Site icon News Continuous Bureau | Mumbai

 રિવરફ્રન્ટ ખાતે 21 જાન્યુઆરીએ નાઈટ મેરેથોન યોજાશે, જેમાં 75 હજાર લોકો જોડાશે, ભાગ લેનારને ફ્રીમાં ટી-શર્ટ,ટાઇમર ચિપ કિટ આપવાનું શરૂ

રજીસ્ટેશન કરાવનારા તમામ લોકોને શહેર પોલીસ દ્વારા ફ્રી માં કીટ આપવામાં આવી રહી છે. જેનું વિતરણ પંડિત દિન દયાલ હોલ ખાતે સવારે 9 વાગ્યા થી રાતના 9 વાગ્યા સુધી તા.17 જાન્યુઆરીથી શરુ કરી દેવાયું છે. જ્યારે તા.20 જાન્યુઆરી સુધી ફ્રી કીટનું વિચરણ ચાલુ રહેશે. આ ઉપરાંત મેરેથોનમાં ભાગ લેનારા લોકો માટે પંડિત દિન દયાળ હોલ ખાતે રજીસ્ટેશન કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Night Half Marathon at Sabarmati Riverfront on January 21

રિવરફ્રન્ટ ખાતે 21 જાન્યુઆરીએ નાઈટ મેરેથોન યોજાશે, જેમાં 75 હજાર લોકો જોડાશે, ભાગ લેનારને ફ્રીમાં ટી-શર્ટ,ટાઇમર ચિપ કિટ આપવાનું શરૂ

News Continuous Bureau | Mumbai

21 જાન્યુઆરીએ રાતે શહેર પોલીસ દ્વારા નાઈટ મેરેથોન યોજવામાં આવી છે. જેનું રજીસ્ટેશન શરુ કરી દેવાયુ છે. આ મેરેથોનમાં લગભગ 75 હજાર લોકો ભાગ લે તેવો અંદાજ છે. જો કે મેરેથોનમાં ભાગ લેનારા તમામ લોકોને શહે૨ પોલીસ દ્વારા ફ્રીમાં ટી શર્ટ, ટાઈમર ચિપ અને નંબરની કીટ આપવામાં આવી છે.

Join Our WhatsApp Channel

જેનું વિતરણ રાજપથ કલબની પાછળ આવેલા પંડિત દિન દયાળ હોલ ખાતેથી શરુ કરી દેવામાં આવ્યુ છે. રિવર ફ્રન્ટ ખાતે તા.21 મી જાન્યુઆરીએ યોજાનારી શહેર પોલીસની આ મેરેથોનને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ફલેગ ઓફ કરાવશે. આ મેરેથોનમાં યંગસ્ટર તેમજ સેલિબ્રિટી સહિત 75 હજાર લોકો ભાગ લેવાના છે. જેના માટેનું રજીસ્ટેશન શરુ કરી દેવામાં આવ્યું છે. લગભગ 72 હજાર લોકોએ તો મેરેથોનમાં ભાગ લેવા માટે રજીસ્ટેશન પણ કરાવી દીધુ છે. જો કે રજીસ્ટેશન કરાવનારા તમામ લોકોને શહેર પોલીસ દ્વારા ફ્રી માં કીટ આપવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો:  પિતા બાદ હવે પુત્રનો જેલભેગા થવાનો વારો? નવાબ મલિક બાદ હવે પુત્ર ફરાઝ વિરુદ્ધ કેસ દાખલ,આ કેસમાં થઈ શકે છે ધરપકડ..

જેનું વિતરણ પંડિત દિન દયાલ હોલ ખાતે સવારે 9 વાગ્યા થી રાતના 9 વાગ્યા સુધી તા.17 જાન્યુઆરીથી શરુ કરી દેવાયું છે. જ્યારે તા.20 જાન્યુઆરી સુધી ફ્રી કીટનું વિચરણ ચાલુ રહેશે. આ ઉપરાંત મેરેથોનમાં ભાગ લેનારા લોકો માટે પંડિત દિન દયાળ હોલ ખાતે રજીસ્ટેશન કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે મેરેથોનના રુટ ઉપર જુદી જુદી થીમ ઉપર 8 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને અમદાવાદને નશામાંથી મુકત કરવાની થીમ ઉપર વધારે ભાર મુકવામાં આવ્યો છે.

Ahmedabad Serial Blast Case અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, ૩૮ દોષિતોને ફાંસીની સજા યથાવત
Ahmedabad Airport અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એક જ રનવે પર સામસામે આવ્યા એર ઈન્ડિયા અને ઈન્ડિગોના વિમાન
Ahmedabad અમદાવાદમાં હૃદયદ્રાવક ઘટના નીટ (NEET) પરીક્ષાના માત્ર 3 દિવસ પહેલા વિદ્યાર્થીનો આપઘાત
Ahmedabad Airport Gold Seizure એરપોર્ટ પર કસ્ટમ્સનું મોટું ઓપરેશન દુબઈની ફ્લાઈટના ટોયલેટમાંથી ઝડપાયું ₹૪.૨૬ કરોડનું સોનું, સ્મગલિંગની નવી રીત જોઈ અધિકારીઓ પણ ચોંક્યા
Exit mobile version