટ દ્વારા 83.48 લાખ નોકરીઓનું સર્જન કરવામાં આવ્યું છે, જેમાં KVIC એ લગભગ 24 હજાર કરોડ રૂપિયાની માર્જિન મની વહેંચી છે. તેમણે ગુજરાતના યુવાનોને PMEGP યોજનામાં જોડાઈને ‘આત્મનિર્ભર ભારત અભિયાન’માં જોડાવા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ ‘નોકરી શોધનારને બદલે નોકરી આપનાર’ બનવાના આહ્વાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં KVIC સ્ટેટ ઓફિસ અમદાવાદ સાથે સંકળાયેલ ખાદી સંસ્થાઓના પ્રતિનિધિઓ, ખાદી કામદારો, કારીગરો, PMEGP ઉદ્યોગસાહસિકો અને લાભાર્થીઓ અને KVICના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version