News Continuous Bureau | Mumbai
International Daughters Day: ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ હેઠળ, જ્યારે 10 વર્ષ સુધીની દીકરીઓના ઘણા ખાતા પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવ્યા છે, તો ઘણા ગામોમાં તમામ પાત્રતા ધરાવતી દીકરીઓના ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ ગ્રામ બનાવવામાં આવ્યા છે. ‘આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ’ (22 સપ્ટેમ્બર) નિમિત્તે ઉત્તર ગુજરાત ક્ષેત્ર, અમદાવાદના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાત ક્ષેત્રના લગભગ 500 ગામડાઓ સુકન્યા સમૃદ્ધિ ગ્રામમાં પરિવર્તિત થયા છે. આ ગામોમાં દસ વર્ષ સુધીની તમામ પાત્રતા ધરાવતી છોકરીઓના સુકન્યા ખાતા પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવ્યા છે. આટલું જ નહીં આ ગામડાઓમાં જો કોઈ ઘરમાં દીકરીના જન્મની જાહેરાત થાય છે તો પોસ્ટમેન તરત જ તેનું સુકન્યા ખાતું ખોલાવવા ત્યાં પહોંચી જાય છે. પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે દીકરીઓના આર્થિક સશક્તિકરણ તરફ લેવાયેલા આ પગલા અંતર્ગત ઉત્તર ગુજરાત પ્રદેશની પોસ્ટ ઓફિસોમાં ( Post Office ) સુકન્યા સમૃદ્ધિ યોજનાના 4.50 લાખથી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં 15.22 લાખ ખાતા ખોલવામાં આવ્યા છે.ગામડાઓમાં ડાક ચૌપાલથી લઈને વિવિધ શાળાઓ સુધી ઝુંબેશ ચલાવીને તમામ પાત્રતા ધરાવતી દીકરીઓને તેની સાથે જોડવામાં આવી રહી છે.
‘International Daughter’s Day’: India Post is giving concrete shape to Prime Minister’s ‘Beti Bachao, Beti Padhao’ campaign, daughters are getting empowered through Sukanya Samriddhi Yojana
4.50 lakh Sukanya Samriddhi accounts of daughters opened in Post offices of North Gujarat… pic.twitter.com/zokl6OCsQc
— PIB India (@PIB_India) September 23, 2024
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2015 માં ‘બેટી બચાવો, બેટી પઢાવો‘ અભિયાન હેઠળ સુકન્યા સમૃદ્ધિ યોજના ( Sukanya Samriddhi Yojana ) શરૂ કરી હતી. આ હેઠળ, સુકન્યા સમૃદ્ધિ ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસમાં દસ વર્ષ સુધીની છોકરીઓ માટે ઓછામાં ઓછા ₹250 માં ખોલી શકાય છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા ₹250 અને વધુમાં વધુ ₹1.5 લાખ જમા કરી શકાય છે. આ સ્કીમમાં ખાતું ખોલાવવાના 15 વર્ષ સુધી જ પૈસા જમા કરાવવાના રહેશે. જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે જમા રકમના 50 ટકા ઉપાડી શકાય છે અને ખાતું ખોલાવ્યા ની તારીખથી 21 વર્ષ થાય પછી આખી રકમ ઉપાડી શકાય છે.. હાલમાં વ્યાજ દર 8.2 ટકા છે અને જમા રકમ પર આવકવેરા મુક્તિની પણ જોગવાઈ છે.
આ સમાચાર પણ વાંચો : India USA: USAએ પરત કર્યો ભારતનો મહામૂલો ખજાનો, આટલી પ્રાચીન કિંમતી વસ્તુઓ સોંપી પરત , PM મોદીએ માન્યો આભાર
પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ( Krishna Kumar Yadav ) જણાવ્યું હતું કે સુકન્યા સમૃદ્ધિ યોજના માત્ર રોકાણનું માધ્યમ નથી, પરંતુ તે દીકરીઓના ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય સાથે પણ જોડાયેલી છે. આ યોજનાના આર્થિક, સામાજિક પરિમાણો પણ મહત્વપૂર્ણ છે. આમાં જમા રકમ ફક્ત દીકરીઓ માટે જ હશે, જે તેમના શિક્ષણ, કારકિર્દી અને લગ્નમાં ઉપયોગી થશે. આ યોજના દીકરીઓના સશક્તીકરણ દ્વારા ભવિષ્યમાં મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતને પણ પ્રોત્સાહન આપશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
