Site icon

Mumbai: મુંબઈમાં માત્ર દસ મિનિટના વરસાદને કારણે મુંબઈ-અમદાવાદ હાઈવે પર ચાર કલાક સુધી વાહનવ્યવહાર ખોરવાયો..

Mumbai: હાલમાં ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટી દ્વારા હાઇવેને કોંક્રીટીકરણ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે , પરંતુ હજુ સુધી કોંક્રીટીકરણ કરવામાં ન આવતા ખાડાઓની સમસ્યા હાલ પણ એમ જ યથાવત છે. તેથી જ મુંબઈમાં પહેલા જ વરસાદમાં મુંબઈ-અમદાવાદ NH-48 પર ખાડાઓમાં પાણી ભરાય ગયું હતું અને ટ્રાફિક જામ જેવી સમસ્યા સર્જાઈ હતી.

Mumbai Due to just ten minutes of rain in Mumbai, traffic on the Mumbai-Ahmedabad highway was disrupted for four hours.

Mumbai Due to just ten minutes of rain in Mumbai, traffic on the Mumbai-Ahmedabad highway was disrupted for four hours.

News Continuous Bureau | Mumbai

Mumbai: મહારાષ્ટ્રમાં તેનો પ્રથમ વરસાદ ( Rain ) , જે શનિવારે સવારે માંડ દસ મિનિટ સુધી ચાલ્યો હતો. આ વરસાદે થાણેના ઘોડબંદર રોડ નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર અસ્તવ્યસ્ત જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું , જેમાં દસ મિનિટના વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ જતા અને ખાડાઓને કારણે સેંકડો વાહનચાલકો ચાર કલાકથી વધુ સમય સુધી અટવાઈ પડ્યા હતા. પ્રવાસીઓમાં ગુસ્સો હતો કે પહેલા જ વરસાદમાં ઘોડબંદર રોડ પરના ફાઉન્ટેન હોટેલથી ભાયંદર રેલ્વે બ્રિજ સુધીનો પટ પાર કરવામાં ચાર કલાકથી વધુ સમય લાગ્યો હતો. તેમજ શનિવારે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રાફિક ( Traffic Jam ) ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યો હતો. 

Join Our WhatsApp Community

હાલમાં ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટી ( NHAI ) દ્વારા હાઇવેને કોંક્રીટીકરણ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે , પરંતુ હજુ સુધી કોંક્રીટીકરણ કરવામાં ન આવતા ખાડાઓની ( potholes ) સમસ્યા હાલ પણ એમ જ યથાવત છે. તેથી જ મુંબઈમાં પહેલા જ વરસાદમાં મુંબઈ-અમદાવાદ (  Mumbai-Ahmedabad National Highway ) NH-48 પર ખાડાઓમાં પાણી ભરાય ગયું હતું અને ટ્રાફિક જામ જેવી સમસ્યા સર્જાઈ હતી.

આ સમાચાર  પણ વાંચો : TRAI Mobile Number : 21 વર્ષ પછી મોબાઇલ નંબર બદલાવાની તૈયારીમાં છે સરકાર, કોલ કરશો તો બતાવશે 10 થી વધુ નંબર..

 Mumbai: હાઇવેની હાલત ખુબ જ ખરાબ છે…

તેથી જો થોડી મિનિટમાં વરસાદની આવી અસર થઈ શકે છે, તો કલ્પના કરો કે જો આગામી થોડા દિવસોમાં સતત વરસાદ પડશે તો આ ધોરીમાર્ગ પર તેની શું અસર થશે. આથી ખબર પડે છે કે હાઇવેની હાલત ખુબ જ ખરાબ છે. તેથી પાલિકાએ હવે ધોરીમાર્ગ  પર કોંક્રિટીકરણનું કામ ઝડપી ગતિએ કરવાનું સૂચન આપ્યું છે. જેથી વધુ વરસાદને કારણે અહીં પ્રવાસીઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

આ ઉપરાંત નાયગાંવમાં વસઈ-દિવા રેલવે બ્રિજ પાસે પર્વત પરથી રસ્તા પર પડતા પાણીને અટકાવવા માટે રેલવે દ્વારા નવી ગટરની પાઈપલાઈન નાખવામાં આવી હતી. જેથી પુલની નીચે વરસાદનું સમ્રગ પાણી એકઠું ન થાય અને તે પૂરનું કારણ ન બને. તેમજ NHAI આવતા અઠવાડિયે કોંક્રીટીંગનું ( concretization ) કામ પૂર્ણ કરવામાં સક્ષમ નહીં રહેશે તો આગામી ત્રણ મહિના (આખા ચોમાસા સુધી) પરિસ્થિતિ આવી જ રહેશે અને પ્રવાસીઓને અહીં સતત હાલાકીનો સામનો કરવો પડશે.

Mumbai Alert: મુંબઈગરા સાવધાન: ગેરકાયદે પાર્કિંગને કારણે ફાયર બ્રિગેડનું કામ અટકશે તો સીધી થશે FIR
Stray Dog Attack in Bhiwandi: ભિવંડીમાં રખડતા કૂતરાનો આતંક: શ્વાનના હુમલા બાદ ૧૨ વર્ષના માસૂમનું કરુણ મોત, હોસ્પિટલની બેદરકારી સામે ઉઠ્યા સવાલ
Job Fraud in Mumbai: મુંબઈ: નેવીમાં નોકરી અપાવવાના બહાને ‘બેસ્ટ’ની મહિલા કંડક્ટર સાથે ₹2.01 લાખની ઠગાઈ
Job Fraud in Mumbai: મોરેશિયસમાં નોકરીની લાલચ આપી એરપોર્ટ પર કામદારોને નોંધારા મૂકી એજન્ટ ₹4.42 લાખ લઈ ફરાર
Exit mobile version