Site icon News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈમાં માત્ર દસ મિનિટના વરસાદને કારણે મુંબઈ-અમદાવાદ હાઈવે પર ચાર કલાક સુધી વાહનવ્યવહાર ખોરવાયો..

Mumbai: હાલમાં ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટી દ્વારા હાઇવેને કોંક્રીટીકરણ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે , પરંતુ હજુ સુધી કોંક્રીટીકરણ કરવામાં ન આવતા ખાડાઓની સમસ્યા હાલ પણ એમ જ યથાવત છે. તેથી જ મુંબઈમાં પહેલા જ વરસાદમાં મુંબઈ-અમદાવાદ NH-48 પર ખાડાઓમાં પાણી ભરાય ગયું હતું અને ટ્રાફિક જામ જેવી સમસ્યા સર્જાઈ હતી.

Mumbai Due to just ten minutes of rain in Mumbai, traffic on the Mumbai-Ahmedabad highway was disrupted for four hours.

Mumbai Due to just ten minutes of rain in Mumbai, traffic on the Mumbai-Ahmedabad highway was disrupted for four hours.

News Continuous Bureau | Mumbai

Mumbai: મહારાષ્ટ્રમાં તેનો પ્રથમ વરસાદ ( Rain ) , જે શનિવારે સવારે માંડ દસ મિનિટ સુધી ચાલ્યો હતો. આ વરસાદે થાણેના ઘોડબંદર રોડ નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર અસ્તવ્યસ્ત જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું , જેમાં દસ મિનિટના વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ જતા અને ખાડાઓને કારણે સેંકડો વાહનચાલકો ચાર કલાકથી વધુ સમય સુધી અટવાઈ પડ્યા હતા. પ્રવાસીઓમાં ગુસ્સો હતો કે પહેલા જ વરસાદમાં ઘોડબંદર રોડ પરના ફાઉન્ટેન હોટેલથી ભાયંદર રેલ્વે બ્રિજ સુધીનો પટ પાર કરવામાં ચાર કલાકથી વધુ સમય લાગ્યો હતો. તેમજ શનિવારે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રાફિક ( Traffic Jam ) ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યો હતો. 

Join Our WhatsApp Channel

હાલમાં ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓથોરિટી ( NHAI ) દ્વારા હાઇવેને કોંક્રીટીકરણ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે , પરંતુ હજુ સુધી કોંક્રીટીકરણ કરવામાં ન આવતા ખાડાઓની ( potholes ) સમસ્યા હાલ પણ એમ જ યથાવત છે. તેથી જ મુંબઈમાં પહેલા જ વરસાદમાં મુંબઈ-અમદાવાદ (  Mumbai-Ahmedabad National Highway ) NH-48 પર ખાડાઓમાં પાણી ભરાય ગયું હતું અને ટ્રાફિક જામ જેવી સમસ્યા સર્જાઈ હતી.

આ સમાચાર  પણ વાંચો : TRAI Mobile Number : 21 વર્ષ પછી મોબાઇલ નંબર બદલાવાની તૈયારીમાં છે સરકાર, કોલ કરશો તો બતાવશે 10 થી વધુ નંબર..

 Mumbai: હાઇવેની હાલત ખુબ જ ખરાબ છે…

તેથી જો થોડી મિનિટમાં વરસાદની આવી અસર થઈ શકે છે, તો કલ્પના કરો કે જો આગામી થોડા દિવસોમાં સતત વરસાદ પડશે તો આ ધોરીમાર્ગ પર તેની શું અસર થશે. આથી ખબર પડે છે કે હાઇવેની હાલત ખુબ જ ખરાબ છે. તેથી પાલિકાએ હવે ધોરીમાર્ગ  પર કોંક્રિટીકરણનું કામ ઝડપી ગતિએ કરવાનું સૂચન આપ્યું છે. જેથી વધુ વરસાદને કારણે અહીં પ્રવાસીઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

આ ઉપરાંત નાયગાંવમાં વસઈ-દિવા રેલવે બ્રિજ પાસે પર્વત પરથી રસ્તા પર પડતા પાણીને અટકાવવા માટે રેલવે દ્વારા નવી ગટરની પાઈપલાઈન નાખવામાં આવી હતી. જેથી પુલની નીચે વરસાદનું સમ્રગ પાણી એકઠું ન થાય અને તે પૂરનું કારણ ન બને. તેમજ NHAI આવતા અઠવાડિયે કોંક્રીટીંગનું ( concretization ) કામ પૂર્ણ કરવામાં સક્ષમ નહીં રહેશે તો આગામી ત્રણ મહિના (આખા ચોમાસા સુધી) પરિસ્થિતિ આવી જ રહેશે અને પ્રવાસીઓને અહીં સતત હાલાકીનો સામનો કરવો પડશે.

BEST Bus Strike in Mumbai મુંબઈમાં BEST કર્મચારીઓની બેમુદત હડતાળ પ્રશાસને લાગુ કર્યો MESMA કાયદો, હડતાળને ગણાવી ‘ગેરકાયદે’
BEST Bus Strike Impact મુંબઈમાં BEST બસ હડતાળની અસર મેટ્રોમાં મુસાફરોનો ધસારો, લાખો લોકોએ મેટ્રોનો સહારો લીધો
Health Risk of Newsprint Ink સ્વાસ્થ્ય સાથે ચેડાં નહીં ચાલે! મુંબઈમાં છાપામાં વડાપાઉં આપતા વેપારીઓ સામે FDA ની મોટી કાર્યવાહી.
Leopard Attack at IIT Bombay આઈઆઈટી બોમ્બે કેમ્પસમાં દીપડાનો આતંક સ્ટાફ હોસ્ટેલ પાસે શ્વાન પર કર્યો હુમલો
Exit mobile version